Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ચોસઠપદી પદ:- ૨૪

વાત  હેતની  હૈયે  ધારજો  રે,  સમજીને  સુજાણ ।। કામ  પડે  એ  વિચારજો  રે,  તો  થાશે  કલ્યાણ ।। ૧ ।। પ્રભુજીના  પદ  પામવા  રે,  આ  છે  સુંદર  સાર ।। વડાં  વિઘનને  વામવા  રે,  પામવા  બેડો પાર ।। ૨ ।। કહ્યું  લગાડીને  કડવું  રે,  લીમથી   ઘણું લાખ ।। એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ ।। ૩ ।। કોય વીંધે  આવી કાનને રે, કરીને  કળ છળ ।। પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ ।। ૪ ।। રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર ।। કહે નિષ્કુળાનંદ હિતનું રે, સારું સુખ દેનાર ।। ૫ ।। read more
0 Views : 150

ચોસઠપદી પદ:- ૨પ

રાગ-ધોળ  ‘તુંને સાંભળ આપું શીખ, મોટા મારી માન્યને રે’ માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજયો રે ।। કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજયો રે ।। ૧ ।। સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજયો રે ।। રખે ચડે બીજાનો રંગ,  એવું ડહાપણ દૂર નાખજયોરે ।। ૨ ।। લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે ।। નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજયો એ મર્મને રે ।। ૩ ।। આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે ।। એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે ।। ૪ ।। read more
0 Views : 156

ચોસઠપદી પદ:- ૨૬

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે ।। મર આપીયે સો સો શીશ, તોયે વણમળ્યાની વાત છે રે ।। ૧ ।। કિયાં કીડી કરી  મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે ।। કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે ।। ૨ ।। અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે ।। તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે ।। ૩ ।। તૈયે થાય એનો મેળાપ, જયારે નરતન ધરે નાથજી રે ।। કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે ।। ૪ ।। read more
0 Views : 178

ચોસઠપદી પદ:- ૨૭

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે ।। મર આપીયે સો સો શીશ, તોયે વણમળ્યાની વાત છે રે ।। ૧ ।। કિયાં કીડી કરી  મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે ।। કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે ।। ૨ ।। અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે ।। તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે ।। ૩ ।। તૈયે થાય એનો મેળાપ, જયારે નરતન ધરે નાથજી રે ।। કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે ।। ૪ ।। read more
0 Views : 127

ચોસઠપદી પદ:- ૨૮

એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છે રે ।। વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે રે ।। ૧ ।। ધામ ધામના જે રહેનાર, હજૂર રહે છે જોડી હાથને રે ।। કરી આરત્યશું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે ।। ૨ ।। શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે ।। જેની આજ્ઞામાં અહોનિશ, શશી સૂરજ રે’છે ફરતા રે ।। ૩ ।। કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાં રે ।। કહે નિષ્કુળાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાં રે ।। ૪ ।। read more
1 Views : 141

ચોસઠપદી પદ:- ૨૯

એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવિયે રે ।। શીદ ડો’ળીને ડહાપણ, સમજુ શાણા હસાવિયે રે ।। ૧ ।। જેણે રચ્યું આ જગત, જોને જૂજવી જાત્યનું રે ।। જોતા મૂંઝાય જાય મત,  એવુ કર્યું ભાત્યભાત્યનું રે ।। ૨ ।। એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણિયે રે ।। વણ કર્યે એ વિવેક, શીદ અભિમાન આણિયે રે ।। ૩ ।। મેલી ડા’પણ ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે ।। કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે ।। ૪ ।। read more
0 Views : 149

ચોસઠપદી પદ:- ૩૦

જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે ।। માત તાત સગાં સમેત,  માન્યા સનેહી ભોળાપણે રે ।। ૧ ।। જોને ગર્ભવાસની ત્રાસ, ટળે કેમ ટાળી કોઈની રે ।। તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે ।। ૨ ।। વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે ।। બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે ।। ૩ ।। એમ સમજયા વિના જન, આવે ઉન્નમત્તાઈ  અંગમાં રે ।। કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે ।। ૪ ।। read more
0 Views : 136

ચોસઠપદી પદ:- ૩૧

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌ કોય કામનો રે ।। ત્યારે કો’ને વધ્યો કુંણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે ।। ૧ ।। જયારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે ।। ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને  રે ।। ૨ ।। પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ જગમાં રે ।। તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે ।। ૩ ।। એવા મૂરખની મિરાંત,  એને અર્થે નથી આવતી રે ।। કહે નિષ્કુળાનંદ વાત, હરિભકતને મન ભાવતી રે ।। ૪ ।। read more
0 Views : 133
Powered By Indic IME