Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૪૮

એહ આદિ ભકત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભકત અનેક ।। ધન્ય ધન્ય એની ભકત, ધન્ય ધન્ય એહની ટેક ।। ૨ ।। એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન ।। જયાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન ।। ૩ ।। જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ ।। ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ ।। ૪ ।। જેમ બેસે કોઈ જા’જમાં, હોય ઊંડા અર્ણવમાંય ।। ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય ।। ૫ ।। કર્યા કેશરિયાં શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ ।। ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ ।। ૬ ।। શૂરા દેખી દગે શત્રુને, કરે દગે કરી ઘણું ઘાય ।। હરિજનને અરિ ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય ।। ૭ ।। કામ ક્રોધ લોભ કહીએ, એ અતિશે ઝીણા અરિ ।। આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી ।। ૮ ।। અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન ।। તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન ।।૯।। ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર ।। નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દઢતા અતિ ધીર ।।૧૦।। read more
0 Views : 100

ધીરજાખ્યાન પદ:– ૧ર

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. ધીરજ સમ નહિ ધન રે સંતો આવે અર્થ દોયલે દન રે સંતો અતોલ દુઃખ પડે જયારે આવી, તે તો ન સે’વાય તન; તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો ।। ૧ ।। ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન; તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે સંતો ।। ૨ ।। ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન; કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો ।। ૩ ।। આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન; નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો ।। ૪ ।। read more
0 Views : 101

ધીરજાખ્યાન કડવું:– ૪૯

એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે ।। કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઊતર્યું ખાઈ દિન નિર્ગમે ।। ૨ ।। ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર ।। ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર ।। ૩ ।। અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતરે વરતિ ।। આપાપર ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ ।। ૪ ।। મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી ।। એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી ।। ૫ ।। ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને ।। ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને ।। ૬ ।। ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી ।। ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી ।। ૭ ।। પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ ।। તે દેખી ન શકી દિલે દેવી, હાથ ઝાલી લીધો વાજોવાજ ।। ૮ ।। પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વના શીશ ।। પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઊતરી દેવીને રીશ ।।૯।। જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતી તે વળી ।। નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીએ મળી […] read more
0 Views : 107

ધીરજાખ્યાન કડવું:– પ૦

એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેસી શિબિકાયજી શિબિકાનો વુઢારથી વાટમાં, પડ્યો માંદો આવી તેની ખોટ ।। ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડીદોટ ।। ૨ ।। જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય ।। દિયે તલપ તે દેખીને, તે થડક રાયે ન ખમાય ।। ૩ ।। ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ ।। ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમ ।। ૪ ।। ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમા લાવી વચન ।। ત્યારે જડભરત બોલિયા, સુણ્ય વચન કહું રાજન ।। ૫ ।। અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને ।। તેં જે જે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઈ મુજને ।। ૬ ।। તેં કહ્યું જોઈ આ તનને, તેહ નથી આત્મામાં એક ।। દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક ।। ૭ ।। ત્યારે પૂછ્યું રાયે પિછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી ।। ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી ।। ૮ ।। એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન ।। ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાયે નિદાન ।।૯।। ભાદે વડ ભીંડો તડોવડ્ય છે, સામુ વડથી વધે છે વશેક ।। નિષ્કુળાનંદ નમૂલિયાની, […] read more
0 Views : 92

ધીરજાખ્યાન કડવું:– પ૧

ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી ભારે પીડા પામ્યા પરથી, કરી બહુ બહુ ઉપહાસ ।। ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ ।। ૨ ।। કોઈક નાખે ગોબર ઠોબર, પેશાબ ઈંટ પાણા કઈ ।। કોઈક સંચારે છે સરિયા, પાપી નર પૂઠ્યમાં લઈ ।। ૩ ।। કોઈક તાડે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું ।। શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણું ।। ૪ ।। કે’તા નથી તેનું કોઈને, જાણી જકતના જીવ અજાણ ।। એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ ।। ૫ ।। આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જન વનમાં રહી ।। આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી ।। ૬ ।। સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ ।। આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ ।। ૭ ।। ભકતની રીત જો ભકતમાં, જન જાણો જોઈએ જરૂર ।। પોતાની રીત પરહરી પરી, હરિદાસ ન કરવી દૂર ।। ૮ ।। વેષે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ ।। બોલી દેશી તો બહુ તેમ જ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ ।।૯।। ઓઢી અજીન અંગે સિંહનું, જંબુક કરે જેમ જોર ।। નિષ્કુળાનંદ એહ વાતનો, અંતે નહિ આવે નોર ।।૧૦।। read more
0 Views : 100

ધીરજાખ્યાન કડવું:– પર

વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ।। જયાં જયાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ ।। ૨ ।। એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર ।। દીઠા સામટા સહસ્ર દશ, દક્ષ પ્રજાપતિના કુંવર ।। ૩ ।। તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ ।। તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ ।। ૪ ।। ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂકયાં એહ સ્થાન ।। તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન ।। ૫ ।। તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ ।। મુહૂર્ત ઉપર તમે જયાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ ।। ૬ ।। આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ ।। એહના જેવો આગ્રહ, હરિજનને જોઇએ હંમેશ ।। ૭ ।। કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું ।। કાઢી લેવો કાળમુખથી, એવો ઉપકાર કરવો ઘણું ।। ૮ ।। ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે ।। કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે ।।૯।। આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત ।। નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત ।।૧૦।। read more
0 Views : 81

ધીરજાખ્યાન પદ:– ૧૩

સાચા સંત અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી…સાચા હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી…સાચા ।। ૧ ।। દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે.  સાચા ।। ૨ ।। એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે; દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે.  સાચા ।। ૩ ।। સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીર ક્ષીર કાંકર હીર કરે નિવેડો; નિષ્કુળાનંદ આનંદ પદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો.  સાચા ।। ૪ ।। read more
0 Views : 88

ધીરજાખ્યાન કડવું:– પ૩

એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય ।। વેર કરી વિષયસુખ સાથે, ભજયા શ્રીહરિ સોય ।। ૨ ।। જેહ સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે ।। તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે ।। ૩ ।। ભકત કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ ।। માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ ।। ૪ ।। પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ ।। સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ ।। ૫ ।। ઊંડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની ।। એની પેઠે કરો આપણે, મેલી દિયો ઇચ્છા મનની ।। ૬ ।। નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી ।। જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આંહીંથી ।। ૭ ।। ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી ।। એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી ।। ૮ ।। ઇચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની ।। એવા ભકતની ભગતિ, હરિ વદે નહિ વિમુખની ।।૯।। પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય ।। નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભકત તે ન કહેવાય ।।૧૦।। read more
0 Views : 131
Powered By Indic IME