Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો :- શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન; સિદ્ધવલ્લભ  ભૂપાળને,  તહાં  આપ્યું  પોતાનું  જ્ઞાન.1 ચોપાઈ :- નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને; નદીમાં  આવ્યું  પાણીનું  પુર,  તોય  આસન  નવ  કર્યુ  દૂર.2 જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા; હતો  સેવક  ગોપાળદાસ,  ટાળ્યો  તેહનો  અભિચારત્રાસ.3 ગજ  કાળપુરુષનું  દાન,  એક  વિપ્રે  લીધું  તેહ  સ્થાન; હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો.4 રહ્યા  ત્યાં  હરિ  ચાતુરમાસ,  પછી  ત્યાં  થકી  કીધો  પ્રવાસ; કેટલાએક  સિદ્ધ  ઉમંગે,  ચાલ્યા  શ્રીઘનશામને  સંગે.5 આવી  પર્વત  વન  તણી  ઝાડી,  રહે  તેમાં  અઘોરી  અનાડી; તે  તો  માણસને  ખાઇ  જાય,  પણ  કૃષ્ણને  દેખી  પળાય.6 પછી  જઇ  પરશુરામકુંડ,  નાજાયા  નાથ  ને  સિદ્ધનું  ઝુંડ; ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા.7 તેની  પાસે  વસે  એક  ગામ,  તેના  બાગમાં  કીધો  વિરામ; ગામમાં  એક  વિપ્ર  છે  વામી,  સર્વ  જાદુગરોનો  તે  સ્વામી.8 કૈક  જોગી  જતીને  હરાવ્યા,  કૈક  પંડિત  દ્વિજને  ડરાવ્યા; તેનું  નામ  પ્રસિદ્ધ  પિબેક,  જેણે  જીતેલા  સિદ્ધ  અનેક.9 તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો; સર્વે  સિદ્ધને  વીદાય  કરી,  ત્યાંથી  એકલા  ચાલિયા  હરી.10 નામે  નવલખો  પર્વત  જેહ,  હરિએ  દીઠો  દૂરથી  તેહ; જેમાં  કળિયુગ  ન  કરે  પ્રવેશ,  એવો  એ  છે  પવિત્ર  પ્રદેશ.11 જેમાં  જોગી  વસે  નવ  લક્ષ,  કરે  ફળ  જળ  પત્રનો  ભક્ષ; તપ  જ્ઞાન  ને  વૈરાગ્યવંત,  સત્યવાદી  […] read more
0 Views : 335

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો :- ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત; આવિયું એક અરણ્ય ત્યા, જેનો જોતાં જડે નહિ અંત.1 ચોપાઈ :- ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જયાં નહિ વાસ; વસે  મૃગલાં  ને  સસલાં  શિયાળ,  વસે  વાઘ  વરુ  વિકરાળ.2 વસે  અજગર  અરણા  પાડા,  વસે  વાનર  કેરા  અખાડા; વસે  હાથી  હજારો  હજાર,  પશુ  વનચરનો  નહિ  પાર.3 કયાંઇ ઝાડી દિસે ચારે પાસ, તેમાં ન પડે રવિનો પ્રકાશ; આવે ક્ષારભૂમિ વળી કયાંય, નહિ ઝાડ કે તૃણ પણ ત્યાંય.4 ઊંચા  ડુંગર  કયાંઇક  દિસે,  કયાંઇ  કોતર  ઊંડાં  અતિશે; કયાંઇ ભૂત ને પ્રેત ભમે છે, કયાંઇ રાક્ષસ રણમાં રમે છે.5 શિખરિણીવૃત્ત :- જટાધારી   જાણી   પરવતસુતાવાહન   નમ્યા, નિહાળીને  વજ્ર  પ્રભુપદ  ગજોને  મન  ગમ્યા; ધનુર્ધારી  ધારી  નિરખી  કપિ  ભાલૂ  ખુશી  થયા, દીઠો  હસ્તે  દંડો  મહિષ  યમ  જાણી  નમી  ગયા.6 ચોપાઈ :- તપે  જયારે  સૂરજનો  તાપ,  ત્યારે  અવની  તપે  છે  અમાપ; શશી શીતળ ચિહ્ન છે પગમાં, તેથી પગ ન તપે જ મારગમાં.7 એમ  ચાલતાં  તે  વનમાય,  કૈક  વીતિ  ગયા  દિન  ત્યાંય; દીઠો  ત્યાં  વટવૃક્ષ  નિરોગી,  હતા  ત્યાં  એક  ગોપાળજોગી.8 તે  તો  અષ્ટાંગજોગને  સાધી,  પ્રભુ  સમરે  સજીને  સમાધી; તેને  હરિએ  કહ્યું  ધરી  નેહ,  કરો  ત્યાગ  આ  ભૌતિક  દેહ.9 નિજજ્ઞાન  આપી  ઘનશામ,  પછી  મોકલ્યા  અક્ષરધામ; પંચરત્નનો  ગોટકો  જેહ,  હતો  ગોપાળજોગીનો  તેહ.10 દેહ તજતાં પ્રભુને તે દીધો, હેત જાણીને હરિએ તે લીધો; અંતે  તે  ગુટકો  […] read more
1 Views : 326

