Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૩

દોહા :- કર  જોડી  નરપતિ  કહે,  અહો  અચિંત્યાનંદ; કહો  કથા  હરિકૃષ્ણની,  સુણી  ટળે  દુઃખદ્વન્દ્વ.1 કહે   અચિંત્યાનંદજી,   ધન્ય   ધન્ય   ધરણીશ; શ્રવણ ભકિત ભલિ ભાળીને, આપું શુભ આશીષ.2 આઠ  ભુજા  ને  આઠ  પદ,  ખટ  મુખ  લોચન  બાર; તુજ  મનમાં  ત્રણ  મૂર્તિ  તે,  સદા  વસો  કરી  પ્યાર.3 એક  સહસ્ત્ર  ને  ઉભય  મુખ,  ષટ  કર  ને  પદ  ચાર; તે  તમારી  રક્ષા  કરે,  પૂચ્છ  એક  ધરનાર.4 ચોપાઈ :- સુણો  ભૂપ  અભેસિંહભાઇ,  કહું  કૃષ્ણકથા  સુખદાઇ; મહુવામાં  ગયા  મહારાજ,  કૈક  જીવનાં  કલ્યાણ  કાજ.5 તહાં  લક્ષ્મીનારાયણ  કેરું,  એક  મંદિર  સારું  ઘણેરું; હનુમાનની  દેરી  છે  જયાંય,  દીઠું  આંબલીનું  ઝાડ  ત્યાંય.6 કર્યુંઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન; બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું.7 બાવા ફુલવણકેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી; નદી  માળણને  તટ  સારો,  તલગાજરડાનો  છે  આરો.8 કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન; નદી  માળણ  પાવન  કરી,  જોગસાધન  ત્યાં  કર્યું હરી.9 મવાબંદરને   મહારાજે,   તીર્થર્રૂપ   કર્યું  જનકાજે; ગામ  ડોળિયે  જૈ  હરિ  ખમ્યા,  વિપ્ર  વિઠ્ઠલને  ધેર  જમ્યા.10 ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ; તેને  પૂર્વતટે  વિના  વાડ્ય,  રુડું  એક  રોહણનું  છે  ઝાડ.11 થોડીવાર  બેસી  તેહ  ઠામ,  ગયા  ગુણનિધિ  ચાંચવે  ગામ; ત્યાંથી  પૂર્વે  તળાવ  છે  ત્યાંનું,  પૂર્વતટ  તરુ  છે  રુખડાનું.12 બેઠા  બે  ઘડી  ત્યાં  બળવંત,  પછી  ત્યાંથી  ચાલ્યા  […] read more
1 Views : 458

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- રર

પૂર્વછાયો :- દીનદયાળ  દિયોરથી,  ચાલી  ગયા  લાકડીયે  ગામ; ચૌટાવચે  ત્યાં  ચાલિયા,  હસતે  મુખે  ઘનશામ.1 ઠક્કર  ખોજા  પ્રેમજી,  હાટે  બેઠા  હતા  તે  વાર; ઘાસની  ગૂંથેલી  સાદડી,  પાથરી  હતી  ઘણી  સાર.2 હે  નૃપ  ઓળખો    એહને,  કારભારી  શ્રીહરિના  જાણ; લાધો  ઠક્કર  ગઢપુર  તણા,  ભાઇ  પ્રેમજી  તેના  પ્રમાણ.3 તેને  હસીને  કોઇયે  કહ્યું,  આપો  જોગીને  સાદડી  એહ; પ્રેમજી  કહે  મહાજોગી  જો,  કોઈ  મળે  તો  આપું  તેહ.4 હસીને  બોલ્યા  શ્રીહરિ,  જોગી  જોઇ  વળો  સહુ  ઠાર; અમ  જેવા  જોગી  નહિ  મળે,  કોટિ  બ્રહ્માંડની  મોઝાર.5 એમ  કહી  હસી  ચાલિયા,  હરિ  ગયા  નાને  ગોપનાથ; જળ  ચડાવી  શંભુને,  ગયા  પીપરલે  મુનિનાથ.6 ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન; તેને  જઇ  હરિએ  કહ્યું,  આપો  અમને  તો  સિદ્ધાન્ન.7 ત્યારે  તે  દ્વિજની  નારીયે,  કર્યો  રોટલો  હરિને  કાજ; પછી  તેમાં  ઘી  પૂરીને,  કહ્યું  જમો  તમે  મહારાજ.8 ચોપાઈ :- બેઠા જમવાને જીવન જયારે, મુખકમળ વિકાશિયું ત્યારે; નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું.9 દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત; સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં.10 દીઠા  સૂર્ય  શશી  ગ્રહ  તારા,  દીઠા  મેઘ  વૃષ્ટિ  કરનારા; દીઠા થાવર જંગમ પ્રાણી, દીઠાં વન નગ પૃથ્વી અજાણી.11 એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર; કર્યું ઉરમાં  એવું  અનુમાન,  નરદેહ  ધર્યો  ભગવાન.12 કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો […] read more
0 Views : 641

