Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૪

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે હું  શઠમતિ,  રતી  ન સમજયો રીત ।। મન બુદ્ધિ માન્યાં માહેરાં તેમ જ  માન્યું ચિત્ત ।। ૧ ।। વેરી તે  વા’લાં  જાણિયાં,  એહ  મોટું અજ્ઞાન ।। ધર થકી  ધૂતાપણું, ન  કળ્યું મેં નિદાન ।। ૨ ।। વળી વળી કરજો વારતા, લળી લળી લાગું પાય ।। મળી મળી માનીશ મહાપ્રભુ, કળી કળી કે’જો કાંય ।। ૩ ।। સદ્ગુરુ  ઉવાચ :-–  દોહા :- સદ્ગુરુ  કહે  નખશિખા  લગી,  અંગમાંહિ  અહંકાર ।। અહં-મમત કરી માનિયું, યત્કિંચિત્  કૈ’યે લગાર ।। ૪ ।। મન  સંકલ્પ મો’રે કહ્યા,  બુદ્ધિ નિશ્ચયના બહુ ।। ચિત્તે  રાખ્યા  ચિંતવી, તે  હું ને  મારું સહુ ।। ૫ ।। મારાં માત  ને તાત છે,  મારાં ભગિની ભાઈ ।। મારી જાત  ને નાત છે,  મારા સગાંને સાઈ ।। ૬ ।। સુત કલત્ર  સંબંધી,  મારું કુળ કુટુંબ ।। એને અર્થે આ તને,  સહું કષ્ટ વિષમ ।। ૭ ।। એહ  મારાં  હું એહનો, તજું  નહિ ત્રય કાળ ।। મમત  એહ મેલું નહિ,  કરું  નિત્યે પ્રતિપાળ ।। ૮ ।। એને દુઃખે હું  દુઃખિયો, એહને  સુખે સુખ ।। એહને જમે  હું  જમ્યો,  એહને  ભૂખ્યે ભૂખ ।।૯।। એ  છે મારા આતમા,  એહ છે  મારું તન ।। એ  છે મારા પ્રાણપ્રિયે,  એ છે  મારાં જીવન ।।૧૦।। મારા મિત્ર ગોત્ર, એહ  મારો  વંશ વધાર […] read more
0 Views : 339

હૃદયપ્રકાશ પ્રસંગઃ- પ

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે એહ સત્ય છે, તમે કહ્યું જેમ છે તેમ ।। વાત ગઈ  બહુ બગડી, કહો કરું હવે કેમ ।। ૧ ।। ઉપાય એહનો અમને, બતાવિયે વાલમ ।। કહો કેમ  એહ નીસરે, તેહની  પડાવો  ગમ ।। ૨ ।। અંતઃકરણ રહે અંતરે, મન બુદ્ધિ  ચિત્ત અહંકાર ।। જકત  પદાર્થ જે કહ્યાં,  તે તો  રહે છે  બા’ર ।। ૩ ।। કેમ  આવ્યાં  એહ  અંતરે,  ભરાઈ  ગયાં  ભીતર ।। નિસાર્યા નીસરે નહિ,  કરી રહ્યાં એહ ઘર ।। ૪ ।। એની  મેળે એહ આવવા, નથી  નિશ્ચે  સમર્થ ।। આવી   સહુ   સબળાં   થયાં,   આદરિયો   અનર્થ ।। ૫ ।। અણઇચ્છ્યાં એ આવી રહ્યાં, કે લાવિયાં વળી કોય ।। પૂછું છું એહ પ્રશ્નને,  સદ્ગુરુ  કહેજો સોય ।। ૬ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે સાચી કહું, તેં પૂછી તેહની વાત ।। શ્રુતિ  દઈ   સાંભળ્ય   હવે,   કહું   તુંને   સાક્ષાત ।। ૭ ।। અંતઃકરણની આગળે, પ્રધાન રહે છે  પંચ ।। જોઈએ જેવું  જે સમે,  તેવો સોંપે છે  સંચ ।। ૮ ।। દિગ  વાયુ દિનકર કહું, વરુણ  અશ્વિનીકુમાર ।। જડ  ચૈતન્ય  જે  જકતમાં,  તેહ  લાવી  કરે  તૈયાર ।।૯।। દિગદ્વાર દોય  કાન  છે,  સમીર  દ્વાર સોય ચર્મ ।। અર્ક  દ્વાર  સો  આંખ્ય  દો,  એહ  સમજી  લે  મર્મ ।।૧૦।। વરુણદ્વાર  જાણો  જીભને,  અશ્વિનીકુમાર  દ્વાર  નાક […] read more
0 Views : 297