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો :- ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ  ચરિત્રની વાત; મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1 ચોપાઈ :- હૃદકાંઠે  ચાલ્યા  દિનરાત,  મળી  ત્યારે  જોગીની  જમાત; શત  પાંચ  દિગંબર  દિસે,  ગુરુ  એક  મોટો  તેહ  વિષે.2 તેણે  સાધેલો  જોગ  કહાવે,  સર્વ  શિષ્યોને  જોગ  સધાવે; એક  શિષ્યે  કહી  એવી  વાત,  ગુરુ  સિદ્ધ  છે  આ  સાક્ષાત.3 એણે  સિદ્ધ  કર્યો  હઠજોગ,માટે  નવ  નડે  કાળ  કે  રોગ; જયારે  કાળ  લેવા  તેને  આવે,  બ્રહ્મરંધ્રે  તે  પ્રાણ  ચડાવે.4 તેથી  કાળ  ન  ફાવે  લગાર,  થયાં  જોગીને  વર્ષ  હજાર; મળ્યા  જોગીને  શ્રીઘનશામ,  પાંચ  દિવસ  ઠર્યા  તેહ  ઠામ.5 એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ; ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે.6 હઠજોગ  તો  સાધ્યો  છે  એણે,  નથી  રાખી  કચાશ  જ  તેણે; ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર.7 ક્રિયા  જે  જે  કરે  છે  તે  રાય,  અહિં  બેઠાં  મને  તે  દેખાય; મળ્યા  આપણે  બે  સાક્ષાત,  તે  તો  રાજાએ  જાણી  છે  વાત.8 માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી; ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો કયાંય ?9 સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી; તોય  પૂછો  છો  નરતનું  ધારી,  માટે  હું  કહું  વાત  અમારી.10 આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઇ જનનો ન […] read more
0 Views : 376

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો :- મંદિર  બદરીનાથનું,  તહાં  આસન  કરીને  અકાંત; ધ્યાનમુદ્રાએ  ધર્મસુત,  બેઠા  શરીર  મન  કરી  શાંત.1 ચોપાઈ :- એવે  અવસરે  બદરીનાથે,  પૂરા  હેતથી  પોતાને  હાથે; ધર્મપુત્રનું  પૂજન  કીધું,  ધૂપ  દીપ  ને  નૈવેદ્ય  દીધું.2 પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી; અહો  અક્ષરપતિ  મહારાજ,  ધર્યું  તન  ધર્મસ્થાપન  કાજ.3 ભરતભૂમિમાં  સઘળે  ફરશો,  સર્વે  તીરથ  પાવન  કરશો; સારો  ઉદ્ધવનો  સંપ્રદાય,  પ્રસરાવશો  પૃથવીમાંય.4 તજે  અષ્ટ  પ્રકારે  જે  નારી,  એવા  કરશો  સાધુ  બ્રહ્મચારી; તમે  પશ્ચિમ  દેશ  વિચરશો,  મોટાં  મંદિર  સુંદર  કરશો.5 ભરતખંડમાં  આજ  ઠેકાણે,  મારી  મૂર્તિ  તે  કોઇક  જાણે; માટે  ગુજરાત  મધ્યે  વિચારી,  પધરાવશો  મૂર્તિ  અમારી.6 વળી  લક્ષ્મીનારાયણ  આદિ,  પધરાવશો  કૃષ્ણરાધાદિ; એવાં  વચન  કરીને  ઉચાર,  થયા  અંતરધાન  તે  ઠાર.7 ઉપજાતિવૃત્તિ :- એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક; ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8 આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે; એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9 તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ; મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10 ધર્મ  પ્રવર્તાવનને  જ  કાજ,  તમે  ધર્યો  છે  પ્રભુ  દેહ    આજ; આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11 મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ […] read more
0 Views : 354

