Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૪

ચોપાઇ- થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત । ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।। એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન । કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।। અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી । ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।। ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી । પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।। જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ । દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજયા સુજાણ ।।૫।। માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે । એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।। કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર । કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।। જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી । ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।। જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત । સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।। જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ । પ્રભુ પોતે છે દીનદયાળ,જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।। સંત […] read more
0 Views : 147

ભક્તચિંતામણિ પ્રકરણ:- પપ

ચોપાઇ- પછી યાંથકી ચાલીયા નાથ, લીધા સેવક પોતે બે સાથ । ત્યાંથી આવ્યા કોઠારિયામાંઇ, રહે ભક્ત ત્યાં આણદિબાઇ ।।૧।। તેના અંતરમાં સુખ અતિ, દેખે અખંડ પ્રભુની મૂરતિ । તોય અંતરમાં રહી તાણ, મળવા મૂરતિ પ્રકટ પ્રમાણ ।।૨।। તેને સમજાવી સવેર્રીત, પછી યાં થકી ચાલ્યા અજીત । લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે ।।૩।। ત્યાંથી પધારીયા ગામ ભેલે, આપ્યાં વિપ્રને વસ્ત્ર છબીલે । દીધાં દુધ પેંડા ફાંટ ભરી, પછી ત્યાં થકી ચાલીયા હરિ ।।૪।। મળે વાટ માંહિ જે જે જન, તેને નાથ દિયે દરશન । ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા માળીએ પૂરણકામ ।।૫।। તિયાં દિન રહ્યો ઘડી ચાર, કહે રાજ જાશું રણપાર । આવ્યા રણમધ્યે અવિનાશ, ત્યાંતો કહે લાગી ભૂખ પ્યાસ ।।૬।। આવ્યો એક પુરૂષ અકળ, તેણે જાચ્યું છે આવીને જળ । હતું પાસે પાણી પળી એક, તે પણ આપવું એવી છે ટેક ।।૭।। પછી નાથ બોલ્યા એમ વાણી, આવો ઓરા પીવું હોય પાણી । પોતાની તો પીડાને ન જોઇ, હરિ વિના ન કહે બીજું કોઇ ।।૮।। પોતાના તો પિડાતાતા પ્રાણ, તોય ન કરી નકારની વાણ । તિયાં મીઠાં થયાં સિંધુજળ, સુંદર સ્વાદુ નીર નિરમળ ।।૯।। પિધાં પોતે ને પોતાને દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । વાંસે રહ્યો સેવક એ સારૂં, ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારૂં ।।૧૦।। એવી લીલા કરતા મોરાર, […] read more
0 Views : 111

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૬

ચોપાઇ- પછી કચ્છ દેશથી કૃપાળુ, આવ્યા પંચાળે દીનદયાળુ । સંગે લઇને સાધુ બેચાર, પ્રથમ આવીયા દેશ હાલાર ।।૧।। ગામોગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કીધાં । પછી આવીયા સરધારમાંઇ, હરિભક્ત કાઠી આવ્યા ત્યાંઇ ।।૨।। પછી ત્યાંથી ચાલીયા મહારાજ, આવી રહ્યા પિપરડીએ રાજ । બીજે દિવસે બોટાદ આવ્યા, અદે ભગે ભાવેશું જમાવ્યા ।।૩।। રહ્યા દિવસ બે કરી મેર, સોમલા ને માંતરાને ઘેર । પછી ત્યાંથી આવ્યા કારીયાણી, વરસે મેઘ પડે બહુ પાણી ।।૪।। વસે ભક્ત ત્યાં માંચો વીરદાસ, રહ્યા તિયાં હરિ ચાર માસ । આવ્યા ગઢડેથી હરિજન, જેનાં ત્યાગે સુકાણાં છે તન ।।૫।। આવ્યા દેશદેશ થકી દાસ, નયણે નિરખવા અવિનાશ । આવ્યા વાગડ કચ્છ હાલારી, સોરઠ વાળાકનાં નરનારી ।।૬।। આવ્યા પાંચાળી ને ઘોલવાડી, ભાલ ગુજરાત ઝાલાવાડી । આવ્યો સુરતથી સંઘ વળી, ઘણું રહ્યો છે રંગડો ઢળી ।।૭।। આવે સહુ લાગે હરિપાય, નાથ નિરખી ત્રપત ન થાય । આવ્યા સંત તે સરવે મળી, હતી અમદાવાદે મંડળી ।।૮।। પછી પ્રભુતણી પૂજા કરી, જમ્યા બહુ સરકરા હરિ । સુંદર વસ્ત્ર શામળિયો પહેરી, દિયે દર્શન દાસને લહેરી ।।૯।। કરે વાત અલૌકિક આપે, સવેર્જનના સંશય કાપે । જાય નાથજી નિત્ય તળાવે, જન પાસળ સર ગળાવે ।।૧૦।। ગાતાવાતા આવે પછી ઘેર, નિત્ય પ્રત્યે થાય લીલાલેર । સુંદર ઘોડે ચડે ગિરધારી, થાય ચમર જુવે નરનારી ।।૧૧।। પછી યજ્ઞ […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૭

