Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ચિહ્નચિંતામણિ

દોહા :- સંત સરાહત સ્વસ્તકું, જાતે હોત કલ્યાન ।। દક્ષન પગ સો દેખિયે, પ્રગટ ચિહ્ન પ્રમાન ।। ૧ ।। અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત હે કોટ ।। અંતર આનંદ ઊપજે, લગે ન કાળકી ચોટ ।। ૨ ।। કેતુ હેતુ સંતકે, રહત પવન આધાર ।। તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞાનુસાર ।। ૩ ।। જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે પાપ ।। સદા મુદા મન પાવહિ, અંતર સુખ અમાપ ।। ૪ ।। કરત વશ અંકુશ કરી, મનમેંગળ મગરૂર ।। વારી ફેરી લેત હે, હરિ ચરણે હજુર ।। ૫ ।। જિન જાન્યો રસ જાંબુકો, સરવે રસમહિ સાર ।। અન્ય રસકી ઇચ્છા ટરી, નીરસ ભયો સંસાર ।। ૬ ।। વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક ।। કાળ કર્મકી કલ્પના, છૂટી અંતરસે છેક ।। ૭ ।। નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર ।। પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।। ૮ ।। ત્રિકોણ ચિહ્નકું ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય ।। વસત સદા પદ વામમેં, સંત હરન સંતાપ ।। ૯ ।। ચંચળ મીન પ્રવીન હે, નીરમેં ફરત નિદાન ।। જકત વિરકત રહત હે, તેસે સંત સુજાન ।।૧૦।। સોમ સદા શીતલ કરે, યાકી યાહે રીત ।। દાજત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવત હે ચિત્ત ।।૧૧।। ગોપદમેં યા ગુન હે, જેહિ ચિંતવત હે જન ।। અપાર […] read more
0 Views : 379

અવતારચિંતામણિ

ચોપાઈ :- મતપંથ પર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા ।। મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક ।। ૧ ।। ચાલ્યો પાણીમાં પર્વત પોતે, દેવ દૈત્ય પામ્યા દુઃખ જોતે ।। ત્યારે કચ્છ રૂપે થૈ અકળ, ધર્યો પીઠ પર મંદ્રાચળ ।। ૨ ।। ધારી વરાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતી પાતાળ ।। વળી માર્યો હિરણ્યાક્ષ જેહ, કર્યા ચરિત્ર ઇત્યાદિ તેહ ।। ૩ ।। વામન રૂપ ધરી મહારાજ, બળિ છળ્યો ઇન્દ્રરાજ કાજ ।। વપુ વધારીને વિશ્વ લીધું, પછી બળિને વરદાન દીધું ।। ૪ ।। ધર્યું કપિલતન માત કાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।। ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભકત, કહ્યું માતા પ્રત્યે સાંખ્ય અતિ ।। ૫ ।। જયારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો ।। ઋષિ બેઉના શાપેથી એહ, ગજ ગ્રાહ થયા હતા તેહ ।। ૬ ।। વળી ધરી તન ભગવાન, દીધું ધ્રુવને પોતે વરદાન ।। એહ ધ્રુવાવતાર જાણો, થયા તપે રાજી પરમાણો ।। ૭ ।। વળી કહું અવતાર એક, તેમાં જાણવો અતિ વિવેક ।। અતિ પૃથવી દોહન કર્યું, જયારે પોતે પૃથુતન ધર્યુ ।। ૮ ।। થઈ આપે દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય સનાથ ।। ભજે રાત દિન જિહ્વાએ દત્ત, તેનાં વળે ચોરાશીનાં ખત ।। ૯ ।। થયા હરિ હંસરૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ।। પૂછ્યું બ્રહ્માને સનકાદિકે, હંસે ઉત્તર […] read more
0 Views : 332

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧

સોરઠા :- સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ।। સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।। ૧ ।। સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી ।। કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।। ૨ ।। અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ।। સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।। ૩ ।। સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ।। પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।। ૪ ।। દોહા :- એક વાત અનુપ છે, સાંભળજયો સહુ કોઈ ।। સંશય ન રહે શ્રેયમાં, છે સમજયા સરખી સોઈ ।। ૫ ।। ચોપાઈ :- શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ।। મહામુકત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ।। ૬ ।। સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ।। કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ।। ૭ ।। કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ।। કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે ।। ૮ ।। કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ।। કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ।। ૯ ।। એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના […] read more
0 Views : 352