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૧

પૂર્વછાયો :- કુકડગામથી  ચાલિયા,  ગયા  દિયોર  ગામ  દયાળ; જઇને ચોરામાં ઊતર્યા, જન જોવા મળ્યાં વૃદ્ધ બાળ.1 ઉપજાતિવૃત્ત :- પ્રભુ તહાં પથ્થર જોઇ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા; દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો.2 સંસાર આ સ્વપ્નસમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો; આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3 સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે; જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4 સંસારકેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી; તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5 માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ; કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6 ચોપાઈ :- વાત  સાંભળીને  શુભ  પેર,  જનો  ચાલ્યા  ગયા  નિજ  ઘેર; ભાવસારની  ભામિની    એક,  જેના  ઉરમાં  વિશેષ  વિવેક.7 તેનો  બાળક  મુળજી  નામ,  બન્ને  ઊભાં  હતાં  એહ  ઠામ; કર્યો  બાઇયે  ચિતમાં  વિચાર,  તપસી  રહ્યા  છે  નિરાહાર.8 પૂછે  ભોજનનું  નહીં  કોઇ,  આણી  આપું  હું  એને  રસોઇ; લેવા તપસીને વિનંતિ કરી, લાવી આપ્યું બેડું જળ ભરી.9 પ્રીતે  પોતાના  પુત્રને  સંગે,  શીધું  મોકલ્યું  અધિક  ઉમંગે; જમ્યા રાંધીને ઇશ અનાદી, આપી એહને શિષ્ટ પ્રસાદી.10 અવશેષ  પ્રસાદી  તે  લઇ,  માતા  પુત્ર  જમ્યાં  ઘેર  જઇ; પુત્ર  પાસે  સાંજે  કેજાવરાવ્યું,  જોગી  […] read more
0 Views : 383