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૬

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સાચું સહી, મેં સમજાણું નહિ સોય ।। તમે  કહ્યે  તપાસિયું, મારું ન  મળે કોય ।। ૧ ।। ઠગઠગ ઠગ એ ફાંસિયાં,   શાહા   જાણી કર્યો સાથ ।। મોટા રણમાં રોળિયો,  માર્યો  ગયો અનાથ ।। ૨ ।। એહ જેવાં  હોય  અંગમાં,  ઓળખાવો  મુને  આજ ।। નાથ તમારા હાથમાં,  મારી  છે ગુરુ  લાજ ।। ૩ ।। સદ્ગુરુ  ઉવાચ :-–  દોહા :- એવું સુણી સદ્ગુરુ બોલિયા, સુણજે શિષ્ય સુધીર ।। ત્વચા દ્વારે  વો’રિયા,  સ્પર્શ  બહુ  સમીર ।। ૪ ।। સ્પર્શ સુખદ સંસારમાં,  દીઠા સુણ્યા  સોય ।। પિંડ અંતર સ્પર્શ્યા વિના,  મળ્યે  મેલ્યા નહિ કોય ।। ૫ ।। શીત ઉષ્ણ  શરીરશું,  પ્રીતે  સ્પર્શ્યા  જેહ ।। ચર્મ મર્મ ચોખાં કરી, રાખ્યાં હૃદયે તેહ ।। ૬ ।। નારી નાના બાળનો,  સ્પર્શ  તે સુખરૂપ ।। કોમળ કાયા સ્પરશી,  અંતર  ઉતારી અનુપ ।। ૭ ।। ગાદી તકિયા ગાદલાં,  મશરુ કાં મખમલ ।। લાસાં ગાલ-મસુરિયાં,  ઓશિસાં  અવલ ।। ૮ ।। રૂડાં સહુ રેશમી,  સુંવાળા  સુખદેણ ।। એનો સ્પર્શ પામતાં,  કે’વા  રે’ કાંયે કેણ ।।૯।। સેજ સમારી સુમને,  કોમળ કળી  ફૂલ ।। સ્પર્શ કર્યો  સૂઈને,  તે કેમ જાશે  ભૂલ ।।૧૦।। મંદ સુગંધ  શીતળનો, સ્પર્શ્યો  પંડ્યે  પવન ।। તેનું સુખ શરીરમાં, વીસરે નહિ કોય દન ।।૧૧।। ચૂવા-ચંદન  ચરચી, અત્તર  ચોળ્યાં  અંગ ।। તેલ  ફુલેલ  તનમાં,  […] read more
0 Views : 262

