Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિદિધ્યાસ
Per Page :

સંપૂટ: ૯ (સ્વામીની વાતો)

આવા સાધુને મનમાં સંભારીએ, તો મનનાં પાપ બળી જાય. ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. વાત-૩૦, પ્રકરણ-૧ આથી કરોડ ગણો સત્સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે. ને વ્યવહાર પ્રધાન થઇ જાશે, માટે કથાવાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો. વાત-૩૧, પ્રકરણ-૧ ભગવાનના ભકતમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. વાત-૩૨, પ્રકરણ-૧ પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે. ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. વાત-૪૧, પ્રકરણ-૧ મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતું છે, માટે તે સમજી રાખવું. વાત-૫૨ આવા સાધુ ખાસડાં મારે તોપણ અક્ષરધામમાં લઇ જાય, ને બીજા મશરુનાં ગાદલાંમાં સુવારી મૂકે, તોપણ નરકમાં નાખે એમ સમજવું. વાત-૫૭, પ્રકરણ-૧ તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય અને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. વાત-૬૨, પ્રકરણ-૧ શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્યાં જે આવું અંત:કરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે. વાત-૬૭, પ્રકરણ-૧ નિરંજનાનંદ સ્‍વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? […] read more
0 Views : 3374

સંપૂટ: ૮ (સ્વામીની વાતો)

જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. વાત-૭, પ્રકરણ-૧ ઇન્દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્વભાવ છે. વાત-૧૦, પ્રકરણ-૧ રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું કેમ જે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. વાત-૧૧, પ્રકરણ-૧ કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ? વાત-૧૪, પ્રકરણ-૧ નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. વાત-૧૫, પ્રકરણ-૧ ભગવાને તો કહ્યું છે જે ‘જેવો હું સત્સંગે કરીને વશ થાઉ છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થાતો નથી’ તે સત્સંગ શુ ? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. વાત-૧૭, પ્રકરણ-૧ કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે […] read more
0 Views : 2682

સંપૂટ: ૭ (વચનામૃ્તમ્)

ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારનાં જે મનુષ્ય તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ. ગઢડા પ્રથમનું ૭૬મું જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તોપણ કોઈ રીતે દેહ પર્યંત મુઝાય નહિ, એવો હોય તે પાકો સત્સંગી છે. ગઢડા પ્રથમનું ૭૬મું જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ, તેને મુકીને જ્ઞાનનું કે ભકિતનું બળ લેશે, તે ગુરૂદ્રોહી, વચન દ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. ગઢડા પ્રથમનું ૭૭મું વિમુખ હોય ને તે બોલતો ચાલતો દેહ મુકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી, તે તો સારી રીતે દેહ મુકે અથવા ભૂંડી રીતે મુકે પણ નરકે જ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મુકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મુકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મુકે પણ તેનું કલ્યાણ જ છે. ગઢડા પ્રથમનું ૭૭મું જેને અચળ નિશ્વય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે. ગઢડા પ્રથમનું ૭૮મું જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય, તે જ્યારે કોઈક સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહિ, જેમ પોતાના દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને […] read more
0 Views : 2587

સંપૂટ: ૬ (વચનામૃતમ્)

અંતરમાં જે કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે, તો કુસંગીનું બળ ધટી જાય અને સંતનું બળ વધે છે. ગઢડા પ્રથમનું ૭૦મું ભગવાનનો નિશ્વય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઇક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો. અને જો પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ કરે તો એ પદાર્થની ઇચ્છા પુરી થાય, તો અતિશે પાકો સત્સંગી થઇ જાય અને જો ઇચ્છા પુરી ન થાય તો નિશ્વય ધટી જાય. ગઢડા પ્રથમનું ૭૦મું સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુ:ખ હોય તે કાંટે મટે છે, કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુ:ખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.’ ગઢડા પ્રથમનું ૭૦મું “જેની ઉપર જેને ઇર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી […] read more
1 Views : 2619

સંપૂટ: ૫ (વચનામૃતમ્)

પાકા હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઇને રહે અને એમ જાણે જે “એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું” એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઇ રહે. ગઢડા પ્રથમનું ૫૮મું પુરૂષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરૂષ છે. ગઢડા પ્રથમનું ૫૯મું એકાંતિક ધર્મ તેતો જે એવો નિર્વાસનિક પુરૂષ હોય અને જેને ભગવાનને વિષે સ્થ‍િત‍િ થઇ હોય, તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. ગઢડા પ્રથમનું ૬૦મું હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું.’ એવી આત્મનિષ્ઠા જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ. ગઢડા પ્રથમનું ૬૧મું જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઇએ જે ‘ભગવાન જેમ જેમ મને વધુ દુ:ખ દેશે, તેમ તેમ […] read more
0 Views : 1472

સંપૂટ: ૪ (વચનામૃતમ્)

ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો. ગઢડા પ્રથમનું ૪૪મું ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ! હે સ્વામિન્! હે કૃપાસિન્ધો! હે શરણાગત પ્રતિપાલક! કુસંગી થકી અમારી રક્ષા કરજો. ગઢડા પ્રથમનું ૪૮મું હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંત:શત્રુ તે થકી રક્ષા કરજો. અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંત:શત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ગઢડા પ્રથમનું ૪૮મું જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઇક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઇ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઇને તે સાધુનો અવગુણ લેવો નહિ. ગઢડા પ્રથમનું ૫૩મું જીવને જેવો પોતાના સંબંધિને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, જીવને મોક્ષનું દ્વાર ઉધાડું થાય છે. ગઢડા પ્રથમનું ૫૪મું જેને વચનમાં દૃઢતા છે, તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે. ગઢડા પ્રથમનું ૫૪મું જેને કોઇ […] read more
0 Views : 2587

સંપૂટ: ૩ (વચનામૃતમ્)

મનને વિષે ઘાટના ડંસ બેસે છે ને નથી બેસતા તેનું કારણ તો સત્વગુણ રજોગુણ અને તમોગુણની વૃત્તિ છે. ગઢડા પ્રથમનું ૩૦મું જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. ગઢડા પ્રથમનું ૩૦મું જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ પણ જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઇ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. ગઢડા પ્રથમનું ૨૩મું સત્સંગમાં મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્વયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. ગઢડા પ્રથમનું ૩૧મું અંત:કરણ તો જેવું નાનું છોકરૂં તથા વાનરૂં તથા કુતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ઘ્યાન કરવું તેને અંત:કરણના ઘાટને જોઇને કચવાઇ જાવું નહિ. પોતાના આત્માને અંત:કરણથી જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ગઢડા પ્રથમનું ૩૨મું જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવી મુકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરૂષને હેત થાય છે અને પુરૂષમાં સ્ત્રીને હેત થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી […] read more
0 Views : 2590

સંપૂટ: ૨ (વચનામૃતમ્)

સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્સંગમાં કુસંગ છે. ગઢડા પ્રથમનું ૧૭મું વાસનાવાળા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો! પણ ગૃહસ્થના ધર્મ ઘણા કઠણ છે અને અનંત પ્રકારનાં સુખદુ:ખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહિ અને ગમે તેવું ભારે દુ:ખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. ગઢડા પ્રથમનું ૧૪મું જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં-ચાલતાં દેહ મુકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. ગઢડા પ્રથમનું ૧૪મું પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહિં કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જશે. ગઢડા પ્રથમનું ૧૮મું આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંત:કરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય તે સમે તેનું અંત:કરણ બીજી જાતનું થઇ જાય છે. અને તૃણની ઝુંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા […] read more
0 Views : 2726
Powered By Indic IME