Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧ર

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વ  સુણ્યું સુખધામ ।। પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ ।। ૧ ।। ભજન સ્મરણ  ધ્યાનમાં,  એ આવે આડાં ઉર ।। તેણે કરીને  તનમાં,  ઝાંખ્યપ રહે  જરૂર ।। ૨ ।। કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય ।। ખરખરો એ  ખોટનો,  અંતરમાં  અતિ થાય ।। ૩ ।। ભકત થયા  ભગવાનના,  અને  લિયે  સંકલ્પ  લાજ ।। એહ વાતની  ઉરમાં,  મોટી  ખોટ ગુરુરાજ ।। ૪ ।। અયોગ્ય સંકલ્પ  ઊપજી, વરતે  જો પળવાર ।। સુખ રહે કેમ  તે સંતને, માને  મને ધિક્કાર ।। ૫ ।। સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય  થાય જો એક ।। દિલ દેહે દાઝે ઘણું,  ન રહે  સુખ તે નેક ।। ૬ ।। તેને ઠેકાણું  ઠરવા,  બતાવિયે  ગુરુ ધીર ।। જેણે કરી અતિ ઉરમાં,  શાંતિ રહે સુખ શિર ।। ૭ ।। અંડજ ઉદ્ભિજ જે  કહીએ,  સ્વેદજ જરાયુજ ખાણ ।। એમાં સહુ જન્મે  મરે, એમ કે’  છે વેદ પુરાણ ।। ૮ ।। પણ  સંકલ્પના  શરીરનો,  ન  કર્યો  કોણે  નિરધાર ।। ક્ષણક્ષણમાં જનમે મરે,  તેનો નાવે પાર ।।૯।। જે જે સંકલ્પ  ઉપજે,  તે  તે ધરાવે તન ।। એમ   સમજી   સંત   સહુ,   અતિ   કંપે છે મન ।।૧૦।। પળપળમાં પિંડ ધારવાં,  અશુભ શુભ અગણિત ।। તેની  દાઝ તનમાં,  કહો મટે કોણ […] read more
0 Views : 187

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૩

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો,  કહી કૃપા કરી વાત ।। જે જે  મે  પૂછિયું,  તે  કહ્યું તમે બહુ ભાત ।। ૧ ।। શત્રુ સર્વે શોધીને, દેખાડ્યા  દગાદાર ।। દીપક દીધો હાથમાં, અળગું  કર્યું  અંધાર ।। ૨ ।। કોટી કોટી   કૃપા   કરી,   ખોટ   દેખાડી ખોળ્ય ।। અણસમજે લઈ એકઠી, ભેળી કરી’તી  ભોળ્ય ।। ૩ ।। તે જેમ છે તેમ જણાવિયું, અજાણ્યું ન રહ્યું એક ।। હવે હું ચેતું નહિ,   તો   એ   મારો   અવિવેક ।। ૪ ।। અણસમજુને  એટલી,  આપે શિખામણ કોણ ।। પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ ।। ૫ ।। વળી પૂછું એક  વારતા, દોય  હરિના દાસ ।। એક  દેખે  હૈયે  હરિ  મૂરતિ,  અને  એકને  બહુ  વિશ્વાસ ।। ૬ ।। એહ બેઉ  બરોબરી, પામે પ્રાપતિ એક ।। કે ફેર છે કાંઈ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક ।। ૭ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ્ય શિષ્ય સુજાણ ।। જેને ભરોંસો ભગવાનનો, તેનું એ પરમ કલ્યાણ ।। ૮ ।। જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે લગાર ।। તેમ પ્રભુ સ્પર્શ  પ્રતાપથી, વામે સર્વ વિકાર ।।૯।। જડ  માંહી  પણ  જાણવો,  એટલો  ચમતકાર ।। ચૈતન્યઘનમય મૂરતિ, તે મળતાં  સુખ અપાર ।।૧૦।। માટે ન્યૂન ન માનવું, રે’વું આનંદમાં અભિરામ ।। જેને મળ્યા પ્રગટ પ્રભુ, […] read more
0 Views : 172

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૪

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે સદ્ગુરુ સુણો, જે કહ્યા આગે ઉપાય ।। કઠણ  છે એ કરવા,  વિચારિયું ઉરમાંય ।। ૧ ।। નિર્વેદ  પણ હોય નબળો, સ્નેહ નિયમ પણ સમાન ।। સત્સંગ  પણ  સુધો નહિ, અતિ  આત્મજ્ઞાન ।। ૨ ।। શ્રોત્ર  ત્વક્  નેત્ર  કહ્યાં,  રસના  ઘ્રાણ  મન બુદ્ધ ।। ચિત્ત  અહંકાર  ચોખાં  નહિ,  સરસ  અતિશે શુદ્ધ ।। ૩ ।। એહ સહુને  નિમમાં,  રાખે બહુ  બળવાન ।। થોડે  બળે થાતાં નથી, સદ્ગુરુ  સુણો નિદાન ।। ૪ ।। માટે  કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ ।। હિંમત  આવે હરિભકતને, ભજે હરિ કરી ભાવ ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે  સુણ્ય  શિષ્ય  તું, કહું વાત એની અનુપ ।। જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન  સ્વરૂપ ।। ૬ ।। જે  દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય ।। સુણ્ય  શિષ્ય શ્રવણ દઈ,  કહું એવો  ઉપાય ।। ૭ ।। પ્રથમ  સંભારે શ્યામને,  મનસુબાથી મો’ર ।। વીસરે નહિ એહ વારતા, સર્વ  કાળ  સર્વ  ઠોર ।। ૮ ।। જે જે સંકલ્પ મન કરે,  ચિત્ત કરે ચિંતવન ।। હરિ સંબંધ વિના હોય નહિ, જરૂર જાણે તું જન ।।૯।। બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે  અહં અહંકાર ।। તેમાં સંબન્ધ લઈ શ્યામનો, ચિંતવે વારમવાર ।।૧૦।। જે  જે શબ્દ સાંભળે,  શ્રવણ ધરીને સોય ।। તે […] read more
0 Views : 180