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૭

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  સમજયો  સહી,  આજ  થકી  એહ વાત ।। નેક અતિ નરસું થયું,  ઘરને  કરી  ઉતપાત ।। ૧ ।। વાઘ  વીંછી વ્યાળને,  પાળી  કરે કોય પુષ્ટ ।। સુખ  સ્વપ્ને આપે નહિ, દુઃખદાયી  એહ દુષ્ટ ।। ૨ ।। ગમ   વિના ફાંસીગરનો,  વડો  કર્યો  વિશ્વ્વાસ ।। ગરીબ થઈ રહી ઘરમાં,  નાંખી  ગળામાંહી ફાંસ ।। ૩ ।। જે  જે મારાં  વેરવી,   પાપી  પૂરાં  પ્રસિદ્ધ ।। સદ્ગુરુ એ ઓળખાવજો,  વેરી  સહુ બહુ વિધ ।। ૪ ।। સદ્ગુરુ  કહે શુદ્ધ શિષ્ય તું,  ઓળખ્યો મેં  અભિપ્રાય ।। કહેતાં કસર  નહિ  રહે, જો સમુ તે સમજાય ।। ૫ ।। અંતર ચોરી  અણુ  જેટલી,  છાની  નહિ  રહે  છેક ।। દઈશ દેખાડી તુજને,  ઓળખાવી એકોએક ।। ૬ ।। દિગ વાયુ  દેખાડિયાં, તેમ જ  સમજે સૂર ।। નેત્ર દ્વારે  રૂપને,  જોઈ  લાવે  છે જરૂર ।। ૭ ।। બાળ યુવા યુવતી,  વૃદ્ધ વનિતા જાણ ।। શ્યામ શ્વેત  શરીર   શું,   પેખી   રાખી   પરમાણ ।। ૮ ।। આભૂષણ અનેક  વિધ,  ઘણે  પ્રકારે ઘાટ ।। કનક રૂપા  ત્રાંબા  કલી,  પીતળ  સીસાં પાટ ।।૯।। વેઢ વીંટી  કુંડળ  કડાં,  હાંસ  હૂલર હાર ।। પોંચી બાજુ બેરખા, કડી વેલ તંગળાકાર ।।૧૦।। તોરા ઉતરી સાંકળી,  સુંદર મોતી શિરપેચ ।। કંકણ મુદ્રિકા મેખળા,  નૂપુર  રૂપદલવિચ ।।૧૧।। કે’તાં પણ  કહેવાય નહિ, ઘરેણાં ઘણી જાત ।। […] read more
0 Views : 315

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૮

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કે’ સદ્ગુરુ સુણો, ખરી બતાવી  ખોટ ।। પર જાણી પોતાતણાં,  બાંધી મમતની  મોટ ।। ૧ ।। દયા કરી  દેખાડિયું, અંતરનું અજ્ઞાન ।। શઠપણે  સમજયો નહિ, જોર થયું  જે  જયાન ।। ૨ ।। સદ્ગુરુ  ઉવાચ :-  દોહા :- ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ શ્રદ્ધાવાન ।। વેરી  બતાવું તાહેરાં,  જે નરસાં છે  નિદાન ।। ૩ ।। દિગ વાયુ સૂર  કહ્યા,  તેવો  જ  વરુણ  વખાણ ।। રસના દ્વારે  રહીને,  લાવે રસ  નિરવાણ ।। ૪ ।। ખાટા ખારા તમતમા,   તીખા   ગળ્યા   ચીગઠ ।। જીહ્વાએ જૂજવા જોઈને, શોધી  લાવ્યો  શઠ ।। ૫ ।। પેંડા  પતાસાં પૂરીઓ,  શીરો સાબુડી   સોય ।। શકરપારા સૂતરફેણી,  સેવ  સુંવાળી  જોય ।। ૬ ।। બરફી  બિરંજ  કળિ ગાંઠિયા, ઘેબર ગુંદરપાક ।। મગદળ  મુરકી  માલપુડા, મેસુબ સુંદર  શાક ।। ૭ ।। ખીર ખાજાં રોટલી,  સાટા જલેબી  જાણ ।। હલવો  લાડુ  લાપસી,  બાસુંદિયો  વખાણ ।। ૮ ।। ફાફડા  ફૂલવડી,  ભજિયાં તે  બહુ ભાત ।। પુડા પકોડી કઢી વઢી,  દૈથરાં વડાં વડી વાત ।।૯।। જાણી  જિહ્વાએ  જૂજવી,  સ્વાદ સર્વની  રીત ।। આણી  ઉતારી  અંતરે,  અતિ  ઘણી અગણિત ।।૧૦।। શાક  બહુ  સોયામણાં,  ભાજી  તરકારી  તેહ ।। વઘારી  વિધવિધની,  સુખદ  જમતાં  જેહ ।।૧૧।। ફળ  દળ મૂળ  કંદનો,  જાણી જૂજવો  રસ ।। જીભે ઉતાર્યો અંતરે, ઓળખી લે તું  અવશ્ય ।।૧૨।। જે જે  […] read more
0 Views : 303

