Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

યમદંડ કડવું:- ૧પ

પૂર્વછાયો :- વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ ।। ઘમગમાં ચાલતાં, કયાંથી સુખને વિશ્રામ ।। ૧ ।। ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા।। ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા ? ।। ૨ ।। સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ ।। કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ ।। ૩ ।। માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન ।। તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ।। ૪ ।। માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય ।। જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય ।। ૫ ।। જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન ।। તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન ।। ૬ ।। ચોપાઈ :- વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી રે ।। આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે ।। ૭ ।। એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે ।। તેને શૂળ કે સૂત્રની ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે ।। ૮ ।। પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે ।। આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે ।। ૯ ।। પડે પૃથવી ઉપર આપ રે, […] read more
0 Views : 224

યમદંડ કડવું:- ૧૬

પૂર્વછાયો :- હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર ।। પ્રગટ પ્રભુ ભજયા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ।। ૧ ।। સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત ।। પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ।। ૨ ।। ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ ।। જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ ।। ૩ ।। જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર ।। કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર ।। ૪ ।। કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર ।। જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર ।। ૫ ।। કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ ।। ચોરાસીનું નવ ચૂકિયું, તો અમથો કલેશ એહ ।। ૬ ।। હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર ।। દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ।। ૭ ।। જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર ।। ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર ।। ૮ ।। અંડજ ઉદ્ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ ।। એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ।। ૯ ।। કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ ।। શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ।।૧૦।। ચોપાઈ :- શુભાશુભ કર્મ અનુસાર, […] read more
0 Views : 227

યમદંડ કડવું:- ૧૭

પૂર્વછાયો :- વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ ।। તેહ સાંભળતાં શ્રવણે, સહુના તે કંપે દેહ ।। ૧ ।। અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામે છે પ્રાણી અપાર ।। એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર ।। ૨ ।। મનુષ્ય દેહને મૂકતાં, દુઃખ તરત છે એ તૈયાર ।। તેનો ઉપાય અભાગિયા, કાં રે કરો નહિ નરનાર ।। ૩ ।। માથે નગારાં મોતનાં, વાજે છે બહુ વિધ ।। પળે પળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ ।। ૪ ।। બાળ જુવાપણ બે ગયાં, વૃદ્ધપણ વણસતું જાય ।। આજ કાલ્યમાં ઊઠી ચાલવું, સહુ વિચારો મનમાંય ।। ૫ ।। યાંથી અચાનક ચાલતાં, સઈ વસ્તુ આવશે સાથ ।। વણ સમજયે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ ।। ૬ ।। સાચો સમાગમ શોધીને, ટાળો માથેથી એ ત્રાસ ।। નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ ।। ૭ ।। મેં કહ્યું આ જીવને, કુસંગ છે દુઃખરૂપ ।। કુસંગ કહિયે જેહને, કહુ તેહનું હવે સ્વરૂપ ।। ૮ ।। ચોપાઈ :- મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ ।। એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવે છે જનમ વ્યર્થ ।। ૯ ।। કૂડ કપટ દગા ને ઘાત, થાય દેહ સારુ સર્વે વાત ।। છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વારથે પાપ ન ગણે ।।૧૦।। એવું પાપ નથી જગ […] read more
0 Views : 263

યમદંડ કડવું:- ૧૮

પૂર્વછાયો :- સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ।। અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ।। ૧ ।। વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ।। અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ।। ૨ ।। તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ।। તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ।। ૩ ।। વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ।। કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ।। ૪ ।। ચોપાઈ :- સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ।। અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ।। ૫ ।। શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ।। વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ।। ૬ ।। શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ।। કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ।। ૭ ।। નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ।। શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ।। ૮ ।। તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ।। એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ।। ૯ ।। શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે […] read more
0 Views : 266

યમદંડ કડવું:- ૧૯

પૂર્વછાયો :- કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ।। સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ ।। ૧ ।। જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય ।। સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ ।। ૨ ।। જેમ સર્વે સંત તણી, એકરે’ણી ને એક રીત ।। તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત ।। ૩ ।। જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન ।। જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ।। ૪ ।। ચોપાઈ :- હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે ।। જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે ।। ૫ ।। દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે ।। મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે ।। ૬ ।। રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે ।। મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે ।। ૭ ।। વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે ।। બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે ।। ૮ ।। ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે ।। પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે […] read more
0 Views : 252

