Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૬ર

વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજયા વિના હરિ ન ભજાયજી હરિ ભજયા વિના ભકત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભકતપણું લજાયજી લજજા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ।। એવી ભકત આદરતાં, કહો ભાઈ કમાણી સહી ।। ૨ ।। જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ।। કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ।। ૩ ।। જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ।। આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।। ૪ ।। એમ ભકત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ।। પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।। ૫ ।। જયારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે ।। પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ।। ૬ ।। એવા ભમરાળા ભકત ન થાયે, થાયે ભકત આગળ કહ્યા એવા ।। જયારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા ।। ૭ ।। દીધું આંધણ જયારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ ।। ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ।। ૮ ।। ભલી ભકત આદરી, પામવા પુરુષોત્તમ સહી ।। પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ।।૯।। ખાવો ભૈરવ જપને જયારે, ત્યારે ખસતું ન મેલવું અંગ ।। નિષ્કુળાનંદ જેમ […] read more
0 Views : 86

ધીરજાખ્યાન કડવું:– ૬૩

હરિજનને છે એક મોટું જયાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ।। મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ।। ૨ ।। જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ।। સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી નાસી જાય વેગળા ।। ૩ ।। એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર ।। અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ।। ૪ ।। કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો ।। પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ।। ૫ ।। અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત ।। પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત ।। ૬ ।। કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ।। અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ।। ૭ ।। ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ।। પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।। ૮ ।। આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ।। ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ।।૯।। મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ ।। નિષ્કુળાનંદ ફંદ પડિયો […] read more
0 Views : 134

ધીરજાખ્યાન કડવું:– ૬૪

ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ ।। અટળ સુખ આનંદ અતિ, તે તો કોટિ કવિ ન શકે કહી ।। ૨ ।। દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે ।। દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે ।। ૩ ।। દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ ।। દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રી મહારાજ ।। ૪ ।। દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ ।। મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ ।। ૫ ।। લઈ પૂજા નિજ જનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ ।। પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ ।। ૬ ।। તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાયે નહિ ।। તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી ।। ૭ ।। વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ ।। તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી સઈ ? ।। ૮ ।। અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય ।। અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય ।।૯।। એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે ।। નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારુ શીદ ટળિયે ।।૧૦।। read more
0 Views : 116

ધીરજાખ્યાન પદ:– ૧૬

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ…ધન્ય માન અપમાનમાં મન હટકયું નહિ રે, સમ વિષમે રહી એક મતિ. ધન્ય ।। ૧ ।। સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી. ધન્ય ।। ૨ ।। હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય ।। ૩ ।। સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ।। ૪ ।। read more
0 Views : 140

ધીરજાખ્યાન પદ:- વધામણાનું

(રાગ:-ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ. આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે।। કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે.. આનંદ ।। ૧ ।। રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે।। હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે.. આનંદ ।। ૨ ।। અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે।। ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે..આનંદ ।। ૩ ।। આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે।। તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે..આનંદ ।। ૪ ।। કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે।। કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે..આનંદ ।। ૫ ।। જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે।। આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે..આનંદ ।। ૬ ।। સુખસુખ સુખ જયાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે।। નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે..આનંદ ।। ૭ ।। દોહા:- ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ; ।। તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ।। ૧ ।। સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ।। રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ।। ૨ […] read more
0 Views : 154

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧

સોરઠા:- સમરું શ્રીઘનશ્યામ, મંગળ  કરવા માહેરું ।। અમૃતપદ  એ  નામ, અમંગળ  અળગું  કરે ।। ૧ ।। ધર્ય થકી  ધરિયે ધ્યાન, પ્રગટ  પુરુષોત્તમતણું ।। નિર્વિઘ્ન હોય  નિદાન, વિઘ્ન સર્વે વિરમે  વળી ।। ૨ ।। દોહા :- અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ।। સો સંક્ષેપે  સૂચવું, મતિ  દિયો એવી  મોય ।। ૩ ।। વારમવાર  વિનય કરી, કરું કથા ઉચ્ચાર ।। મતિ  અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ।। ૪ ।। સદ્ગુરુ  શિષ્ય  સંવાદ શું, કરું કથા પ્રકાશ ।। જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।। ૫ ।। શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું  છું લાગી પાય ।। મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છુ  છું હું ઉરમાંય ।। ૬ ।। દિન બહુનો  દાખડો, કરું  છું કૃપાનિધાન ।। પણ  આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ।। ૭ ।। જેમ   કહો   તેમ   કરું,   હાથ જોડી રહું હજૂર ।। દીનબંધુ  દયા  કરો, તો હરિ દેખાય ઉર ।। ૮ ।। અંતર મારું  અણોસરું, વણ  દીઠે વ્રજચંદ ।। જયારે  દેખું  જગપતિ, ત્યારે  સુખ આનંદ ।।૯।। એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ।। અંતરમાં ઇચ્છા  ઘણી, નાથ  નીરખવા કાજ ।।૧૦।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ।। સાંભળ્ય  તારાં  સંબંધી, કેને  છે  સતસંગ  […] read more
0 Views : 317

