Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૩૧

પૂર્વછાયો:- સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જેહ; ભૂપ અભેસિંહ સાંભળો, તમને સુણાવું તેહ. 1 ચોપાઈ:- સભામધ્યે રામાનંદ સ્વામી, કહે સૌ જનને મુદ પામી; મહિમા જેતપુરનો જેહ, તમે સાંભળો સૌ ધરી સ્નેહ. 2 છપૈયા વિષે જનમ્યા હરિ, પીપળાણા માંહી દીક્ષા ધરી; જેતપુરમાં પામ્યા પટ્ટદાન, માટે ત્રણેનો મહિમા સમાન.3 જયારે જનમ્યા છપૈયે ગામ, પડ્યું નામ તહાં ઘનશામ; પીપળાણામાં દીક્ષા લીધી, સહજાનંદ સંજ્ઞા તે કીધી. 4 સ્વામીપદ પ્રભુ પામિયા આહીં, મોટો મર્મ ધરો મન માંહી; જેતપુર મોટું તીરથ જેવું, નહિ કાશી કે કેદાર તેવું. 5 કરે તીરથ જો ધરી પ્યાર, થાય અધમનો આંહી ઉદ્ધાર; સતસંગી વસે જેહ દૂર, એક વાર તો આવે જરૂર. 6 કરી તીર્થ આ લીલા સંભારે, તે તો ઉતરે ભવજળ પારે; ભદ્રા ગંગાનો મહિમા મોટો, ગંગા ગોમતિનો તેથી છોટો. 7 જેમાં નાયા જગત આધાર, અમે નાયા એમાં ઘણી વાર; નાયા હરિજન સંતસમાજ, થયું તેથી આ તો તીર્થરાજ. 8 આંહી શ્રદ્ધાથી શ્રાદ્ધ જે કરશે, ઘણા પૂર્વજ એના ઉદ્ધરશે; કરી સ્નાન ને કરશે દાન, તેનું ફળ થશે મેરુ સમાન. 9 જમાડે આંહિ બ્રાહ્મણ સંત, ફળ તેનું તો થાય અનંત; જપ તપ વ્રત આંહી કરાય, તેના સિદ્ધ મનોરથ થાય. 10 કરે એક તીરથ ઉપવાસ, ફળ તો ઉપવાસ પચાસ; સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન મતિમાન. 11 મહિમા ઉચ્ચરી એવી રીતે, પછી […] read more
0 Views : 282

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। દીક્ષાનામ ચતુર્થ કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more
0 Views : 369

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૭

પૂર્વછાયો :- વણિક  ગોવરધન  કહે,  સુણો  શ્રીપુરુષોત્તમ  આપ; ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1 ચોપાઈ :- તેને  ઇશ્વરનું  હતું  જ્ઞાન,  નિત્ય  ધરતી  પ્રભુતણું  ધ્યાન; નામ  મંત્ર  તણો  જપ  કરતી,વ્રત  વિવિધ  પ્રકાર  આચરતી.2 ઘણાં  તીર્થનું  સેવન  કીધું,  મોટા  સંતને  ભોજન  દીધું; કર્યા  પુણ્ય  તેણે  ઘણાં  એમ,  કુંભીપાક  વિષે  પડી  કેમ  ?3 સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત,  તેના  પાપ  તણી  કહું  વાત; ધરમાદા  તણું  ધન  જેહ,  હતા  પાસા  સોના  તણા  તેહ.4 રામાનંદસ્વમીએ  વિચારી,  એહ  બાઇને  સોંપ્યા  સંભારી; તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5 ત્યારે  બોલી  વચન  તે  બાઇ,  નથી  મારી  પાસે  ધન  કાંઇ; સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6 દીધો  સ્વામીએ  બહુ  ઉપદેશ,  તોય  માન્યું  નહિ  લવલેશ; એવું  કાંચન  છે  મહાપાપી,  બુદ્ધિ  જનની  બગાડે  કદાપી.7 ઘરબાર  તજી  વન  જાય,  તોય  ધનથી  કદી  લલચાય; હરિભકતપણું  ભલું  ધરે,  તન  મન  ધન  અર્પણ  કરે.8 તેને  પણ  ધનધર્મથી  પાડે,  કુંભીપાકનાં  દુઃખ  દેખાડે; ગુરુનું  સોનું  ઓળવ્યું  એણે,  કુંભીપાક  વિષે  પડી  તેણે.9 ભકિતપુત્ર  કહે  ભગવાન,  સુણો  ગોવરધન  ગુણવાન; કહું  પાપ  તણા  બે  પ્રકાર,  ધર્મશાસ્ત્ર  તણે  અનુસાર.10 ઉપપાતક  જે  પાપ  છોટાં,  મહાપાતક  જે  પાપ  મોટાં; માંસભક્ષક  ને  ગૌઘાત,  ઉપપાતકમાં  છે  તે  ભ્રાત.11 મહાપાતક  પાંચ  ગણાય,  મદ્યપાન  ને  બ્રહ્મહત્યાય; ત્રીજું  ગુરુપત્ની  સંગ  કરે,  ચોથું  હેમ  ગુરુતણું  હરે.12 એવાનો  […] read more
1 Views : 546

