Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ધીરજાખ્યાન પદ:– ૧પ

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા.  ક્ષમાવંત ।। ૧ ।। રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે.  ક્ષમાવંત ।। ૨ ।। સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા; અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા.  ક્ષમાવંત ।। ૩ ।। એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે આપે સંતાપ સરખો; નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલા વહેલા એના પગ પરખો.  ક્ષમાવંત ।। ૪ ।। read more
0 Views : 105

ધીરજાખ્યાન કડવું:– ૬૧

થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન ।। તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ।। ૨ ।। કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો ।। ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ।। ૩ ।। અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દષ્ટને સમેટી વળી ।। જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી ।। ૪ ।। તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે ।। પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે કયાંયે ।। ૫ ।। માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે ।। મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે ।। ૬ ।। એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય કોયલા સમાન ।। કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન ।। ૭ ।। એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા ।। પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ।। ૮ ।। મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય ।। એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય ।।૯।। એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ ।। નિષ્કુળાનંદ […] read more
0 Views : 95

ધીરજાખ્યાન કડવું:– ૬ર

વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજયા વિના હરિ ન ભજાયજી હરિ ભજયા વિના ભકત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભકતપણું લજાયજી લજજા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ।। એવી ભકત આદરતાં, કહો ભાઈ કમાણી સહી ।। ૨ ।। જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ।। કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ।। ૩ ।। જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ।। આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।। ૪ ।। એમ ભકત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ।। પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।। ૫ ।। જયારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે ।। પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ।। ૬ ।। એવા ભમરાળા ભકત ન થાયે, થાયે ભકત આગળ કહ્યા એવા ।। જયારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા ।। ૭ ।। દીધું આંધણ જયારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ ।। ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ।। ૮ ।। ભલી ભકત આદરી, પામવા પુરુષોત્તમ સહી ।। પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ।।૯।। ખાવો ભૈરવ જપને જયારે, ત્યારે ખસતું ન મેલવું અંગ ।। નિષ્કુળાનંદ જેમ […] read more
0 Views : 86

ધીરજાખ્યાન કડવું:– ૬૩

હરિજનને છે એક મોટું જયાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ।। મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ।। ૨ ।। જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ।। સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી નાસી જાય વેગળા ।। ૩ ।। એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર ।। અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ।। ૪ ।। કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો ।। પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ।। ૫ ।। અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત ।। પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત ।। ૬ ।। કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ।। અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ।। ૭ ।। ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ।। પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।। ૮ ।। આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ।। ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ।।૯।। મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ ।। નિષ્કુળાનંદ ફંદ પડિયો […] read more
0 Views : 134

ધીરજાખ્યાન કડવું:– ૬૪

ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ ।। અટળ સુખ આનંદ અતિ, તે તો કોટિ કવિ ન શકે કહી ।। ૨ ।। દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે ।। દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે ।। ૩ ।। દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ ।। દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રી મહારાજ ।। ૪ ।। દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ ।। મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ ।। ૫ ।। લઈ પૂજા નિજ જનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ ।। પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ ।। ૬ ।। તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાયે નહિ ।। તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી ।। ૭ ।। વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ ।। તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી સઈ ? ।। ૮ ।। અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય ।। અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય ।।૯।। એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે ।। નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારુ શીદ ટળિયે ।।૧૦।। read more
0 Views : 116

ધીરજાખ્યાન પદ:– ૧૬

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ…ધન્ય માન અપમાનમાં મન હટકયું નહિ રે, સમ વિષમે રહી એક મતિ. ધન્ય ।। ૧ ।। સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી. ધન્ય ।। ૨ ।। હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય ।। ૩ ।। સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ।। ૪ ।। read more
0 Views : 140

ધીરજાખ્યાન પદ:- વધામણાનું

(રાગ:-ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ. આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે।। કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે.. આનંદ ।। ૧ ।। રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે।। હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે.. આનંદ ।। ૨ ।। અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે।। ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે..આનંદ ।। ૩ ।। આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે।। તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે..આનંદ ।। ૪ ।। કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે।। કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે..આનંદ ।। ૫ ।। જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે।। આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે..આનંદ ।। ૬ ।। સુખસુખ સુખ જયાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે।। નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે..આનંદ ।। ૭ ।। દોહા:- ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ; ।। તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ।। ૧ ।। સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ।। રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ।। ૨ […] read more
0 Views : 154

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧

સોરઠા:- સમરું શ્રીઘનશ્યામ, મંગળ  કરવા માહેરું ।। અમૃતપદ  એ  નામ, અમંગળ  અળગું  કરે ।। ૧ ।। ધર્ય થકી  ધરિયે ધ્યાન, પ્રગટ  પુરુષોત્તમતણું ।। નિર્વિઘ્ન હોય  નિદાન, વિઘ્ન સર્વે વિરમે  વળી ।। ૨ ।। દોહા :- અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ।। સો સંક્ષેપે  સૂચવું, મતિ  દિયો એવી  મોય ।। ૩ ।। વારમવાર  વિનય કરી, કરું કથા ઉચ્ચાર ।। મતિ  અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ।। ૪ ।। સદ્ગુરુ  શિષ્ય  સંવાદ શું, કરું કથા પ્રકાશ ।। જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।। ૫ ।। શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું  છું લાગી પાય ।। મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છુ  છું હું ઉરમાંય ।। ૬ ।। દિન બહુનો  દાખડો, કરું  છું કૃપાનિધાન ।। પણ  આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ।। ૭ ।। જેમ   કહો   તેમ   કરું,   હાથ જોડી રહું હજૂર ।। દીનબંધુ  દયા  કરો, તો હરિ દેખાય ઉર ।। ૮ ।। અંતર મારું  અણોસરું, વણ  દીઠે વ્રજચંદ ।। જયારે  દેખું  જગપતિ, ત્યારે  સુખ આનંદ ।।૯।। એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ।। અંતરમાં ઇચ્છા  ઘણી, નાથ  નીરખવા કાજ ।।૧૦।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ।। સાંભળ્ય  તારાં  સંબંધી, કેને  છે  સતસંગ  […] read more
0 Views : 317
Powered By Indic IME