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ર

શિષ્ય  ઉવાચ :- દોહા :- ત્યારે  શિષ્ય  કહે  સમજયો  સહી,  જે  જે  કહી  કૃપા  કરી  વાત ।। આજ થકી  મેં  ઓળખ્યાં,  ઘરને કરી છે  ઘાત ।। ૧ ।। એહ વિના  એવા  કોયે, બીજા જે દગાબાજ ।। કૃપા કરી કે’જો ફરી, ઓળખું એને હું  આજ ।। ૨ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- તૈયે  સદ્ગુરુ  કહે  સાંભળ્ય  વળી,  બીજી  બુદ્ધિ  તું  જાણ્ય ।। એહ તારા  અંતરમાં, હંમેશ કરે છે હાણ્ય ।। ૩ ।। જે જે સંકલ્પ મન કરે, તે તે બુદ્ધિ કરે પ્રમાણ ।। નિઃસંશય નિશ્ચય  કરે, ન ફરે તે નિરવાણ ।। ૪ ।। માત તાત  સુત  સંબંધી, વળી તે વર્ણાશ્રમ ।। ઠીક એહ ઠેરાવિયાં, નાત્ય જાત્ય કુળ  ધર્મ ।। ૫ ।। બાળ  જોબન વૃદ્ધપણું, નામ રૂપ નિરધાર ।। નકી  તે  નિશ્ચય કર્યું, ભર્યું  ભીતર મોઝાર ।। ૬ ।। નર નારી ત્યાગી ગૃહી,  વળી જે લીધો વેશ ।। તેને  તેવું  મનાવિયું, અંતરમાં અહોનિશ ।। ૭ ।। પશુ  પંખી  પન્નગ  નગ,  વન  વેલી  જે જે જાત ।। બુદ્ધિયે  બહુ  નિશ્ચય  કર્યા,  વિદેશ  દેશ  વિલાત ।। ૮ ।। એકએકમાં  અનેક વિધિ, નામ રૂપ ગુણ આકાર ।। એ સર્વે અંતર આણિયાં, કે’તાં ન આવે પાર ।।૯।। જે જે જાણી જગતમાં, વસ્તુ વિવિધ  પ્રકાર ।। તે તે  દઢાવી અંતરે, ભર્યો તેનો ભંડાર ।।૧૦।। અવનિ આપ   […] read more
0 Views : 243

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૩

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  સાચું સહી,  રહ્યું અંધારું ઘોર ।। જેને શાહા સમજતો, તે   તો   નીસર્યા ચોર ।। ૧ ।। વળીવળી  બતાવજો, ઓળખાવજો  અરિ એહ ।। કહો  કપટ કપટીતણાં, હું  સુણીશ  કરી સ્નેહ ।। ૨ ।। સદ્ગુરુ ઉવાચ:- સદ્ગુરુ કહે ચિત્ત તાહરું,  ચિંતવે  બહુ આકાર ।। કહી  કહી  કહીએ  કેટલા, કહેતાં તે  નાવે  પાર ।। ૩ ।। જે મને ઉત્થાને  મેલિયાં,  પ્રજ્ઞા  કર્યા પ્રમાણ ।। તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ ।। ૪ ।। માત  તાત  સુત  સંબંધી,  દેહ ગેહ ઘર નાર ।। ભાઈ  ભોજાઈ   ભગિની,   એહ   ચિંતવે   વારંવાર ।। ૫ ।। અવગુણ  ગુણ  અરિ  મિત્રને,  સંભારે ચિત્ત સોય ।। સુખદ  પદાર્થ સમજી, ચિંતવે  ચિત્ત નિત્ય પ્રોય ।। ૬ ।। અન્ન  ધન  ધામ  ધરણી,  પશુ  પંખી  ગામ  ગરાસ ।। દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વ્વાસોશ્વ્વાસ ।। ૭ ।। પેખી  પર  પોતાતણાં,  રાખે હેત  કુહેત ।। એવું  સમજી અંતરે, ચોખું  મનાવે  ચિત્ત ।। ૮ ।। આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય ।। ચિત્ત  નિત્ય  એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ।।૯।। આ રોગી આ રોગી નહિ,  આ બુઢા જુવાન બાળ ।। આ  રૂપ  કુરૂપ  નારી  નર,  ચિત્ત  ચિંતવે  તત્કાળ ।।૧૦।। પંચભૂતથી  પ્રગટ્યાં, જડ-ચૈતન્યની  જાત ।। અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત […] read more
0 Views : 274
Powered By Indic IME