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૬

પૂર્વછાયો :- અનુપ  આખા  ગામ  છે,  તેને  પાદર  પૂરવ  દીશ; આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઇશ.1 ચોપાઈ :- ત્યાંથી  મઢડે  ગયા  મહારાજ,  જેઠામેરનું  કરવાને  કાજ; જેઠામેર  ઉપર  કરી  મેર,  ઘનશામ  રહ્યા  તેને  ઘેર.2 તેણે  સેવા  સજી  ઘણી  સારી,  પાળે  નિષ્કામવ્રત  નરનારી; સૂતા  રાત્રીમાં  શ્રીઘનશામ,  જેઠામેરે  જોયું  તેહ  ઠામ.3 બ્રહ્મા  શંભુને  ઇન્દ્ર  અપાર,  આવેલા  વંદવા  તેહ  વાર; રમા રાધા આદિ ઘણી શકિત, સજે ભાવ ધરી ભલી ભકિત.4 કોઇ  તો  થાળ  ધરે  છે  લાવી,  કોઇ  આરતી  ઉતારે  આવી; કોઇ  તો  ગુણગાન  કરે  છે,  કોઇ  સ્નેહે  સ્તુતિ  ઉચ્ચરે  છે.5 જેઠોમેર  અને  તેની  નારી,  નિરખે  મૂરતી  ચિત્ત  ધારી; ત્યારે  બ્રહ્માએ  વેણ  ઉચાર્યા,  ધન્ય  માત  ને  તાત  તમારાં.6 ઘણા  જન્મ  કર્યું તપ  જેહ,  આજ  આવી  મળ્યું  ફળ  એહ; ઘન્ય  ધન્ય  તમે  નર  નારી,  ભલાં  કીધાં  તમે  તપ  ભારી.7 અભેસિંહ  કહે  મુનિરાય,  મને  એતો  સુણાવો  કથાય; જેઠોમેર  તથા  તેની  નારી,  તેણે  તપ  શું  કર્યું એવું  ભારી  ?8 જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં; કહે  વર્ણી  સુણો  ધરણીશ,  જેઠામેરની  વાત  કહીશ.9 શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત; તમ  આગળ  તે  હું  ઉચારું,  શ્રોતામાં  સર્વોપરી  હું  ધારું.10 કૃતયુગ  થકી  તે  નરનાર,  ધર્યા  ભૂતળ  બહુ  અવતાર; પતિ  પત્નિ  થયાં  બધે  ઠામ,  વ્રત  પાળ્યું  સદા  નિષ્કામ.11 આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો […] read more
0 Views : 357

