પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, કરું કૃષ્ણકથા ઉચ્ચાર; પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર.1 ચોપાઈ :- ભલી રીતે પ્રથમ ભગવાન, કર્યું કુંડ દામોદરે સ્નાન; પછી રેવતીકુંડમાં નાહ્યા, કુંડ પાવન કરવા ચહાયા.2 દામોદરજીને મંદિર જઇ, કર્યા દર્શન હર્ષિત થઇ; ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા.3 કહ્યું આંહિ રહો તમે રાત, સુણી બોલ્યા હરિ સાક્ષાત; આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઇ વનમાં.4 ત્યારે પૂજારી કહે પ્રભુપાસ, વનમાં બહુ વાઘનો ત્રાસ; ઘણા આંહિ અઘોરી ફરેછે, તે તો જન તણો ભક્ષ કરે છે.5 વળી બોલિયા વિશ્વઆધાર, કોઇ અમને નથી હણનાર; એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા.6 વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ; રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો.7 પ્રભુપાસે રહ્યો આખી રાત, જન જોવા મળ્યા પરભાત; વાઘ જોઇ રહે હરિ સામે, જન જોઇને અચરજ પામે.8 પછી શ્રીહરિએ સાન કરી, ગયો વનમાં પ્રદક્ષિણા ફરી; દામોદરજીના પુજારી જેહ, તેણે દીઠો ચમતકાર તેહ.9 પ્રભુપદ જઇ કીધો પ્રણામ, તેડી ગયા દામોદરધામ; રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત.10 તેને દેવ દામોદરરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે; પછી ત્યાં થકી વીદાય થયા, ભગવાન ભવેશ્વરે ગયા.11 પછી વાવ્ય ચડાની છે જયાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય; ત્યાંથી આવ્યો ગિરિનો ચડાવ, દીઠો ડુંગરકેરો દેખાવ.12 ઉપજાતિવૃત્ત :- […]
read more