Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

હરિબળગીતા કડવું:- ૩૭

એમ સમઝે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી । આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી ।।૧।। ઢાળ- હેરાણ થાયછે હેતુ વિના, તેતો અણસમઝણ આપણી । જેમ એરણ લુહારની, પર તાપે તે પીડા તાપની ।।ર।। જેમ અંબર સુંદર ઓઢીયે, તે હોય કુચ્યની કંડુવે ભરું । અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરૂં ।।૩।। જેમ માથે મેષનો મોટલો, કોઈ ઉપાડે કોયલા તણો । ખપ ન આવે ખાધાતણો, લાગે ડાઘ લુગડે ઘણો ।।૪।। મેલે તો મેલાય ખરા, ગુણ અવગુણ બેઉ બોજ । અણસમઝે ઉપાડી ફરે, ખરી કર્યા વિના ખોજ ।।પ।। જેમ તરવું ઉંડા તોયને, માથે હીરા પથરા મોટછે । તેમ ગુણ અવગુણ જકતના, ખરા દેનારા ખોટ છે ।।૬।। હરિભકતને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર । વો’રવાં નહિ વિષ વ્યાળ વિંછી, એછે દુઃખના દેનાર ।।૭।। જેજે વળગે આ જીવને, થાય અટપટું કરતાં અળગે । નિષ્કુલાનંદ આ જકતઉપાધિ, વણ વળગાડી વળગે ।।૮।। કડવું ।।૩૭।। read more
0 Views : 131

હરિબળગીતા કડવું:- ૩૮

કેનેક બળ અન્ન ધન રાજયતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી । કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી ।।૧।। ઢાળ- અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે । સમર્થ સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે ।।ર।। આકરી વેળામાં આવજો, પ્રભુજી તમે મારી પાસ । ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો દાસ ।।૩।। વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને। સંકટમાં શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને ।।૪।। અંતવેળા છે વસમી, એમ વદેછે વેદ પુરાણ । તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ સુજાણ ।।પ।। ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ । તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ ।।૬।। માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર । વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિરે’જો હજૂર ।।૭।। છેલ્લી ભલામણ એજ છે, કરજો વસમી વેળાએ વાર । વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૩૮।। read more
0 Views : 122

હરિબળગીતા કડવું:- ૩૯

કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી । એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી ।।૧।। ઢાળ- ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી । રોમરોમે વિંછી વેદના પ્રગટે, જયારે ચાલવું થાય શરીરથી ।।ર।। તેહ સમામાં કોણ કેનું, જયારે પરવશ પ્રાણી પડે । સ્વાર્થ લઈ સહુ સહુનો, સગા સંબંધી સર્વે રડે ।।૩।। તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મ કરજો વેલ । આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ ।।૪।। મોટેમોટે એહ માગિયું, કરજો વસમી વેળાએ વા’ર । તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરૂં છું પોકાર ।।પ।। ઘણા હેતુ છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ । તમ વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ ।।૬।। એહ સમો જો સુધર્યો, તો સુધર્યું સર્વે ઘણું । એહ સમો જો બગડયો, તો શું ઉપજયું શુભ ગુણતણું ।।૭।। તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ । નિષ્કુલાનંદ કહે નાથજી, એહ સમે રાખજો લાજ ।।૮।। કડવું ।।૩૯।। read more
0 Views : 108

હરિબળગીતા કડવું:- ૪૦

લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી । સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી ।।૧।। ઢાળ- ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય । મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ।।ર।। અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ । જોઈ બિરૂદ સામું શ્યામળા, સુખદાયિ લેજો સંભાળ ।।૩।। ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા આગે આશ્રિતના । તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ।।૪।। તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર । તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર ।।પ।। જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ । તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ।।૬।। તેહસારૂં હરિ તમને, વળી વળી વિનતિ કરૂં । અવર બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરૂં ।।૭।। જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગહાથ । દીનબંધુ દીલ ધારજો, નિષ્કુલાનંદના નાથ ।।૮।।કડવું ।।૪૦।। read more
0 Views : 120

હરિબળગીતા પદ:- ૧૦

રાગ:-  મેવાડો નાથજી નિવારો રે દોષ નિજ દાસનારે, જોશોમાં અવગુણ મારા જીવન । પ્રભુજી સંભારીરે બીરુદ પોતાતણું રે, કરીયે પતિતને રે પાવન; નાથજી૦ ।।૧।। અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે, થાય નહિ ગણતાં તેનો રે થાપ । દીનના બંધુ છો રે દીનદયાળજી રે, શરણાગતના હરણ સંતાપ; નાથજી૦ ।।ર।। આકરી વેળાયે રે આવો છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર । સહી ન શકો રે સંકટ સંતનાંરે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર; નાથજી૦ ।।૩।। સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ । નિષ્કુલાનંદ રે કહે નરતન ધરીરે, આવો છો અલબેલા એહ કાજ; નાથજી૦ ।।૪।। પદ ।।૧૦।। read more
0 Views : 129

હરિબળગીતા કડવું:- ૪૧

કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મુકી નિજ ધામજી । તેતો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને ઠામજી ।।૧। ઢાળ- ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને । તેહ સારૂં અવનિયે આવો, નાથ ધરી નર તનને ।।ર।। હાજર છો હરિજનના, કષ્ટ કાપવા કરૂણાનિધિ । નિમિષ એક નથી રે’તા ન્યારા, કરો છો રક્ષા બહુ વિધિ ।।૩।। બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ લિયે ખબર । તેહથકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર ।।૪।। સંતના શત્રુ સંહારવા, તતપર રો’છો તૈયાર । અંતર બારે અરિ ભક્તના, સદ્ય કરો છો સંહાર ।।પ।। હરિજનને હંમેશ હજારૂં, વિઘન કરે છે વિબુધ । તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે ચાર આયુધ ।।૬।। ધન્ય ધન્ય સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ । સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના કાળ ।।૭।। હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ । નિષ્કુલાનંદના નાથજી, વાલમ મારા વિશ્રામ ।।૮।। કડવું ।।૪૧।। read more
0 Views : 154

હરિબળગીતા કડવું:- ૪ર

વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જયારે નિજજનને દુષ્ટ આવી દમેજી । તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ।।૧।। ઢાળ – ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।। શીઘ્ર રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ।।૩।। ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।। માટે નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।। ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।। જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।। સાચા સનેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ।।૮।। કડવું ।।૪૨।। read more
0 Views : 122

હરિબળગીતા કડવું:- ૪૩

તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી । નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી ।।૧।। ઢાળ- મન બીજે નથી માનતું, રે’છે તમારા ચરણમાં ચિત્ત । દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ।।૨।। સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ । મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ ।।૩।। અન્ય ભરોંસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર । તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ।।૪।। સર્વેના કારણ સમઝી, સમરેછે શ્વાસ ઉશ્વાસ । નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર  મને ઘણી । એવા જન જોઇ આપણા, તમે કરો રક્ષા તેહતણી ।।૬।। તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત । તેનાં પાળોછો લાડ તમે, શ્રીહરિ જો રુડી રીત ।।૭।। આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન । નિષ્કુલાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ।।૮।। કડવું ।।૪૩।। read more
0 Views : 122
Powered By Indic IME