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૨

દોહાઃ મુકત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન ।। ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન ।। ૧ ।। કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત ।। સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત ।। ૨ ।। સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય ।। બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય ।। ૩ ।। પણ જયારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ।। કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। ચોપાઈ :- ભેખ ભકત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે ।। જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે ।। ૫ ।। કેને ચપટી ચૂર્ણ દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે ।। કેને પોષ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે ।। ૬ ।। કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે ।। કોઈ વસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે ।। ૭ ।। સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે ।। ગાય મહિષી ને ગજ બાજ રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે ।। ૮ ।। કાશીએ જઈ લિયે કરવત રે, તે પણ કલ્યાણ થાવા […] read more
0 Views : 299

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૩

દોહા :- મુમુક્ષુ કહે મુકત સાંભળો, તમે કહી કલ્યાણની રીત ।। પ્રગટ વિના છે પાંપળાં, ખરાખરું કહ્યું ખચિત ।। ૧ ।। પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા ઇચ્છે કલ્યાણ ।। કહું તેને કેમ કરવું, એહ પૂછું છું જોડી પાણ ।। ૨ ।। હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન ।। કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન ।। ૩ ।। વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ ।। તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ ।। ૪ ।। ચોપાઈ :- સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે ।। સાધુ સરવે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે ।। ૫ ।। શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખાં કહું રે ।। સંત સહુ માળાના મણકા રે, એમાં કોણ ઓછા ને અધિકા રે ।। ૬ ।। બાનું જોઈ નમાવિયે શીશ રે, જોઈએ નહિ કરણી એની લેશ રે ।। એમ સાચે મને સંતને સેવે રે, તે તો મોટા સુખને લેવે રે ।। ૭ ।। શાસ્ત્ર શ્રદ્ધાયે કરી સાંભળે રે, તેના સર્વે સંકટ ટળે રે ।। સંત શાસ્ત્રથી કૈક સુધર્યા રે, ભણ્યા સહુ કહે છે ભવ તર્યા રે ।। ૮ ।। એવું સાંભળીને સંશય ટળ્યો રે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે ।। સંત સેવીને […] read more
0 Views : 294

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૪

દોહા :- ત્યારે મુકત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન ।। તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજયો દઈ મન ।। ૧ ।। પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો, હરિ હરિજનનો સંબંધ ।। તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ ।। ૨ ।। જે જે જીવ તર્યા જકતમાં, તેનો કરો વિચારી વિવેક ।। હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક ।। ૩ ।। અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન ।। તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન ।। ૪ ।। ચોપાઈ :- માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે ।। હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે ।। ૫ ।। રહી નહિ ઉધારાની વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે ।। અટકળ અકળ ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે ।। ૬ ।। એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે ।। જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે ।। ૭ ।। એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી રે ।। ખાતે ચોપડે નથી ખોળવી રે, જયારે જોઈએ ત્યારે નિત્ય નવી રે ।। ૮ ।। વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે ।। પ્રભુ પાસળના […] read more
0 Views : 310

કલ્યાણનિર્ણય નિર્ણય:- પ

દોહા :- મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ ।। સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ ।। ૧ ।। પણ એક ભકત આ જકતમાં, તે ભકતના પણ ભગત ।। તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત ।। ૨ ।। જૂજવી રીતે આ જકતમાં, થયા ભકત તે બહુ ભાત ।। તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ।। ૩ ।। પ્રભુ થકી પરાપરું ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત ।। માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત ।। ૪ ।। ચોપાઈ :- સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે ।। સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે ।। ૫ ।। બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે ।। તેના મર્ણ પરણની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે ।। ૬ ।। એમાં સમજો સઈ થઈ ખાટ રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે ।। એમાં આત્માનું શું સયુર્ં રે, સર્વે પંડનું કૂટણું કયુર્ં રે ।। ૭ ।। જોજયો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે ।। પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે ।। ૮ ।। પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે ।। ગૂંથી ગયા છે […] read more
0 Views : 259

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૬

દોહા :- મુકત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર ।। કૃતઘ્નીના એ કામ છે, જે નંદે આગમ અવતાર ।। ૧ ।। સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય ।। તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય ।। ૨ ।। શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ।। નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર ।। ૩ ।। શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું ન પડે કાંઈ ।। ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ ।। ૪ ।। ચોપાઈ :- શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે ।। સતશાસ્ત્ર કહે છે સુરસુખ રે, તેહ પામ્યાં સારુ કરે મખ રે ।। ૫ ।। શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે ।। શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે ।। ૬ ।। શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે ।। શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ રે ।। ૭ ।। શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે ।। લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે ।। ૮ ।। શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન […] read more
0 Views : 277
Powered By Indic IME