પૂર્વછાયો :- એહ નરકથી નીસર્યો, બહુ વરસ રહી બા’ર ।। ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર ।। ૧ ।। વજ્રકંટક શાલ્મલી, નામે નરક નિદાન ।। જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઈ કાન ।। ૨ ।। પાપી પરત્રિય પશુ આદિ, કરે કામવશ પ્રસંગ ।। એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ ।। ૩ ।। સ્પર્શના જો સુખ સારુ, કર્યો ધર્મનો તે લોપ ।। તેની ઉપર દૂત જમના, કરે છે અતિશય કોપ ।। ૪ ।। સમું કહેતાં વસમું, સમજતો નર સોય ।। વજ્રકંટકે વસિયો, જયાં સા’ય ન કરે કોય ।। ૫ ।। વજ્ર સરીખે કાંટે કહિયે, શાલ્મલીનાં ઝાડ ।। તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ ।। ૬ ।। દેતાં દંડ જમદૂત હારે, ત્યારે જ આવે અંત ।। ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજયો બુદ્ધિવંત ।। ૭ ।। એમ પ્રાણી ભોગવે, નિત્ય પ્રત્યે દુઃખ અનંત ।। ત્યાંથી પડે વૈતરણીએ, ભાઈ કહું તેનું વરતંત ।। ૮ ।। ચોપાઈ :- આલોકે નૃપ નૃપના જન રે, સતકુળમાં થયા ઉત્પન્ન રે ।। પણ ધર્મ મર્યાદાને ભાંગી રે, વર્તે અધર્મે નર અભાગી રે ।। ૯ ।। એવા રાજા ને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્ય રે ।। જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોઈ રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે ।।૧૦।। માંસ ત્વચાએ ભરી […]
read more