Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૧૧

વળી પ્રહલાદની કહું સુણો વાતજી, તેહ પર કોપિયો તેનો તાતજી ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહલાદ કયાં ગયો ।। દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો ।। ૨ ।। પ્રહલાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ ।। હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ ।। ૩ ।। અરેરે એવું બોલ્ય મા તું, વળી કહે ઠરાવીને ઠીક ।। તું ને તારા રાખનારની જો, મારે નથી હૈયામાં બીક ।। ૪ ।। એમ કહીને જો કાઢિયું, તીખું ખડગ તે વાર ।। ઘાંઘો થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહલાદ લગાર ।। ૫ ।। કરડે દાંત ક્રોધે કરી, વળી બોલે વસમાં વેણ ।। રીસે કરી રાતાં થયાં, મહા પાપીનાં બે નેણ ।। ૬ ।। પછી પ્રહલાદે પ્રકાશિયું, જોઈ અસુરનો આરંભ ।। કહ્યું છે આ કાષ્ઠમાં, સ્થર રહ્યા છે થઈ સ્થંભ ।। ૭ ।। ઠરાવ્યા જયારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઈ કરવાલ ।। ઠીકોઠીક મારી સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ ।। ૮ ।। પછી માગ્યું હતું જેમ મોતને, તેમાં તે બાધ આવે નહિ ।। તેમ જ તેને મારિયો, નરસિંહજી પ્રગટ થઈ ।।૯।। હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ ।। નિષ્કુળાનંદ કહે તેણે કરી, સહુ સુખી છૈયે આપણ ।।૧૦।। read more
0 Views : 155

ધીરજાખ્યાન કડવું:– ૧ર

પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ ।। પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી ।। ૨ ।। મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો મા કોઈને ।। પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને ।। ૩ ।। થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને ।। એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશો મા વિમુખને ।। ૪ ।। એમ પ્રહલાદજી ઊચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય ।। ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય ।। ૫ ।। પેખી ભકત પ્રહલાદની, એવી આપણે પણ આદરો ।। નકી પાયો નાખી કરી, ભય તજી ભકત કરો ।। ૬ ।। ભકત કહેવાય આ ભવમાં, અભકતપણું અળગું કરો ।। શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભકત આદરો ।। ૭ ।। ભકતમાં ભેગ ભૂંડાઈનો, વળી રતી પણ નવ રાખિયે ।। ડોરી બાંધી અંગે દામની, વિશવાસી પાસે નવ નાખિયે ।। ૮ ।। ભકત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના ।। એવું ન થાવું આપણે, થાવું ભકત ખરા ભગવાનના ।।૯।। સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છવા સુખ સંસારનાં ।। નિષ્કુળાનંદ એ ભકત નહિ, એ તો લક્ષણ છે ચોર જારનાં ।।૧૦।। read more
0 Views : 145

ધીરજાખ્યાન પદ:– ૩

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ભકત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી; લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભકત ।। ૧ ।। અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય; પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભકત ।। ૨ ।। પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે; દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભકત ।। ૩ ।। ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે; નિષ્કુળાનંદ એવા ભકતથી, હરિ દૂર ન રહે. ભકત ।। ૪ ।। read more
0 Views : 157

ધીરજાખ્યાન કડવું:– ૧૩

વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ ।। એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ ।। ૨ ।। આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટ એહ પરિયાણની ।। અપર માયે પણ એમ જ કહ્યું, થઈ દઢ મતિ સુજાણની ।। ૩ ।। જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ ।। તેને સિંધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ ।। ૪ ।। તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ ।। રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ ।। ૫ ।। અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે ।। તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય રે ।। ૬ ।। અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે ।। એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે ।। ૭ ।। અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર ।। ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર ।। ૮ ।। મરીચિ જળે મળ ટાળવા, મનસૂબો કરે છે મનમાંય ।। પણ જાણતા નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે કાંય ।। ૯ ।। એવું દઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ।। નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ।।૧૦।। read more
0 Views : 148

