ચિંતામણિ કાંઇ રુપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. વાત-૮૮, પ્રકરણ-૧ અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી.’ વાત-૮૯, પ્રકરણ-૧ ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા. વાત-૯૦, પ્રકરણ-૧ આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો, ને ત્યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્યાં સુધી સત્સંગ થાવો છે. વાત-૯૧, પ્રકરણ-૧ જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? વાત-૯૨, પ્રકરણ-૧ જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્વય થયો છે, તેમજ એવો અભ્યાસ કરે: જે ‘હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરુપ છું, ભગવાનનો ભકત છું પણ દેહ તે હું નહિ, એમ કરે તો તે પણ થાય. વાત-૯૯, પ્રકરણ-૧ રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભકતને માથે કાળ, કર્મ, માયા આદિક કોઇનો ભાર નહિ, જે તેને પીડી શકે. વાત-૧૦૭, પ્રકરણ-૧ પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને […]
read more