રાગ સિંધુકડખો- એવું સાંભળીને આવીયું, વળી દુષ્ટજનનું દળ । સાધુને માંડ્યા સંતાપવા, બહુ બહુ દેખાડે છે બળ ।।૧।। સંત શ્રીનગર માંહિ, નિત્ય જાતાતા ભિક્ષાઅર્થ । તેને અસુરે આવી આંતર્યા, મારે કરે અતિ અનરથ ।।૨।। ગેડી ધોકા પડે લાકડી, વળી કંદે ભાંગી કટિયું । કર્યા પ્રહાર કડિયાળીએ, તેતો સંતે સરવે સહ્યું ।।૩।। તપસી ઋષિ કૃશ તનમાં, તેને માથે મોટ ચડાવિયા । મનગમતો માર દેતા, ઉતારાપર લઇ ગિયા ।।૪।। તિયાં જઇ તાડન કરી, ફરી બાંધિયા બહુપેર । અસુરને હાથ આવી પડ્યા, જેને જરાયે ન મળે મેર ।।૫।। કોઇ કહે કાન નાક કાપો, કોઇ કહે કરો ઘાત જીવની । કોઇ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે સેના શિવની।।૬।। ભાખે ભૂંડી ગાળો મુખથી, તેતો જેજે બોલે તે થોડીયું । જાણું મસ્તક પાંચમું, કાપી બ્રહ્માનું ચોડીયું ।।૭।। કોઇક સંત કલે વકલે, અસુરહાથ આવ્યો નહિ । તેણે ખબર ખોખરે વળી, આવીને સવેર્કહી ।।૮।। સુણી શ્રીહરિ શ્રવણે, અંગે ઉભી થઇ રોમાવળી । એવો કોણ અવનિ ઉપરે, જે મારા સંતને મારે વળી ।।૯।। કરી નજર અતિ કરડી, થયાં લોચન લાલ વિશાળ । ભ્રકુટિભ્રંગ ચડાવિયો, દેખી કંપવા લાગ્યો કાળ ।।૧૦।। શશિ સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠિયો અજ અકળાઈ । શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ ।।૧૧।। ઇંદ્ર સુરને ભય ઉપજયો, વળી દલે ડર્યા દિગપાળ । જોઇ કોપ […] read more
0 Views : 123

