Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સારસિદ્ધિ પદ:- ૩

રાગ :- રામગરી વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર । તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।। અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય । તો તનઅભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।। કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય । તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય; વા’લિ૦ ।।૩।। ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય । નિષ્કુલાનંદ જેને ઉપજયો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 151

સારસિદ્ધિ કડવું:- ૧૩

રાગ :- ધન્યાશ્રી તીવ્રવૈરાગ્યની ધાર છે તિખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી। કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ્ય એની નથી જાતિ લેખીજી ।।૧।। રાગ :- ઢાળ લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ । વણ અંગે એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ।।ર।। પણ જેના પંડયમાં એ પ્રગટે, રટે નિરંતર તે રામ । અંતર ઉંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ।।૩।। વસ્તી વન ભવનનું, ભીતર રહ્યું નથી ભાન । વીસરી ગઈ છે વાત બીજી, રે’તાં ર્મૂૃિતમાં ગુલતાન ।।૪।। વર્ણ આશ્રમ જાતનું, નથી જાણ પણું જરાય । નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ।।પ।। કવિ કોવિદ પંડિત પણું, પરઠતાં પણ પરઠાય નહિ । તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક હરિર્મૂિતમાં રહી ।।૬।। હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરૂં । હરિ ર્મૂિતમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરૂં ।।૭।। જેમ ચઢે ઉંચે કોઇ અંબરે, તેતો ભૂમિ આકાર ભાળે નહિ । તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ।।૮।। જે વસ્તુતાએ વસ્તુ નથી, તે વસ્તુ કેવી કે’વાય । એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય ।।૯।। તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું । નિષ્કુલાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યેપણ નથી ભાવતું ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 137

સારસિદ્ધિ કડવું:- ૧૪

રાગ :- ધન્યાશ્રી તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી । અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે જેમાંજી ।।૧।। રાગ :- ઢાળ જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે । વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।। પણ જેના પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય । તેહના અંગમાંહિ ૨અજાનો, રે’વા તે ન દિયે ભાગ ।।૩।। જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ । તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।। વિશલ્યકર્ણિ ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી । તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય અચિરથી ।।પ।। જેમ સુરાખારને અરઘે કરી, ગોળી ગળિને નિસરે બાર । તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર ।।૬।। સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં । તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।। સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે । તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ નિસરે ।।૮।। બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે । પણ તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।। તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધિને કરે છે શુદ્ધ । નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।। read more
0 Views : 146

સારસિદ્ધિ કડવું:- ૧પ

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી । શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી ।।૧।। રાગ :- ઢાળ ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ । વૈરાગ્ય વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।। બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો ઠરીને । વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને ।।૩।। જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ । તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।। પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું । જેણે કરી પિયુ પામિયે, વામીયે  મેણુ દૂવાગનું ।।૫।। વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી । મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।। વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો એહ । તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ ।।૭।। ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ । એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।। પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ, તેહ વિના તોળિ તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।। વારમવાર વિચારી કરી, મોટપ્ય વૈરાગ્યની લૈ લખી । નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 155

સારસિદ્ધિ કડવું:- ૧૬

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી । પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી ।।૧।। રાગ :- ઢાળ પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ । તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।। જેજે શોભ્યા આ જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું । પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું ।।૩।। વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા । વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા ।।૪।। શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર । વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।। વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ । વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ।।૬।। શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું । જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ।।૭।। જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર । તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।। કોઇ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથિરના । પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ।।૯।। તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ । નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 141

સારસિદ્ધિ પદ:- ૪

રાગ :- રામગરી તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન । જપ તપ તીર્થ જોગ જે,  કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।। દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન । પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।। પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ । અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।। બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય । નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 127

સારસિદ્ધિ કડવું:- ૧૭

રાગ :- ધન્યાશ્રી જેને ઉર ઉપજયો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી । નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે મહાસુખમાં જાગ્યજી ।।૧।। રાગ :- ઢાળ મોટિ જાગ્ય જડેછે જનને, તેતો જાણજો બૃહત વૈરાગ્યવડ્યે । તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે ।।૨।। તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ । કાંતો તેના જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।। હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય । કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય ।।૪।। તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર । જેમ વણ વુંઠે વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।। જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર । તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન કરે મે’ર ।।૬।। જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન । તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।। તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય । માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય ।।૮।। જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ । દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।। શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી । નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 127

સારસિદ્ધિ કડવું:- ૧૮

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઇ સંપત્તિજી । તેતો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી ।।૧।। રાગ :- ઢાળ રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર । સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ।।૨।। જેમ રતનાકારમાં રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં । પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં ।।૩।। સિંધુતીરે શે’ર વસેછે, બીજાં પણ બહુ ગામ । તે લુણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પુછે નામ ।। ૪।। રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી । માટે સહુ કોઇએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી ।।૫।। પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ । તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ ।।૬।। નિષ્કામ વિના નિરવેદ નિધિ, રુચતી નથી રતિભાર । સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર ।।૭।। તેતો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત । સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ।।૮।। વૈરાગ્ય અંતરેથી જો ઉતરે, તો, ડોકાં કાઢી રહ્યાંછે દુઃખ । આવે ધાઇ તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ।।૯।। માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રુડી રીત । નિષ્કુલાનંદ એ નરની, તો જરુર જાણો થાયે જિત ।।૧૦।। કડવું ।।૧૮।। read more
0 Views : 143
Powered By Indic IME