યમદંડ કડવું:- ૨૦

પૂર્વછાયો :- જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।। હરિજન મગન રહેજયો, એ તો ભોગવશે વિમુખ ।। ૧ ।। પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ।। દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।। ૨ ।। ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય ।। તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય ।। ૩ ।। સમર્થના શરણ વિના, કુશળ કયાં થકી હોય ।। આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ।। ૪ ।। જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ।। લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ।। ૫ ।। જનમ મરણ જયાં લગી, ત્યાં લગી જમનું જોર ।। જમ આવે તિયાં જાણજયો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।। ૬ ।। જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ।। તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।। ૭ ।। શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ।। ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।। ૮ ।। પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ।। અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।। ૯ ।। જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ।। અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।। ચોપાઈ :- જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું […] read more
0 Views : 349

લગ્નશકુનાવલિ

દોહા :- શ્રીસહજાનંદ આનંદકંદ, વંદુ વારંવાર ।। દીનદયાળુ દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ।। ૧ ।। સુમરન કરકે કહત હું, શકુનાવલિ શુભનામ ।। શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભકતકો કામ ।। ૨ ।। મેષ લગન મન ચિંતવી, અજ પૂછત અવિનાશ ।। સુખ લાભ સબહિ મિલે, ઉત્તમ હય યહ રાશ ।। ૩ ।। વૃષભ લગ્ન વિચારીકે, નારદ પૂછત કહે કૃષ્ણ ।। અર્થલાભ સુખ સબ મિલે, જેહી પૂછે તેહી પ્રશ્ન ।। ૪ ।। મિથુન લગ્ન મનમે ધરી, ઉમા પૂછત કહે ઈશ ।। સભા મધ્યે સુખ નહિ મિલે, હય ચિંતા કષ્ટ કલીશ ।। ૫ ।। કર્ક લગ્ને કર જોરકે, જમદગ્ન પૂછત અજ કહે ।। લાભે દેપુનિ સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ।। ૬ ।। સિંહ લગ્ને સહદેવ પૂછે, ભીષ્મ કહે ભરી ભાવ ।। વિચરત સિદ્ધિ પાવહિ, વિષ્ણુકે ગુણ ગાવ ।। ૭ ।। કન્યા પૂછે કાલિકા, સરસ્વતી કહત હે સોય ।। સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ।। ૮ ।। તુલા લગ્ન જાની તેહિ, ઋષિ પૂછત કહે દેવ ।। દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહિ, હે વેર નહિ તતખેવ ।। ૯ ।। વૃશ્ચિક લગ્ને ગૌતમ પૂછે, પિનાકી કહે સોય ।। હૈયે ચિતવે સો હોયગે, પુનિહે વેર કહું તોય ।।૧૦।। ધન લગ્ને ગાલવ પૂછે, શંકર કહે સમજાય ।। એ કારજ હોશે સહી, લાભ હોય યહ […] read more
0 Views : 334

પુષ્પચિંતામણિ

દોહા :- પિયા ચલે પરદેશકું, મહા દુઃખ દૈ ગયે મોય ।। અબ કબ દેખું કમળને, તરહિ ડગરા જોય ।। ૧ ।। મેરે મન ઐસી ભયી, સદા રહુંગી સંગ ।। સુખમેં દુઃખ દેખ્યો નહિ, રચિ હું કુસુંબો રંગ ।। ૨ ।। મેં ફુલી મિલ પીવકું, જેસે ફુલી જાય ।। મધુકર પિયા મકરંદ લેહિ, ગયે સો ફેર ન આય ।। ૩ ।। અબ કબ પિયા આવહિ, મેં વ્રહે વશ કરું પોકાર ।। જબ પિયા દેખું તબ પોહપકો, કઠે આરોપું હાર ।। ૪ ।। કયા કરું કિત જાઉં સખી, પિયા ન આયે મુજ પાસ ।। દેખું ફૂલ ગુલદાવદી, અંતર ભયે ઉદાસ ।। ૫ ।। વૃંદાવનમેં મેં ગયે, દેખી આંબાકો મોર ।। પાઘ પિયાકી સાંભરી, રહ્યા ન હૃદિયા ઠોર ।। ૬ ।। તું મત બેહેકે કેવડા, મોહિ વ્રહ ઉપજત વાસ ।। દિલ દિવાની ડોલહું, પિયા ન આયે મુજ પાસ ।। ૭ ।। કયા કહું તોયે કેતકી, તે તો રહી જો ફૂલ ।। પિયા મેરા પરદેશ હે, સોઈ ગઈ કયું ભૂલ ।। ૮ ।। કેશર નહિં તું કેશરી, નાહિ ફૂલ એહ નોર ।। મોયે એકિલી જાનકે, મારત હે આ ઠોર ।। ૯ ।। તે કહું ગુલસોમના, લેનેકું મોહિ પ્રાન ।। આ અવસરમેં એકિલી, તબ મારત તું બાન ।।૧૦।। પિયા ગયે પરદેશકું, મેં એકિલી નાર ।। […] read more
0 Views : 278
Powered By Indic IME