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૩

ઉપજાતિવૃત્ત :- હે  ભૂપતિ  શ્રીહરિ  છે  સુજાણ,  પ્રભાતમાં  ઊઠી  કરે  પ્રયાણ; કદાપિ માગે જનપાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા.1 આહાર કયારે ફળનો કરે છે, કયારેક તો પેટ જળે ભરે છે; કરે  પ્રભુજી  દિવસે  પ્રવાસ,  વસે  નિશાયે  વનમાં  જ  વાસ.2 એવી  રીતે  તે  વિચર્યા  વિદેશ,  ઉલંઘિયાં  ગામ  પુરો  વિશેષ; વીત્યા ઘણા વાસર એમ જયારે, તે નૈમિષારણ્ય ગયા જ ત્યારે.3 કાલિંદિ ગંગાતટ ભાગ એહ, ગણાય છે પૃથ્વી પવિત્ર જેહ; જયાં નિર્મળી ધેનુમતિ નદી છે, નિવાસ ત્યાં સૌ સુરસાથ ઇચ્છે.4 મુનિ તણા આશ્રમ ત્યાં અનેક, મળ્યા મુનિ સૌ ગણિ ઇષ્ટ એક; લેતાં  સગાં  દર્શનસુખ  જેહ,  દીધું  મુનીને  લઇ  ત્યાંથી  તેહ.5 સર્વે  મુનિને  મન  ધૈર્ય  દીધું,  વિજોગનું  કષ્ટ  વિનાશ  કીધુ; કરી  તહાં  વાસર  ચાર  વાસ,  પછી  પધાર્યા  કરવા  પ્રવાસ.6 આવ્યું જતાં શ્રીપુરનામ ગામ, આદિત્ય અસ્તંગત એહ ઠામ; સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો.7 મહાંતજી  તે  મઠમાં  રહે  છે,  તે  આવીને  શ્રીહરિને  કહે  છે; હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો.8 આવો જમો ભોજન રૂડીભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે; ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો.9 કહું દયા અંતર માંહિ આણી, માનો મહારાજ અમારી વાણી; કહે હરિ કાંઇ ધરૂં ન ત્રાસ, વસ્તિ વિષે તો ન ગમે નિવાસ.10 ઇચ્છા નથી ભોજનની  અમારે, […] read more
0 Views : 344

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૨

પૂર્વછાયો :- હે  નરપતિ  હું  હવે  કહું,  હરિના  વિચરણની  વાત; ચાલ્યા  પ્રભુ  વટ  વૃક્ષથી,  થયું  પ્રગટ  જયારે  પ્રભાત.1 ચોપાઈ :- જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ; પ્રભુ  તીર્થોને  પાવન  કરશે,  સઉ  અસુર  તણો  મદ  હરશે.2 વેદધર્મનો  કરશે  પ્રકાશ,  થશે  દેવોનાં  સંકટ  નાશ; સર્વ  દુષ્ટનો  કરશે  સંહાર,  ભૂમિકેરો  ઉતારશે  ભાર.3 પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ; થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4 તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા; મન  નિશ્ચે  કરે  શેષનાગ,  મારાં  પ્રગટિયાં  પૂરણ  ભાગ્ય.5 જે  મેં  પૃથ્વી  ધારી  છે  શીશ,  તેના  ઉપર  ફરશે  મુનીશ; પૃથ્વી  કરશે  ચરણરજરૂપ,  સદા  તે  શિર  ધરીશ  અનૂપ.6 વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ; પ્રભુ  પોઢતા  મંદિરમાંય,  ત્યારે  નવ  થતાં  દર્શન  ત્યાંય.7 વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી; હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8 જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી; જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9 વળી  મેઘ  કરે  છંટકાવ,  ભલો  પ્રભુપદમાં  ધરી  ભાવ; વળી  મંદ  સુગંધ  ને  શીત,  એવો  વાયુ  વહે  હરિ  હીત.10 જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે; જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11 શોષે  મેઘનું  […] read more
0 Views : 287