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૦

પૂર્વછાયો :- વર્ણી  કહે  અભેસિંહજી,  તમે  સુણો  થઇ  સાવધાન; ભૂપતિ ભગવાનસિંહનું, એક ઉત્તમ કહું આખ્યાન.1 ચોપાઈ :- ભૂપ  ભગવાનસિંહજી  જેહ,  ગામ  કૂકડના  ધણી  તેહ; ક્ષત્રિ  ગોહેલ  કુળના  ગણાય,  બુદ્ધિમાન  તે  જોતાં  જણાય.2 પણ  ઇશ્વરનું  નહીં  જ્ઞાન,  રહે  સંસારમાં  સાવધાન; એક  ચારણ  મળિયો  તેને,  વેર  શ્રીહરિ  ઉપર  એને.3 મહા  અસુર  તણો  અવતાર,  પણ  વાણીથી  મન  હરનાર; આડું  અવળું  એણે  સમજાવ્યું,  વૈર  શ્રીહરિ  સાથે  ઠરાવ્યું.4 હરિને  નિત્ય  પ્રાતઃકાળ,  દેતો  ચારણ  તે  શત  ગાળ; ભૂપ  સાંભળતો  કરી  હાસ,  જમે  તે  પછી  બેસી  બે  પાસ.5 પીયે  હોકા  ને  ખાય  અફીણ,  બેય  એમ  થયા  મતિહીણ; આપે  ચારણને  તે  પગાર,  હરિનો  ડર  ન  ધરે  લગાર.6 એક  અવસરે  રાતને  ટાણે,  ભૂપ  સુતેલો  શયન  ઠેકાણે; કાંઇ સ્વપ્ન ને કાંઇક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્ભુત લાગ્યો.7 દીઠા  સુંદર  શ્રીઘનશ્યામ,  વસ્ત્ર  ભૂષણ  અંગે  તમામ; સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સામી ઉગામી.8 કૃષ્ણ બોલ્યા કરી ઘણો ક્રોધ, કેમ રાખો છો અમશું વિરોધ ? તમારું શું બગાડ્યું છે અમે ? ગાળો કેમ ભંડાવો છો તમે ?9 દૂત  જમના  કહો  તો  દેખાડું,  જમપુર  કહો  તો  પહોંચાડું; અમ  ઉપર  રાખે  જે  વેર,  પામે  પીડા  તે  તો  ઘણી  પેર.10 દેવરાવશો  જો  હવે  ગાળ,  નકી  જાણજો  આવિયો  કાળ; સુણી  ઉપજયો  ભૂપને  ત્રાસ,  કાયા  કંપે  ને  નાંખે  નિશ્વાસ.11 પદ વંદી બોલ્યા તેહ સ્થાન, ભૂલ્યો ભૂલ્યો હું […] read more
0 Views : 459

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો :- ધોળેરા  થકી  ધર્મસુત,  ચાલી  ગયા  ગોરાસે  ગામ; પશ્ચિમ  તીર  તળાવને,  ખોડિયાર  દેવી  જે  ઠામ.1 ચોપાઈ :- રહે  ત્યાં  સેવાગર  ગોસાંઇ,  દિસે  દૈવીપણું  દિલમાંઇ; પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ.2 ગયા  ત્યાં  થકી  વાગડ  ગામ,  હતો  એક  કુંભાર  તે  ઠામ; રાણો  બાવળવો  જ  વિખ્યાત,  તેને  ઘેર  રહ્યા  હરિ  રાત.3 ઘણી  મૃત્તિકા  ત્યાં  પડી  હતી,  સૂતા  તે  ઉપરે  પ્રાણપતિ; કુંભકારે  તો  ગોદડું  દીધું,  પણ  તે  ધર્મપુત્રે  ન  લીધું.4 બીજે  દિવસ  ઊઠી  બળવાન,  ભીમનાથ  ગયા  ભગવાન; નીલકા  નદીમાં  કર્યું સ્નાન,  કરી  નિત્ય  ક્રિયા  તેહ  સ્થાન.5 ભીમનાથનાં  દર્શન  કરી,  સદાવ્રત  લઇને  જમ્યા  હરી; ગયા પોલાર પર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ.6 તેજ  દિવસ  તેની  માતાનું,  હતું  ખર્ચ  જનોને  જમ્યાનું; જોગીરાજને  તપશી  જાણી,  આપી  ઉત્તમ  સુખડી  આણી.7 ગયા  લૈને  તળાવને  તીર,  કાઢ્યું  ત્યાંના  કુવામાંથી  નીર; ખીજડા  તળે  આસન  કીધું,  જમ્યા  સુખડી  ને  જળ  પીધું.8 પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી; પુરવાસી  કરે  જળપાન,  થાય  નિર્મળ  બુદ્ધિ  નિદાન.9 તે  કુવાને  પ્રસાદીનો  જાણી,  મહિમા  મોટો  મનમાં  આણી; સુત  ત્રીકમ  ને  શા  ઝવેર,  તેણે  બંધાવ્યો  છે  રુડીપેર.10 બરવાળે  ગયા  ગિરધારી,  દીઠી  દેરી  નદીતટ  સારી; ગામ    કુંડળ  જયાંથી  જવાય,  રહ્યા  તે  દેરીમાં  મુનિરાય.11 રુડી  રીતે  રહી  એક  રાત,  પ્રભુ  ઉઠીને  ચાલ્યા  પ્રભાત; વળા ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી.12 ત્યાંથી  […] read more
0 Views : 374

