Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ગઢડા મઘ્ય ૫ : પતિવ્રતા અને શૂરવીરપણાનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મુનિ તાલ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન બંધ રખાવીને બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે,જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્‍ત્રી હોય તેને પોતાનો પતિ વૃઘ્‍ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્‍ત્રીનું મન કોઇ બીજા પુરૂષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્‍ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઇ ધસાતું બોલે તે ઠેકાણે કાયર થઇને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઇને જવાબ દેવો, પણ પાજીપડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદૃષ્ટિ જોઇએ’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્યાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના […] read more
0 Views : 422

ગઢડા મઘ્ય ૬ : હૂંડીનું, ચિત્તના સ્વભાવનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વેદિ ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે જે, ‘ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બેય સરખાં જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, તેમજ તુલસીને બીજાં ઝાડ તે સરખાં જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બેય સરખાં જણાય છે અને એકાદશીને દિવસ ભુખ્‍યા રહ્યા ને બીજે દિવસ ભુખ્‍યા રહ્યા એ બેય સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ એ બેય સરખા જણાય છે, તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરૂષ કહેવાયા તેમણે શા સારૂં શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્‍ટમતિવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમો આ પ્રશ્ર્ન પુછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરૂષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્‍પિત છે […] read more
0 Views : 423

ગઢડા મઘ્ય ૭ : દરિદ્રીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્‍વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્‍ય સ્‍વભાવ રહી જાય છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,” જેને વૈરાગ્‍યની દુર્બળતા હોય તેને ટાળ્‍યાની શ્રઘ્‍ધા હોય તોય સ્‍વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ધણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્‍છે પણ તે કયાંથી મળે ? તેમ વૈરાગ્‍ય હીન હોય તેના હૃદયમાં ઇચ્‍છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.” પછી વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે,” જેને વૈરાગ્‍ય ન હોય તે શો ઉપાય કરે ત્‍યારે વિકાર ટળે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વૈરાગ્‍યહીન હોય તે તો કોઇ મોટા સંત હોય, તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, આ બિચારો વૈરાગ્‍ય રહિત છે તેને કામક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્‍કાળ ટળી […] read more
0 Views : 345

ગઢડા મઘ્ય ૮ : એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ પ્રાત-: કાળને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ સંત પ્રત્‍યે બોલ્‍યા જે, “એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતી છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્‍દ્રિયો અને અગિયારમું મન તેને અંતર સન્‍મુખ કરીને પોઢયા હતા. તે સમયમાં નાડીજંધનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્‍યો. પછી ભગવાનના એકાદશ ઇન્‍દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્‍પન્ન થઇ, ત્‍યારે મુરદાનવ કન્યા પ્રત્‍યે બોલ્‍યો જે, ‘ તું મને વર્ય.’ પછી કન્યા બોલ્‍યાં જે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે ‘જે મને યુદ્ધમાં જીતે તેને હું વરૂં’ પછી મુરદાનવને અને કન્યાને યુદ્ધ થયું, ત્‍યારે કન્યાએ મુરદાનવનું મસ્‍તક ખડગે કરીને કાપી નાખ્‍યું. પછી ભગવાને પ્રસન્ન થઇને તે કન્યાને કહ્યું જે, ‘તું વર માગ’ ત્‍યારે તે કન્યાએ વર માગ્‍યો જે, મારા વ્રતને દિવસે કોઇ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇંદ્રિયોના તેજમાંથી પ્રકટ થઇ માટે મારૂં નામ એકાદશી છે અને હું તપસ્‍વિની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્‍દ્રિયો તેનો જે આહાર તે કોઇ કરે નહિ.’ આવું એકાદશીનું વચન […] read more
0 Views : 450

ગઢડા મઘ્ય ૯ : સ્વરૂપનિષ્ઠાનું – અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ મશરૂના ચાકળા ઉપર વિરાજમાન હતા, ને તે સમે આનંદાનંદસ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્‍તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંઘ્‍યો હતો, તથા કમરે જરકસી શેલું બાંઘ્‍યું હતું તથા ગુઢા અસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્‍યો હતો, અને હાથે રાખડિયો બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, ”કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”લ્‍યો પરમેશ્વરની વાર્તા કરીએ,” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, ‘કોઈ રીતે ભગવાનના સ્‍વરૂપનો દ્રોહ થાય નહિ,’ અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનના સ્‍વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છુટકો થાય, પણ ભગવાનના સ્‍વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છુટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્‍ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશે રાખવું જે,’સર્વેોપરી ને સદા દિવ્‍ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્‍વરૂપ છે તે જ મને […] read more
0 Views : 430

ગઢડા મઘ્ય ૧૦. નિશ્વયરૂપી ગર્ભના જતનનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફુલવાડીને મઘ્‍યે આંબાના વૃક્ષની હેઠે વેદિ છે તે ઉપર ઉત્તરાદું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને શ્રીજી મહારાજે સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભકિત ન હોય તો ભગવાનનું સ્‍વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્‍કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્‍યાં પણ ભગવાનનું સ્‍વરૂપ ભકિતહીન હોય તેને નિરાકાર સમજાય છે પણ ભગવાનનું સ્‍વરૂપ નિરાકાર નથી, કાં જે, ભગવાન થકી જ સર્વ સ્‍થાવર જંગમ સૃષ્‍ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્‍ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્‍વી થકી ધટાદિક આકાર થાય તેવા થતા નથી. તેમ બ્રહ્માદિક જે સૃષ્‍ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ, એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્‍વરૂપ છે એમ કહ્યું છે, તેની વાત કરીએ તે સાંભળો. અઘ્‍યાત્‍મ જે વિરાટ પુરૂષનાં ઇન્‍દ્રિયો અને અધિભૂત જે તેનાં પંચમહાભૂત અને અધિદૈવ […] read more
1 Views : 399

ગઢડા મઘ્ય ૧૧ : કર્મ માત્ર ભકિતરૂપ થયાનું, આમયો યેન ભૂતાનાંનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદી ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેનેજ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્‍યુલોક તેને વિષે ભોગવીને પછી ત્‍યાંથી પડે છે. ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વ સાત્‍વિકી, રાજસી ને તામસી થાય છે, ને તે કર્મનું ફળ સ્‍વર્ગ, મૃત્‍યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ, અને જ્યારે મોક્ષ ન થાય ત્‍યારે જન્‍મ મરણ અને નરકનું દુ:ખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્‍છા તેનો ત્‍યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એજ શુભ કર્મ છે તે ભકિતરૂપ […] read more
0 Views : 284

ગઢડા મઘ્ય ૧૨ : રાજનીતિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કરીશું તેમાં એકજ સાધન કલ્‍યાણને અર્થે કહીશું. તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્‍યાણનું સાધન છે તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે, ‘કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે.’ એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્‍ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્‍યાદિક કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ.  એતો જીવે મૂર્ખાઇએ કરીને પોતાને વિષે માની લીધાં છે. માટે જેને પરમપદ પામવા ઇચ્‍છવું તેને કાંઇક પોતાને વિષે પુરૂષાતન રાખવું પણ છેક નાદાર થઇને બેસવું નહિ અને એમ વિચાર કરવો જે,”જેમ આ દેહમાં ચાર અંત:કરણ છે,દશ ઇન્‍દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્‍મા છું.” તે પણ આ દેહને વિષે છું, તે સર્વ થકી અધિક છું, ને એ સર્વનો નિયંતા છું, પણ એમ […] read more
0 Views : 223
Powered By Indic IME