શિષ્ય ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર ।। જેને શાહા સમજતો, તે તો નીસર્યા ચોર ।। ૧ ।। વળીવળી બતાવજો, ઓળખાવજો અરિ એહ ।। કહો કપટ કપટીતણાં, હું સુણીશ કરી સ્નેહ ।। ૨ ।। સદ્ગુરુ ઉવાચ:- સદ્ગુરુ કહે ચિત્ત તાહરું, ચિંતવે બહુ આકાર ।। કહી કહી કહીએ કેટલા, કહેતાં તે નાવે પાર ।। ૩ ।। જે મને ઉત્થાને મેલિયાં, પ્રજ્ઞા કર્યા પ્રમાણ ।। તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ ।। ૪ ।। માત તાત સુત સંબંધી, દેહ ગેહ ઘર નાર ।। ભાઈ ભોજાઈ ભગિની, એહ ચિંતવે વારંવાર ।। ૫ ।। અવગુણ ગુણ અરિ મિત્રને, સંભારે ચિત્ત સોય ।। સુખદ પદાર્થ સમજી, ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય ।। ૬ ।। અન્ન ધન ધામ ધરણી, પશુ પંખી ગામ ગરાસ ।। દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વ્વાસોશ્વ્વાસ ।। ૭ ।। પેખી પર પોતાતણાં, રાખે હેત કુહેત ।। એવું સમજી અંતરે, ચોખું મનાવે ચિત્ત ।। ૮ ।। આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય ।। ચિત્ત નિત્ય એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ।।૯।। આ રોગી આ રોગી નહિ, આ બુઢા જુવાન બાળ ।। આ રૂપ કુરૂપ નારી નર, ચિત્ત ચિંતવે તત્કાળ ।।૧૦।। પંચભૂતથી પ્રગટ્યાં, જડ-ચૈતન્યની જાત ।। અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત […]
read more