Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

હરિબળગીતા કડવું:- ૩

ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી । પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી ।।૧।। ઢાળ- ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ । નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।। મશક તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય ।।૩।। તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય । તેને ભરાંેસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।। માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે તજશે નહિ કોઈ રીત।।પ।। એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી  ભાતે ભવજળ ।।૬।। અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ।।૭।। (સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ) જયારે ૨પોત ન તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।। read more
0 Views : 236

હરિબળગીતા કડવું:- ૪

એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી વિવેકજી । એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી ।।૧।। ઢાળ- નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર ।।ર।। પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ।।૩।। મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।। જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।। જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર। તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ।।૬।। વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।। એહ દ્રષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ।।૮।। કડવું ।।૪।। read more
0 Views : 274

હરિબળગીતા પદ:- ૧

રાગ:-  સામેરી મલાર વિશ વસા એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે । અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે વિશ૦।।૧।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે । દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે; વિશ૦ ।।ર।। નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે । કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એ બે ભર્યાં અપાર રે; વિશ૦ ।।૩।। એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે । નિષ્કુલાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડયો પરમાણરે; વિશ૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 357

હરિબળગીતા કડવું:- પ

જયારે જુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ હરિદાસજી । પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય નિરાશજી ।।૧।। ઢાળ- નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર । મન વચન કર્મે કરી, કેદિ મટે નહિ હરિના ચોર ।।ર।। કાંતો મનમાં ભોગવે, કાંતો વચને કરે વ્યભિચાર । કાંતો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર ।।૩।। શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ । અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ ૧પીવ ।।૪।। માટે કલ્યાણ કોઈનું, માનશોમાં મનમાંય । નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય ।।પ।। અવિનાશીનું શું ઉપન્યું, નિરર્થક ધર્યું નરતન। નારાયણના નામનું, ભયહરણ નહિ ભજન ।।૬।। વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર । એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ।।૭।। ભાગી પડયું ભવ તરવું, વાત ઉભી ન રહી એક । નિષ્કુલાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે આવીયું નેક ।।૮।। કડવું  ।પ।। read more
0 Views : 269

હરિબળગીતા કડવું:- ૬

દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી । કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી ।।૧।। ઢાળ- સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય । ડાઘ લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય ।।ર।। ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર અસુર અનેક । સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક ।।૩।। (ઇંદિરાયે અન્ય અવલોકિયું, જોને રાધાએ કર્યો રોષ) કૃષ્ણ કામિની કામવશ થઇ, સુત સાંબ સન્મુખ જોઇ । અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ ન દીઠાં કોઇ ।।૪।। પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ । વસિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ ।।પ।। કેનેક કામે રોળીયા, કેનિક લિધી લોભે લાજ । કેનેક ક્રોધે કાયર કરી, રોળીયા રંક રાજ ।।૬।। એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ । હારવી નહિ હિંમતને, મટવું નહિ હરિદાસ ।।૭।। ચડે તેહ પડે ખરા, બેસે ઉજળે વળી ડાગ । નિષ્કુલાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ ।।૮।। કડવું ।।૬।। read more
0 Views : 247

હરિબળગીતા કડવું:- ૭

એવી વાતો આગે બહુ થઇજી, નથી કે’વાની તોપણ કહીજી । એહ રીતે લાજ કો’કેની રહીજી, પણ એહ સહુની મોટપ ન ગઇજી ।।૧।। ઢાળ- મોટપ ન ગઇ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી । અતિબળ આશ્રયનું, તેણે સંશયને લીધો હરી ।।ર।। ભુંડી વાસના ભકતને, જો અણુ અંતરમાં થાય । સમઝે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય ।।૩।। માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય । તેહ વિના અપરાધ ટાળવા,  અન્ય નથી ઉપાય ।।૪।। એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર। સાર્થક સર્વે થયા, આગમ હરિ અવતાર ।।પ।। એહ વિના અનેક રીતે, વળી વાત ન બેસે બંધ । દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ ।।૬।। મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ । જાણે અજાણે જે આશરે, તે થાય શુદ્ધ સ્વરૂપ ।।૭।। અજાણે અમૃત પાનથી, નર અમર થાય આપ । નિષ્કુલાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ ।।૮।। કડવું ।।૭।। read more
0 Views : 220

હરિબળગીતા કડવું:- ૮

સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી । રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ।।૧।। ઢાળ- વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ । પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।। ભોળાઇએ કાંઇ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ ।।૩।। કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી, મંડયું રે’વું મુવાલગ ।।૪।। પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।। જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ।।૬।। ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।। અચળ જાણી એ આશરો, ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।। કડવું ।।૮।। read more
0 Views : 212

હરિબળગીતા પદ:- ર

રાગ:- ધોળ ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઇએ ભકતને ભરપુર। બીજી વાત છે બાદલીરે, તમે જાણી લેજો જરૂર; ભીંતર૦ ।।૧।। જેમ એક એકડો ટાળિયેરે, વળી વાળીયે સોયેક શૂન્ય । બુદ્ધિવાનને બેરજ બાંધવીરે, તેતો સમઝણ્યમાં નૂન્ય; ભીંતર૦ ।।ર।। તેમ મેલી બળ મહારાજનુંરે, સાધનની માનવી સા’ય । ભરી ગોળી વારિ વલોવતાંરે, ઉતરે નહિ માંખણ કાંય; ભીંતર૦ ।।૩ ।। માટે મનમાં મોટો માનવોરે, પ્રગટ પ્રભુનો પ્રતાપ । નિષ્કુલાનંદ તેહ નરનારે, ટળી જાય અંતર તાપ; ભીંતર૦ ।।૪।। પદ ।।ર।। read more
0 Views : 208
Powered By Indic IME