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧પ

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  ધન્યધન્ય  ગુરુ,  ભલો બતાવ્યો ભેદ ।। સહજે  શ્રીહરિ  સાંભરે,  થાય  વિષય  ઉચ્છેદ ।। ૧ ।। વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ  હરામ ।। તે  સમુ  સમજાવિયું,  સંભારવા ઘનશ્યામ ।। ૨ ।। સૂક્ષ્મ વાતો સૂચવી,  કહો કોણ કે’નાર ।। અલ્પ પ્રશ્ન ઉપરે,  કો’છો કરી વિસ્તાર ।। ૩ ।। વળી  કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન ।। શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ  કહું દઈ કાન ।। ૪ ।। વચન   તમારા   મુખનાં,   તે   સર્વે સુખ  દેનાર ।। હેતેભર્યા હોંસે કરી, સુણીશ હું કરી  પ્યાર ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત ।। રાત-દિવસ  હૃદયે રહે,  હરિ ચિંતવન  ચિત્ત ।। ૬ ।। રસ સરસ સંસારમાં,  મળે જો મનભાય ।। તેમાં શ્રીહરિ સાંભરે,  એવો  કહું  ઉપાય ।। ૭ ।। ષટ  રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ ।। તે સમય  સંભારતાં,  સાંભરે શ્યામ  સનેહ ।। ૮ ।। રસોઈ  રસે  ભરી,  કરી  હરિને  કાજ ।। તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ।।૯।। સુંદર સ્વાદુ સુખડી, પેરપેરના  પાક ।। પીરસતા પંગતમાં,  સુખદ  કરેલાં  શાક ।।૧૦।। ભોજન  વ્યંજન  બહુ  ભાતનાં,  લેહ્ય  ચોશ્ય  ભક્ષ્ય  ભોજય ।। તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા  કરી મોજય ।।૧૧।। આંબુ લિંબુ  જાંબુ  જમ્યા,  નાલિ કેળી  રાણ્ય  અનાર ।। જામ  […] read more
0 Views : 186

હરિબળગીતા કડવું:- ૧

રાગ:-  ધન્યાશ્રી મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામજી । પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી ।।૧।। ઢાળ- નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે । દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે ।।ર।। પુરૂષોતમ પ્રગટનું, નામ નિર્ભય નિશાણ । જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ ।।૩।। જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર । અગણિત એહ નામથી, પતિત પામ્યા ભવપાર ।।૪।। કરી ખરી દીનતા કરી, કરી આર્તશું અરદાસ । અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ ।।પ।। કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ । નારાયણના નામથી, થયા પાર પ્રિછો પ્રવિણ ।।૬।। ત્રિલોકમાં તપાસતાં, નાવે નારાયણ નામ તુલ્ય । પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય ।।૭।। જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન । નિષ્કુલાનંદ નારાયણના, ના’વે નામ સમાન ।।૮।। કડવું ।।૧।। read more
0 Views : 269

હરિબળગીતા કડવું:- ર

નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી । જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમઝુ સમઝી સમરે સદાયજી ।।૧।। ઢાળ- સમઝુ સમઝી સમરે, નિશ દિન નારાયણ નામ । શ્વાસ ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ।।ર।। શેષજી મહાત્મ્ય સમઝી, કરે અખંડ નામ ઉચ્ચાર । સહસ્રમુખમાં જુગલ જીભે, રટે છે એકતાર ।।૩।। પૃથુ મહિમા પ્રિછીને, માગ્યા દશ હજાર કાન । નારાયણના નામ સુણવા, અતિશય ઉરમાં તાન ।।૪।। હિરણ્યકશિપૂ શ્રવણે સાંભળ્યો, નારાયણ નામનો નાદ । તપ તજી ત્રિય ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ ।।પ।। પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજયા શ્રી ભગવાન । અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન ।।૬।। વિભીષણને ભક્ત થાવું, નોયે રાક્ષસકુળની રીત । પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત ।।૭।। અસુરકુળને અઘે ભર્યા,તર્યા એવા જીવ અનંત । નિષ્કુલાનંદ નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ।।૮।। કડવું ।।ર।। read more
0 Views : 251

હરિબળગીતા કડવું:- ૩

ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી । પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી ।।૧।। ઢાળ- ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ । નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।। મશક તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય ।।૩।। તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય । તેને ભરાંેસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।। માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે તજશે નહિ કોઈ રીત।।પ।। એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી  ભાતે ભવજળ ।।૬।। અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ।।૭।। (સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ) જયારે ૨પોત ન તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।। read more
0 Views : 236

હરિબળગીતા કડવું:- ૪

એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી વિવેકજી । એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી ।।૧।। ઢાળ- નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર ।।ર।। પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ।।૩।। મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।। જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।। જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર। તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ।।૬।। વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।। એહ દ્રષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ।।૮।। કડવું ।।૪।। read more
0 Views : 274
Powered By Indic IME