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  ચાલ્યા  બુધેજથી  બળવંત; ગામ ગોરાડ ગયા હરિ, જેનો અંત ન પામે અનંત.1 ચોપાઈ :- ગામથી  દિશા  દક્ષિણમાંય,  એક  સારું  તળાવ  છે  ત્યાંય; હતો  પીપળો  પણ  તેહ  ઠામ,  બેઠા  તે  તળે  સુંદરશામ.2 એક  કોળી  તે  બીજલ  નામ,  કોસ  હાંકી  રહ્યો  તેહ  ઠામ; પાણી  થોડું  તે  કુવા  મોઝાર,  હતું  ઊંડું  તે  હાથ  અઢાર.3 તેનું  કારણ  જાણવું  એવું,  હતું  વર્ષ  દુકાળના  જેવું; ઘનશામ  ગયા  કૂપતીર,  એવે  ટાંણે  ઊંચુ  આવ્યું  નીર.4 લીધું    નાથે  કમંડલું  ભરી,  દીઠું  બીજલે  દષ્ટિએ  કરી; નીર  ભરતી  હતી  ઘણી  નારી,  દીઠું  તેણે  ઉંચુ  ચડ્યું  વારી.5 પાણી પીને ચાલ્યા પરમેશ, ચાલી ગામામાં વાત વિશેષ; કહે  કોઇ  આવ્યા  ભગવાન,  કહે  કોઇ  છે  શંભુ  સમાન.6 સુણી  સૌ  જન  અચરજ  પામે,  એ  જ  વાત  કરે  ઠામોઠામે; પણ  આસુરી  જન  જેહ  જાણે,  જંત્ર  મંત્ર  કે  જાદુ  પ્રમાણે.7 દૈવી  તો  ધરે  દર્શન  આશ,  પટેલ  શામજી  ને  પ્રભુદાસ; ક્ષત્રિ કાંધોજી પણ ત્યાં આવ્યા, પ્રભુ પાછળ પંથે સિધાવ્યા.8 સામે ગામથી ભરવાડ આવ્યો, તેને ત્રણે મળીને બોલાવ્યો; કહ્યું તપસી મળ્યા તને કોઇ, સુણી બોલ્યો તે સન્મુખ જોઇ.9 એક તપસી અધર ચાલ્યો જાય, તેને તમથી નહીં પહોચાય; સુણી  સર્વે  નિરાશ  તે  થયા,  પાછા  ગામ  પોતાતણે  ગયા.10 પ્રભુ  પાદર  પાસ  નિકળ્યા,  અદેસીંહ  ગરાશિયા  મળ્યા; કહ્યું  તેણે  હે  તપસીરાજ!  ચાલો  ગામમાંહી  રહો  આજ.11 નથી  રહેવું  હરિ  […] read more
0 Views : 342

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  કૃષ્ણકથા  સુખકંદ; જે  સુણતાં  જન  જાતિના,  ટળે  જન્મ  મરણના  ફંદ.1 ચોપાઈ :- લાલદાસનું  કલ્યાણ  કરી,  મહીકાંઠેથી  ચાલિયા  હરિ; આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2 વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય; તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3 મારે  ઘેર  ચાલો  મહારાજ,  મારા  પૂરો  મનોરથ  આજ; એવું  સાંભળી  દેવના  દેવ,  તેને  ઘેર  ગયા  તતખેવ.4 પંડ્યે  પાટ  ઉપર  પધરાવ્યા,  પછી  નીર  ઉને  નવરાવ્યા; હેતે  પૂજીને  હાર  ચડાવ્યો,  ભાવે  ભોજનથાળ  ધરાવ્યો.5 રોટલો  અને  મઠની  દાળ,  જમ્યા  ભાવથી  જનપ્રતિપાળ; કોટિ  જજ્ઞ  તણું  ફળ  આપ્યું,  જન્મમરણનું  સંકટ  કાપ્યું.6 ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ; ત્યાંથી  નાથ  ગયા  છે  ડાકોર,  દીઠા  ડાકોરના  તે  ઠાકોર.7 કરી  રણછોડરાયની  ભેટ,  ત્યાંથી  નાથ  ગયા  ઉમરેઠ; જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8 શિવદર્શને  સાયંકાળ,  આવ્યા  વિપ્ર  ત્યાં  બે  ખેડાવાળ; એક  તો  દવે  નરભેરામ,  બીજા  ઠાકર  તે  રૂપરામ.9 પ્રેમે  શંકરને  પગે  લાગે,  ભગવાનને  મળવાનું  માગે; દીઠા  તેઓએ  શ્રીઘનશામ,  મનવૃત્તિ  તણાણી  તે  ઠામ.10 જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે; તેમ  જીવ  જે  દૈવી  જણાય,  પ્રભુમાં  તેનું  ચિત્ત  તણાય.11 બન્ને  બ્રાહ્મણોએ  તેહ  ઠામ,  પ્રેમે  કીધો  પ્રભુને  પ્રણામ; ફળાહાર  મંગાવીને  દીધો,  કૃપાનાથે  અંગીકાર  કીધો.12 બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન; વળી  ત્યાંથી  આવ્યા  વરતાલે,  પ્રભુ  બેઠા  તળાવની  […] read more
0 Views : 385

