વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જયારે નિજજનને દુષ્ટ આવી દમેજી । તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ।।૧।। ઢાળ – ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।। શીઘ્ર રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ।।૩।। ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।। માટે નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।। ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।। જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।। સાચા સનેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ।।૮।। કડવું ।।૪૨।।
read more