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૯

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે ખૂની  ખરાં, મહાદુષ્ટ દુઃખ દેનાર ।। નકી કાઢ્યાં  ન નીસરે, કરું  હું કોણ  વિચાર ।। ૧ ।। જૈયે  તમે જણાવિયાં,  તૈયે કર્યો  તપાસ ।। રૈયત  તે રાજા  થઈ,  રાજા  તે થયો દાસ ।। ૨ ।। ભરાડી ભેળાં  થયાં,  તન માંહિ  તસ્કર ।। માલ  મળ્યે  મૂકે નહિ,  લૂંટેરુ  લશ્કર ।। ૩ ।। એને  ભરોંસે ભવ ગયો, કર્યો ન કોય વિચાર ।। હજી  છે કોય હરામના, ગુરુ કહો નિરધાર ।। ૪ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- વળતા  સદ્ગુરુ બોલિયા, હજી અરિ છે એક ।। સચેત  થઈ  તું  સાંભળે,  કહું  કરી  વિવેક ।। ૫ ।। અશ્વનીકુમાર આવીને,  ઘણો  લિયે છે ગંધ ।। તે ઉતારે અંતરે, બહુવિધ કરવા  બંધ ।। ૬ ।। સુગંધ  દુગર્ંધ દો કહિયે, નાકે સૂંઘી સોય ।। ઉતારી  અંતરમાં, શુભ  અશુભ  દોય ।। ૭ ।। ચૂવા  ચંદન સુગંધી, સુગંધી અત્તર  ધૂપેલ ।। કર્પૂર  અગર સુગંધી,  સુગંધી તેલ  ફુલેલ ।। ૮ ।। અર્ધવાસ નાસા લિયે, નિત્યનિત્ય એહ અનુપ ।। આણી  મેલી અંતરે, સમજી સુખદ  સ્વરૂપ ।।૯।। ફૂલ  તણી ફોર  અતિ, જાણી  જૂજવી જેહ ।। ભરી  સુગંધી  ભીતરે,  તોળી તપાસી તેહ ।।૧૦।। ચંપા  ચંબેલી  જૂઈ  જૂથિકા,  ગેહેરી  ગુલાબી  વાસ ।। ડોલરિયે   દિશે   ઘણી,   પાનડી પરિમલ પ્રકાશ ।।૧૧।। ગુલલાલા ગુલસોમના,  ગુલદાવદી જે ફૂલ ।। નરમાલિની નાસિકા,  […] read more
0 Views : 234