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૮

ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ, જોઇ અસુર નરનો નાશ । ગયા વેલાલ્ય સલકિ ગામ, પછી કચ્છમાં સધાવ્યા શ્યામ ।।૧।। ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું શીદ કર્યું અમ સાથે । અમારે નોતું કરવું એમ, તમારે પણ ઘટે એ કેમ ।।૨।। એતો થયું છે અજાણમાંઇ, તેનો ધોખો કરશોમાં કાંઇ । એતો કરાવનારા છે કોક, તેનો શીદને રાખવો શોક ।।૩।। અમે તમે તો એકજ છીએ, ઘણું ઘણું શું મુખથી કહીએ । અમે કરશું જગન ડભાણ, તિયાં આવજો સવેર્સુજાણ ।।૪।। થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારૂં નરશું । ત્યાંતો એકાએક હતા અમે, તેવા સમામાં આવિયા તમે ।।૫।। એવો પત્ર લખ્યો અવિનાશે, આવ્યો અસુરાધિશને પાસે । સામ દામ દંડ ભેદે ભયોર્ , વાંચી કાગળ વિચાર કર્યો।।૬।। ન કરો નુગરાની યાં વાત, જેણે માર્યા સાધુ સાક્ષાત । એમ સમજી મનમાં વિચારી, પછી બેસી રહ્યા જખ મારી ।।૭।। પછી શું શું કર્યું ભગવાને, કહું સાંભળજયો સહુ કાને । આદર્યો છે ડભાણે જગન, આવ્યા ચૌદિશેથી હરિજન ।।૮।। શાળ દાળ ને દળાવ્યા ઘઉં, લીધાં ઘી ગોળ મિસરી બહુ । છોયે રસના ભર્યા કોઠાર, તેનો કહેતાં તે ન આવે પાર ।।૯।। પછી પોતે પધાર્યા મહારાજ, પૂરો કરવો જગન એ કાજ । રહ્યા દન દોય એહ ઠામ, પછી ગયા ઘોડાસર ગામ ।।૧૦।। ત્યાંથી નાથ ગયા હાથરોળી, ત્યાં તેડાવી […] read more
0 Views : 151

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૯

રાગ સામેરી – વળતા તે વિપ્ર બોલીયા, મહારાજ શું કહો છો તમે । જેમ આપો આગન્યા, તેમ સહુ કરીએ અમે ।।૧।। મહારાજ કહે એક તમે, એક અમારો તમસાથ । તમે લેજયો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ ।।૨।। પિરશે પોતાનાં પારકાં, જો કરશો જરાય । તો તમને એ તાડશે, તેની રાવ રોષ ન કાંય ।।૩।। પછી ભર્યાં મોદકનાં ગાડલાં, તેણે જુતા જોધ્ધ જુવાણ । પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવનપ્રાણ ।।૪।। તોય બ્રાહ્મણ ભુંડાઇ ન તજે, લઇ બેઠા એક એક લાકડી । તૈયે મહારાજ કહે કાઠિયો, તમે આવો સહુ ઘોડે ચડી ।।૫।। લેવરાવી સૌને લાઠિયો, કાઠી આવિયા ઘોડે ચડી । વિના ગોળીએ વછોડીયો, ત્યાં બંધુકો બહુ પડી ।।૬।। ભાંગી ભડાકે કોઠીયો, સુંદર દાળની સોળ । જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડ્યા પોતાને રોળ ।।૭।। ખોટે ડારે ડરાવિયા, કહે ઉઠશો જમતાં કોય । જરૂર તેને મારશું, તમે ઉઠજયો એવું જોય ।।૮।। જુક્તિ કરીને જમાડીયા, નવ પડવા દીધું વિઘન । એમ રૂડી રીતશું, મહારાજે કરાવ્યો જગન ।।૯।। પછી દિવસ વળતે, તેડ્યા પુરાણી પંડિત । કરી ચરચા ચોકમાં, ત્યાં થઇ પોતાની જીત ।।૧૦।। લાખો લોક ભેળા થયા, નિરખવા નયણે નાથ । તેમાં નર તસકરા, આવ્યાતા નાખવા હાથ ।।૧૧।। જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા । પછી અશ્વ ઉપરે, આવી તાકીયા તસકરા ।।૧૨।। ત્રણ […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૦