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- રપ

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કરું  કૃષ્ણકથા  ઉચ્ચાર; પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર.1 ચોપાઈ :- ભલી  રીતે  પ્રથમ  ભગવાન,  કર્યું કુંડ  દામોદરે  સ્નાન; પછી  રેવતીકુંડમાં  નાહ્યા,  કુંડ  પાવન  કરવા  ચહાયા.2 દામોદરજીને  મંદિર  જઇ,  કર્યા  દર્શન  હર્ષિત  થઇ; ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા.3 કહ્યું  આંહિ  રહો  તમે  રાત,  સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત; આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઇ વનમાં.4 ત્યારે  પૂજારી  કહે  પ્રભુપાસ,  વનમાં  બહુ  વાઘનો  ત્રાસ; ઘણા આંહિ અઘોરી ફરેછે, તે તો જન તણો ભક્ષ કરે છે.5 વળી  બોલિયા  વિશ્વઆધાર,  કોઇ  અમને  નથી  હણનાર; એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા.6 વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ; રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો.7 પ્રભુપાસે  રહ્યો  આખી  રાત,  જન  જોવા  મળ્યા  પરભાત; વાઘ  જોઇ  રહે  હરિ  સામે,  જન  જોઇને  અચરજ  પામે.8 પછી  શ્રીહરિએ  સાન  કરી,  ગયો  વનમાં  પ્રદક્ષિણા  ફરી; દામોદરજીના  પુજારી  જેહ,  તેણે  દીઠો  ચમતકાર  તેહ.9 પ્રભુપદ  જઇ  કીધો  પ્રણામ,  તેડી  ગયા  દામોદરધામ; રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત.10 તેને  દેવ  દામોદરરૂપે,  દીધું  દર્શન  વૃષકુળભૂપે; પછી  ત્યાં  થકી  વીદાય  થયા,  ભગવાન  ભવેશ્વરે  ગયા.11 પછી વાવ્ય ચડાની છે જયાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય; ત્યાંથી  આવ્યો  ગિરિનો  ચડાવ,  દીઠો  ડુંગરકેરો  દેખાવ.12 ઉપજાતિવૃત્ત :- […] read more
0 Views : 698

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૪

પૂર્વછાયો :- શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ; ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ.1 ચોપાઈ :- ભલી રાયણતળે શિલા ભાળી, કર્યુંઆસન શ્રીવનમાળી; જન  જે  નિજ  આગળ  આવે,  તેને  શાસ્ત્રની  વાત  સુણાવે.2 નિત્ય  કુંડ  વિષે  કરે  સ્નાન,  તીર્થ  પાવન  કરવાનું  તાન; વિપ્ર  ત્યાં  તો  હતો  એક  સારો,  દેલવાડા  વિષે  વસનારો.3 હતો  નાતે  તે  નાગર  ગોર,  ભનોપાઠક  દ્વિજ  શિરમોર; નિત્યપ્રત્યે  પ્રભુ  તેને  ઘેર,  જમી  આવે  જઇ  રુડીપેર.4 તેણે પૂછ્યું તમારું શું નામ ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ; મારું  નામ  છે  સહજાનંદ,  સુણી  ઉપજયો  અધિક  આનંદ.5 શેષશાયી  મંદિર  બ્રહ્મચારી,  જમાડે  હરિને  સાધુ  ધારી; તેનું  નામ  છે  નૃસિંહાનંદ,  તેની  આગળ  બોલ્યા  મુકુંદ.6 તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો; સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી.7 પણ જળ નથી રેજાતું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે; કુંડે  નીર  રહે  બારે  માસ,  સુણી  બોલિયા  શ્રીઅવિનાશ.8 હવે રહેશે ઘણાકાળ પાણી, થઇ સુફળ તે શામની વાણી; એવી  રીતે  રહ્યા  દોઢ  માસ,  કીધો  આપ  પ્રતાપ  પ્રકાશ.9 ત્યાંથી  ઉને  ગયા  નરવીર,  ત્રણ  દિવસ  વસ્યા  સરતીર; પુરથી  વળી  પશ્ચિમમાંય,  સારી  વાવ્ય  દીઠી  એક  ત્યાંય.10 તેમાં  જૈ  હરિએ  કર્યું સ્નાન,  વળી  પ્રીતે  કર્યું જળપાન; હંસરાજ  ને  શેઠ  ગણેશ,  પ્રીતે  સેવ્યા  તેણે  પરમેશ.11 તેનો  દેખીને  પૂરણ  પ્યાર,  શામે  સેવા  કરી  અંગિકાર; ત્યાંના  લોકોને  ચમતકાર,  […] read more
0 Views : 352