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૦

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  નમાવી  શીશને,  અરજી  કરે છે  એમ ।। એહ  કુપાત્ર  કાઢવા,  કરું ઉપાય હું  કેમ ।। ૧ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે  શ્રદ્ધાવાન જેહ પામે પંચ  નિદાન ।। વૈરાગ્ય  સ્નેહ  નિયમ જેહ, સતસંગ આત્મજ્ઞાન ।। ૨ ।। એહ પંચને પ્રીછવી,  કહું  જૂજવાં જાણ ।। જેહ  પામતાં પ્રાણીને,  થાય વિષયની  હાણ ।। ૩ ।। તે તો  તીવ્ર વૈરાગ્યનો, લાગે  જેને વેગ ।। તે પંચ વિષયનો પંડમાં, ભળવા  ન દિયે ભેગ ।। ૪ ।। કાં તો  સનેહ શ્યામશું, હોય અતિ ઘણો અપાર ।। અંગે  તેને  આવે નહિ, પંચ વિષય વિકાર ।। ૫ ।। એવાં  ઝાઝાં  જકતમાં, ન હોય  નર ને નાર ।। પંચ વિષયના સુખને, અંગે ગણે અંગાર ।। ૬ ।। માટે નિયમ નકી કરી, રાખે  રુદિયા માંય ।। પંચ  વિષયનું પંડમાં, રહે ન કિલ્બષ  કાંય ।। ૭ ।। નિર્વેદ  સ્નેહ નિયમનું, કારણ  સંતનો સંગ ।। એથી  જ્ઞાન  ઉપજે,  તોપણ  થાય વિષયનો ભંગ ।। ૮ ।। પ્રથમ વાત વૈરાગ્યની, સુણી  લીજે સોય ।। પછી   કહું   હું   પ્રીતિની,   છેલી નિ’મની તોય ।।૯।। વિષલાડુ  વિષ પાનશું, તરત  તનનો  નાશ ।। કહો  સુખ કેમ ઉપજે, નાગ વ્યાઘ્ર સંગ વાસ ।।૧૦।। જેમ  ખેરી   વેરી  ખાટકી, સફરી પર સીંચાણ ।। તેતર  પર  બાજ  ફરે,  તે  લીધા કાં લેશે પ્રાણ […] read more
0 Views : 312

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૧

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે  કર જોડીને,  સુણિયે મારા નાથ ।। એ છે કામ  માહેરું , કે કાંઈ છે  હરિને હાથ ।। ૧ ।। પડતી રાત  પ્રભાત લગી,  કોય ઉલેચે અંધાર ।। ઊગ્યા દિન  વિન તમનો, કહો કેમ આવે  પાર ।। ૨ ।। જેમ  આકાશે  ઉડુ   અતિ,  કરે  જામનીયે  જયોત ।। દિનમાં એક દિસે નહિ, એ પ્રતાપ અર્ક ઉદ્યોત ।। ૩ ।। નિશાચર નરસાં  અતિ,  દિયે  રાતમાં દુઃખ ।। પણ જયારે  રવિ  પ્રગટે, ત્યારે  શાહાને સુખ ।। ૪ ।। માટે  કહું  સદ્ગુરુ  સુણો,  જોઈ એ  પ્રભુનું  જોર ।। એકલે મારે  આદરે, નહિ ભાગે  એહ ચોર ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે  એહ  આગળે,  નથી બીજાનું બળ ।। પ્રભુના પ્રતાપથી,  સંત  કાઢે કરી કળ ।। ૬ ।। જગતમાં  જે  જીવ  છે,  અજ્ઞાની અપાર ।। તે શું વાત  તપાસશે, જે વિષય વશ નર નાર ।। ૭ ।। નથી એહને  અંતરે,  ખોટ્ય  ખાટ્ય ખબર ।। પશુવત  પાળે  પિંડને, એવાં ઘણાં  ઘરઘર ।। ૮ ।। પણ જેને  શરણ જગદીશનું, તેને  કરવો તોલ ।। જકત જાશે  જમપુરીયે,  ભકત જાશે બ્રહ્મમોલ ।।૯।। એ મોટી  કમાણી માનીને, કરજો આગ્રહ કોય ।। દેખી તેનો  દાખડો,  સા’ય  કરે હરિ સોય ।।૧૦।। રાતદિન હૃદયમાંઈ, લિયે  એશું  લડાઈ ।। સુખ-દુઃખ   પડે   શરીરને,   કદીયે  ન જાયે […] read more
0 Views : 135
Powered By Indic IME