ધીરજાખ્યાન કડવું:– ૧૪

દઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી મારગમાં મળ્યા નારદ મુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ ।। પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ ।। ૨ ।। પાંચ વરષના એક પગે, ઊભા અચળ અડગ થઈ ।। બહુ બલાઉં આવે બિવરાવવા, તેના બિવરાવ્યા બીવે નહિ ।। ૩ ।। શ્યાળ વ્યાળ કરી કેશરી, વાઘ વાનર વૃક વીજુ વળી ।। ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાલ વૈતાલી મળી ।। ૪ ।। હોહોકાર હુંકાર કરે, કરે કાનમાં ક્રૂર ઉચાર ।। મારોમારો ખાઓખાઓ કહે, પણ ન ડરે ધ્રુવજી લગાર ।। ૫ ।। અન્ન જળ તજી આરંભ્યું, કઠણ તપ જે કહેવાય ।। તજી લાલચ્ય તનની, આદર્યો એહ ઉપાય ।। ૬ ।। ખરી ટેક ખટ માસ સુધી, ઊભા રહ્યા એક પગે ।। અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ ધ્રુવજીનું દગે ।। ૭ ।। પ્રભુ મળ્યા સારુ પરહર્યું, સરવે શરીરનું સુખ ।। રાજી કરવા રમાપતિ, અતિ દિયે છે દેહને દુઃખ ।। ૮ ।। મેલી મમત હિંમત કરી, પરહરી ખોટાં સુખની આશ ।। આકરું તપ આદર્યું, જોઈ પામ્યાં જન મન ત્રાસ ।।૯।। ધરણી લાગી ધ્રૂજવા, ડગવા લાગ્યા દિગ્પાળ ।। નિષ્કુળાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ ।।૧૦।। read more
0 Views : 165

ધીરજાખ્યાન કડવું:– ૧પ

નિર્બળથી નથી નીપજતું એ કામજી, શીદ કરે કોઈ હૈયામાંહી હામજી ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન ।। તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન ।। ૨ ।। ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ ।। પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ ।। ૩ ।। એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ ।। ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ ।। ૪ ।। પ્રહલાદ ધ્રુવની પેરે કરે, સમઝી ભકત સુજાણ ।। તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ ।। ૫ ।। એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ ।। એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ ।। ૬ ।। એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ ।। ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ ।। ૭ ।। હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર ।। પણ ભાંગે મને ભકત કરે, તેથી શ્રીહરિ રહે દૂર ।। ૮ ।। સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ ।। ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ।।૯।। માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ ।। નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ ।।૧૦।। read more
0 Views : 144

ધીરજાખ્યાન કડવું:– ૧૬

વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર ।। અડગ ઊભા એક પગ ભર, ધારી દઢતા મન ધીર ।। ૨ ।। રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય ।। આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ મનમાંય ।। ૩ ।। ગૃજય ગીધ ચીલ ચીબરી, કાક કરૂરી સુઘરી કપોત ।। ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે ખદ્યોત ।। ૪ ।। એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ ।। તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દઢ અંગ ।। ૫ ।। ખાન પાનની ખબર નથી, નથી કરતાં નિદ્રા નયણે ।। ભજે છે ભગવાનને, વારમવાર વયણે ।। ૬ ।। શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ ।। પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ ।। ૭ ।। તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય ।। તેહ વિના તન મન બીજે, રાખ્યું નથી કહું કયાંય ।। ૮ ।। જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર ।। માનવ દાનવ દેવતાને કહો, કેમ ના’વે મને મે’ર ।।૯।। વિષ્ણુ તેહને વિલોકીને, રીઝ્યા અતિ રમાપતિ ।। નિષ્કુળાનંદ કહે નાથજી, ઇચ્છયા દેવા પૂરણ પ્રાપતિ ।।૧૦।। read more
0 Views : 150

ધીરજાખ્યાન પદ:– ૪

(રાગ:-રામગરી) ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા ।। ૧ ।। ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા ।। ૨ ।। અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા ।। ૩ ।। એમ ધ્રુવજી જયારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને; નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા ।। ૪ ।। read more
0 Views : 153
Powered By Indic IME