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૩

દોહા :- કર  જોડી  નરપતિ  કહે,  અહો  અચિંત્યાનંદ; કહો  કથા  હરિકૃષ્ણની,  સુણી  ટળે  દુઃખદ્વન્દ્વ.1 કહે   અચિંત્યાનંદજી,   ધન્ય   ધન્ય   ધરણીશ; શ્રવણ ભકિત ભલિ ભાળીને, આપું શુભ આશીષ.2 આઠ  ભુજા  ને  આઠ  પદ,  ખટ  મુખ  લોચન  બાર; તુજ  મનમાં  ત્રણ  મૂર્તિ  તે,  સદા  વસો  કરી  પ્યાર.3 એક  સહસ્ત્ર  ને  ઉભય  મુખ,  ષટ  કર  ને  પદ  ચાર; તે  તમારી  રક્ષા  કરે,  પૂચ્છ  એક  ધરનાર.4 ચોપાઈ :- સુણો  ભૂપ  અભેસિંહભાઇ,  કહું  કૃષ્ણકથા  સુખદાઇ; મહુવામાં  ગયા  મહારાજ,  કૈક  જીવનાં  કલ્યાણ  કાજ.5 તહાં  લક્ષ્મીનારાયણ  કેરું,  એક  મંદિર  સારું  ઘણેરું; હનુમાનની  દેરી  છે  જયાંય,  દીઠું  આંબલીનું  ઝાડ  ત્યાંય.6 કર્યુંઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન; બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું.7 બાવા ફુલવણકેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી; નદી  માળણને  તટ  સારો,  તલગાજરડાનો  છે  આરો.8 કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન; નદી  માળણ  પાવન  કરી,  જોગસાધન  ત્યાં  કર્યું હરી.9 મવાબંદરને   મહારાજે,   તીર્થર્રૂપ   કર્યું  જનકાજે; ગામ  ડોળિયે  જૈ  હરિ  ખમ્યા,  વિપ્ર  વિઠ્ઠલને  ધેર  જમ્યા.10 ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ; તેને  પૂર્વતટે  વિના  વાડ્ય,  રુડું  એક  રોહણનું  છે  ઝાડ.11 થોડીવાર  બેસી  તેહ  ઠામ,  ગયા  ગુણનિધિ  ચાંચવે  ગામ; ત્યાંથી  પૂર્વે  તળાવ  છે  ત્યાંનું,  પૂર્વતટ  તરુ  છે  રુખડાનું.12 બેઠા  બે  ઘડી  ત્યાં  બળવંત,  પછી  ત્યાંથી  ચાલ્યા  […] read more
1 Views : 458

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- રર

પૂર્વછાયો :- દીનદયાળ  દિયોરથી,  ચાલી  ગયા  લાકડીયે  ગામ; ચૌટાવચે  ત્યાં  ચાલિયા,  હસતે  મુખે  ઘનશામ.1 ઠક્કર  ખોજા  પ્રેમજી,  હાટે  બેઠા  હતા  તે  વાર; ઘાસની  ગૂંથેલી  સાદડી,  પાથરી  હતી  ઘણી  સાર.2 હે  નૃપ  ઓળખો    એહને,  કારભારી  શ્રીહરિના  જાણ; લાધો  ઠક્કર  ગઢપુર  તણા,  ભાઇ  પ્રેમજી  તેના  પ્રમાણ.3 તેને  હસીને  કોઇયે  કહ્યું,  આપો  જોગીને  સાદડી  એહ; પ્રેમજી  કહે  મહાજોગી  જો,  કોઈ  મળે  તો  આપું  તેહ.4 હસીને  બોલ્યા  શ્રીહરિ,  જોગી  જોઇ  વળો  સહુ  ઠાર; અમ  જેવા  જોગી  નહિ  મળે,  કોટિ  બ્રહ્માંડની  મોઝાર.5 એમ  કહી  હસી  ચાલિયા,  હરિ  ગયા  નાને  ગોપનાથ; જળ  ચડાવી  શંભુને,  ગયા  પીપરલે  મુનિનાથ.6 ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન; તેને  જઇ  હરિએ  કહ્યું,  આપો  અમને  તો  સિદ્ધાન્ન.7 ત્યારે  તે  દ્વિજની  નારીયે,  કર્યો  રોટલો  હરિને  કાજ; પછી  તેમાં  ઘી  પૂરીને,  કહ્યું  જમો  તમે  મહારાજ.8 ચોપાઈ :- બેઠા જમવાને જીવન જયારે, મુખકમળ વિકાશિયું ત્યારે; નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું.9 દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત; સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં.10 દીઠા  સૂર્ય  શશી  ગ્રહ  તારા,  દીઠા  મેઘ  વૃષ્ટિ  કરનારા; દીઠા થાવર જંગમ પ્રાણી, દીઠાં વન નગ પૃથ્વી અજાણી.11 એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર; કર્યું ઉરમાં  એવું  અનુમાન,  નરદેહ  ધર્યો  ભગવાન.12 કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો […] read more
0 Views : 641
Powered By Indic IME