Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૩

શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ।। દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ।। ૨ ।। વણ તોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ।। સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ।। ૩ ।। તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી ।। મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।। ૪ ।। જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ।। તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ ।। ૫ ।। ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ।। અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય ।। ૬ ।। મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ।। ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ।। ૭ ।। શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ।। શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।। ૮ ।। સંકટના સમૂહ માંહી, દિલે દીનતા આણે નહિ ।। ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ।।૯।। ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ।। નિષ્કુળાનંદ એ ભકત કહિયે, નારાયણના નિષ્કામ ।।૧૦।। read more
0 Views : 302

ધીરજાખ્યાન કડવું:– ૪

જેનાં કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર ।। ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ।। ૨ ।। જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ।। દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર ।। ૩ ।। જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ।। એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે ।। રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ।। ૫ ।। રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ।। તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ।। ૬ ।। વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ।। તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી ।। ૭ ।। જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર ।। ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ।। ૮ ।। જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ ।। ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ।।૯।। એમ ભકત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ।। નિષ્કુળાનંદ એ ભકતનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।। read more
0 Views : 261

ધીરજાખ્યાન પદ:– ૧

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ભકત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભકત ।। ૧ ।। દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભકત ।। ૨ ।। વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે; ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દઢ ધીરે. ભકત ।। ૩ ।। ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે; નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે. ભકત ।। ૪ ।। read more
0 Views : 275

ધીરજાખ્યાન કડવું:– પ

જેહને થાવું હોય હરિભકતજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જકતજી જકત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ ।। શુદ્ધ ભકત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહલાદ ।। ૨ ।। પ્રહલાદ ભકત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત ।। હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયાધુ જેની માત ।। ૩ ।। ગર્ભવાસ માંહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર ।। નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ।। ૪ ।। પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત ।। ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત ।। ૫ ।। આસુરી વિદ્યા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત ।। વિબુધ વામ વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત ।। ૬ ।। ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દીસે છે અસુર ।। મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર ।। ૭ ।। મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ ।। દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ।। ૮ ।। એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર ।। માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર ।।૯।। પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ ।। પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ ।।૧૦।। read more
0 Views : 237

ધીરજાખ્યાન કડવું:– ૬

ત્યારે પ્રહલાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ ।। ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ ।। ૨ ।। પ્રહલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક ।। તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક ।। ૩ ।। ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઈ એ નહિ આપણું કામ ।। એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ।। ૪ ।। ત્યારે પ્રહલાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન ।। મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ।। ૫ ।। ત્યારે શંડામર્ક એમ સમઝ્યા, છે આ વાતમાં વિવાદ ।। એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકોને પ્રહલાદ ।। ૬ ।। મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર ।। ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર ।। ૭ ।। જેને ભજયે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય ।। તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય ।। ૮ ।। અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ ।। તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ।।૯।। ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું ।। નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું […] read more
0 Views : 269

ધીરજાખ્યાન કડવું:– ૭

એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી આ તો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહલાદ તમારો જે તન ।। તે તો ભકત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન ।। ૨ ।। આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ ।। બીજા બાળકને બગાડશે, વળી અવળો ઉપદેશ દઈ ।। ૩ ।। માટે આડી રખાવો એની આજથી, જે ન ચઢે બીજે વેન ।। કુળ આપણામાં કેણે ન કીધું, એવું આદર્યું છે એણે ફેન ।। ૪ ।। ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહલાદને, આવી અવળાઈ તું કાં કરે ।। નાની વયમાં નિઃશંક થઈ, કાંરે કોઈથી નવ ડરે ।। ૫ ।। આપું રાજય તને આજથી, અન્ન ધન સર્વે સમાન ।। ત્રણ લોકમાં કહું તાહરું, કોઈ મોડી શકે નહિ માન ।। ૬ ।। પ્રહલાદ કહે એહ પાપરૂપ, મને ગમતો નથી એહ ગેલ ।। ભજતાં શ્રી ભગવાનને, મને સમુ લાગે છે સે’લ ।। ૭ ।। ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી, માગી લે છે મુખે શીદ મોત ।। માનતો નથી તું માહરું, મરી જાઈશ તું તારા સોત ।। ૮ ।। ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું, તેનો કરવો વિચાર ।। તને તારે મને મારિયો, તેથી પામ્યો છું તું હાર ।।૯।। ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી, તને હણીશ મારે હાથ ।। તારી […] read more
0 Views : 296

ધીરજાખ્યાન કડવું:– ૮

કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઊઠિયા અસુર અનેકજી અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ ।। રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઊગરીએ ।। ૨ ।। અસુર કુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર ।। જેમ મહા અરણ્યને અલ્પ અગ્ન, વળી બાળી કરે છે છાર ।। ૩ ।। માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ ।। જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર નાશ ।। ૪ ।। કાળ છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર ।। માટે એને જો મારિયે, તો સહુ ઊગરિયે અસુર ।। ૫ ।। માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ ।। એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ।। ૬ ।। માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત ।। છેલ્લી આજ્ઞા એ જ છે, કરો એના જીવની ઘાત ।। ૭ ।। એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર ।। મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ।। ૮ ।। નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે ।। તેને પાને પ્રહલાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે ।।૯।। ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મો’ર ।। નિષ્કુળાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર ।।૧૦।। read more
0 Views : 209

ધીરજાખ્યાન પદ:– ર

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ।। ૧ ।। ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દગે. પદાતિ ।। ૨ ।। ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ।। ૩ ।। શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર; નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ।। ૪ ।। read more
1 Views : 244
Powered By Indic IME