ચોપાઇ- એમ યજ્ઞ કરી યદુનાથ, ચાલ્યા શ્યામળો સખાને સાથ । રહ્યા જેતલપુરમાં જઇ, સંઘ સરવે સંગાથે લઇ ।।૧।। ત્યાંથી સંઘને શીખજ કરી, પોતે ચાલ્યા પશ્ચિમ દેશે હરિ । સારો પહેરી સુંદર સુરવાળ, ઝગે જરકશી જામો વિશાળ ।।૨।। માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કશી કેસર રેંટા કેરી । બાજુ કાજુ કુંડળ રૂપાળાં, હાથે હેમકડાં બે વળાળાં ।।૩।। હૈયે હાર અપાર શોભાળા, ઉર ઉતરી મોતીની માળા । કોટે કનકની કંઠી શોભે, શિશે શિરપેચ જોઇ મન લોભે ।।૪।। ચડ્યા ઘણામૂલે હરિ ઘોડે, બીજા સખા અસવાર જોડે । ચાલ્યા વાટમાં એવાના એવા, સર્વે જનને દર્શન દેવા ।।૫।। જેજે વાટમાં આવિયાં ગામ, તેણે નિરખ્યા સુંદર શ્યામ । દેતા દર્શન દીનદયાળ, આવ્યા પ્રભુજી દેશ પંચાળ ।।૬।। સુંદર ગામ સારંગપુર નામ, તિયાં પધાર્યા સુંદર શ્યામ । રૂડા ભક્ત જીવો ને રાઠોડ, આવ્યા હરિ કરી તિયાં ધ્રોડ ।।૭।। રહી રાત્ય એક તિયાં રાજ, આવ્યા કારિયાણી મહારાજ । તિયાં ભક્ત વસે એક માંચો, નહિ તે કોઇ નિયમમાં કાચો ।।૮।। નિરલોભી ને અતિ નિષ્કામી, તેને ઘેર પધારીયા સ્વામી । તિયાં રહ્યા હરિ એક દિન, પછી આવ્યા ગઢડે જીવન ।।૯।। ભક્ત સભાગી એભલ જીયાં, રહ્યા કાંઇક કૃપાળુ તિયાં । પછી ત્યાંથી સધાવીયા શ્યામ, આવ્યા નાથ કરિયાણે ગામ ।।૧૦।। તિયાં રહ્યા રાત એક હરિ, આવ્યા રાયપર કૃપા કરી । સખા સર્વે […] read more
0 Views : 126

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૧

ચોપાઇ- પછી પધાર્યા દેશ પંચાળ રે, જીયાં વસે છે દાસ દયાળ રે । સર્વે સંસારનાં સુખ ત્યાગી રે, એક પ્રભુપદ અનુરાગી રે ।।૧।। પંચ વિષયથી પ્રીત ઉતારી રે, પંચવ્રત પ્રેમે રહ્યા ધારી રે । દીધાં દેહ તણાં સુખ નાખી રે, રહ્યાં અંતરે પ્રભુને રાખી રે ।।૨।। એવા જન જક્તથી ઉદાસી રે, તિયાં આવ્યા આપે અવિનાશી રે । જોઇ જનના હૈયાનું હેત રે, આવ્યા પ્રભુજી સખા સમેત રે ।।૩।। તેને દીધાં છે દર્શન દાન રે, બહુ ભાવે કરી ભગવાન રે । અંધ અપંગ બૂઢા ને બાળ રે, અસમર્થ અબળા લાજાળ રે ।।૪।। તેને દયા કરી હરિ આપરે, દીધાં દર્શન ટાળિયા તાપ રે । પછી જને પૂછ્યા સમાચાર રે, કહ્યા હરિએ કરી વિસ્તાર રે ।।૫।। જે જે પૂછતા ગયા છે જન રે, તે તે કહેતા ગયા છે જીવન રે । પછી પુછી જગનની વાત રે, કહી રાજી થઇ રળીયાત રે ।।૬।। જેને નોતું અવાણું જગને રે, તે પણ મગન થયા સુણી મને રે । કહે ધન્ય ધન્ય મહારાજ રે, એવો જગન થાય કોણે આજ રે ।।૭।। બીજા ખચેર્બહુ બહુ ધન રે, પણ ન થાય નિરવિઘન રે । કૈક જન તણા જીવ જાય રે, એવું સુણ્યું છે જગન માંય રે ।।૮।। લૂંટે ચોર કે ખરચી ખુંટે રે, થાય ફજેતિ શકોરાં ફૂટે રે । […] read more
0 Views : 144
Powered By Indic IME