જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. વાત-૭, પ્રકરણ-૧ ઇન્દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્વભાવ છે. વાત-૧૦, પ્રકરણ-૧ રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું કેમ જે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. વાત-૧૧, પ્રકરણ-૧ કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ? વાત-૧૪, પ્રકરણ-૧ નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. વાત-૧૫, પ્રકરણ-૧ ભગવાને તો કહ્યું છે જે ‘જેવો હું સત્સંગે કરીને વશ થાઉ છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થાતો નથી’ તે સત્સંગ શુ ? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. વાત-૧૭, પ્રકરણ-૧ કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે […]
read more