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૧

વનવિહારનામ તૃતીય કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીવરણીન્દ્રવેષ  ધરીને  જે  તીર્થમાં  જૈ  ફર્યા, દૈવીને  નિજજ્ઞાનદાન  દઇને  દુષ્ટો  વિનષ્ટો  કર્યા; હીમાદ્રી  પુરુષોત્તમાખ્ય  પુરી  જૈ  શ્રીસેતુબંધે  ગયા, કાંચીથી  ગુજરાત  પ્રાંત  થઇને  જે  લોજમાં  જૈ  રહ્યા.1 ઉપજાતિવૃત્ત :- વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત; શ્રીશામ જયારે ઘરથી સિધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા.2 જયારે ન જોયા ઘરમાં હરિને, જોયાં બીજાં સ્થાનક તે ફરીને; સરિત્તટે  ને  સુરમંદિરોમાં,  ક્રીડા  કર્યાની  સઘળી  જગોમાં.3 આશા મળ્યાની મનથી તજીને, કહ્યું જઇ રામપ્રતાપજીને; જોયું અમે સ્થાન બધે ફરીને, દીઠા નહીં કોઇ સ્થળે હરિને.4 તે સાંભળીને પડી પેટ ફાળ, લાગી રુદેમાં વિરહાગ્નિ ઝાળ; ભોજાઇ ભાઇ ભયભીત થૈને, રુએ ઘણાં સાસ ઉસાસ લૈને.5 પછી  જઇ  રામપ્રતાપજીયે,  જોયું  પુરીમાં  વળતી  નદીયે; જોઇ જઇને સહુ ફૂલવાડી, જોવા તણી સર્વ મણા મટાડી.6 પછી ઉદાસી થઇ ઘેર આવ્યા, પ્રભુ તણી ભાળ કશી ન લાવ્યા; કુટુંબ  સૌને  ઉપજયો  કલેશ,  રહી  નહીં  ધીરજ  ચિત્ત  લેશ.7 થયા ઉદાસી પુરવાસી લોક, સૌને થયો ચિત્ત અથાગ શોક; રહ્યાં ઘરોઘેર સુઅન્ન રાંધ્યાં, શોકે સહુ ઊપર બાણ સાંધ્યાં.8 દિસે અયોધ્યાપુર આજ કેવું, આત્મા વિના હોય શરીર જેવું; રુવે જનો બાળક ને જુવાન, વૃદ્ધો તણી તો ગઇ શુદ્ધ સાન.9 રુએ અતિશે વળી ભાઇ છોટા, ભાઇ ગયા કયાં મુજથી જ મોટા; માતા પિતા તો ગતબાળ મેલી, મેં જાણ્યું મારો ઘનશામ બેલી.10 […] read more
0 Views : 591

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૮

ઉપજાતિવૃત્ત :- હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી; જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1 શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે; શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2 વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય; માટે  નહી  હું  બહુ  વર્ણવીશ,  અપૂર્વ  લીલા  તુજને  કહીશ.3 સર્વજ્ઞ  છે  શ્રીહરિ  બ્રહ્મચારી,  તથાપિ  છે  માનવ  દેહધારી; સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી.4 વિદ્યા ભણવા વિષે :- હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી; પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે.5 ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય; બાળાપણે  જે  ન  ભણેજ  જૈને,  જરૂર  પસ્તાય  જુવાન  થૈને.6 જે  પત્ર  નિર્જીવ  દિઠે  જણાય,  વિદ્વાનની  પાસ  સજીવ  થાય; આકાશ  પાતાળ  ભવિષ્યવાત,  કહી  બતાવે  જડપત્ર  જાત.7 જે  પુત્રને  તાત  નહીં  ભણાવે,  બાળાપણે  લાડ  ઘણાં  લડાવે; તે  પુત્રનો  શત્રુ  પિતા  ગણાય,  જુવાન  થાતાં  સુતને  જણાય.8 આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો; પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો.9 વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન; પાંખો તથા બે પગ દોડવાના, કયાંથી મળે ભૂતળ બેય વાનાં.10 પક્ષી છતાં પોપટ જો ભણે […] read more
0 Views : 364
Powered By Indic IME