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો :- વર્ણી  કહે  વસુધાપતિ,  સુણો  અંતર  ધરીને  ઉમંગ; વળી  કહું  એક  વારતા,  શુદ્ધ  જાણી  કથાનો  પ્રસંગ.1 ચોપાઈ :- થયો  વિક્રમ  વસુધાધીશ,  વીત્યાં  વર્ષ  તો  શત ઓગણીશ; પછી  સોળમી  સાલ  ગણાઇ,  માસ  ચૈત્ર  આવ્યો  સુખદાઇ.2 કશિયાભાઇયે  કરી  પ્રીત,  રઘુવીર  તેડ્યા  રુડી  રીત; જાણ્યો ભકતનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ.3 ભાઇ  સદ્ગુરુ  આતમાનંદ,  શુકમુનિ  ગુણાતીતાનંદ; અદ્ભુતાનંદ  આનંદાનંદ,  અક્ષરાનંદ  પવિત્રાનંદ.4 વર્ણી  નારાયણાનંદ  નામ,  હતો  હું  પણ  સાથે  તે    ઠામ; હતાં  સંતનાં  મંડળ  ઘણાં,  વૃંદ  પાળા  ને  હરિજન  તણાં.5 સૌની  સેવા  ઘણો  સ્નેહ  ધરી,  કશિયાભાઇએ  બહુ  કરી; એક  અવસરે  પ્રભાતમાંય,  કથાવાર્તા  થતી  હતી  ત્યાંય.6 એક  ચોપડી  કીર્તનકેરી,  જેમાં  રેશમી  પાટી  ઘણેરી; લઇ  બેઠા  હતા  સાધુ  કોઇ,  આતમાનંદ  સ્વામીએ  જોઇ.7 ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્ગુરુ સૌ મુજ વાણી; સર્વ  છૈયે  શ્રીજીના  મળેલા,  ધર્મ  શ્રીજીમુખે  સાંભળેલા.8 દત્તપુત્ર  પ્રભુ  તણા  જેહ,  બિરાજે  છે  આ  પ્રત્યક્ષ  તેહ; તેમ  છતાં  રજોગુણ  લેશ,  કરે  ત્યાગીમંડળમાં  પ્રવેશ.9 એ  તો  અતિ  અઘટિત  કહેવાય,  ઘટે  સંત  તણો  મહિમાય; રવિ કિરણો છતાં અંધકાર, જયારે વ્યાપે તે મુલક મોઝાર.10 ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય; સંતે  માયાને  કીધી  ખુવાર,  વેર  વાળવા  તે  છે  તૈયાર.11 કળિજુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો તે બળવાન થાશે; સતસંગમાં  કરશે  પ્રવેશ,  માટે  ચેતતા  રહેવું  હંમેશ.12 એક અવસરે સાધુમાં કોઇ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઇ; […] read more
1 Views : 326
Powered By Indic IME