Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ચોસઠપદી પદ:- ૨૮

એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છે રે ।। વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે રે ।। ૧ ।। ધામ ધામના જે રહેનાર, હજૂર રહે છે જોડી હાથને રે ।। કરી આરત્યશું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે ।। ૨ ।। શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે ।। જેની આજ્ઞામાં અહોનિશ, શશી સૂરજ રે’છે ફરતા રે ।। ૩ ।। કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાં રે ।। કહે નિષ્કુળાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાં રે ।। ૪ ।। read more
1 Views : 141

ચોસઠપદી પદ:- ૨૯

એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવિયે રે ।। શીદ ડો’ળીને ડહાપણ, સમજુ શાણા હસાવિયે રે ।। ૧ ।। જેણે રચ્યું આ જગત, જોને જૂજવી જાત્યનું રે ।। જોતા મૂંઝાય જાય મત,  એવુ કર્યું ભાત્યભાત્યનું રે ।। ૨ ।। એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણિયે રે ।। વણ કર્યે એ વિવેક, શીદ અભિમાન આણિયે રે ।। ૩ ।। મેલી ડા’પણ ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે ।। કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે ।। ૪ ।। read more
0 Views : 149

ચોસઠપદી પદ:- ૩૦

જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે ।। માત તાત સગાં સમેત,  માન્યા સનેહી ભોળાપણે રે ।। ૧ ।। જોને ગર્ભવાસની ત્રાસ, ટળે કેમ ટાળી કોઈની રે ।। તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે ।। ૨ ।। વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે ।। બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે ।। ૩ ।। એમ સમજયા વિના જન, આવે ઉન્નમત્તાઈ  અંગમાં રે ।। કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે ।। ૪ ।। read more
0 Views : 136

ચોસઠપદી પદ:- ૩૧

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌ કોય કામનો રે ।। ત્યારે કો’ને વધ્યો કુંણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે ।। ૧ ।। જયારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે ।। ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને  રે ।। ૨ ।। પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ જગમાં રે ।। તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે ।। ૩ ।। એવા મૂરખની મિરાંત,  એને અર્થે નથી આવતી રે ।। કહે નિષ્કુળાનંદ વાત, હરિભકતને મન ભાવતી રે ।। ૪ ।। read more
0 Views : 133

ચોસઠપદી પદ:- ૩૨

આવી અરથની  જે વાત, કોય નર ઉતારે અંગમાં રે ।। ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રહે સત્સંગમાં રે ।। ૧ ।। થઈ ગરીબને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે ।। મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે ।। ૨ ।। ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભકત ભજાવવા રે ।। એક રહે અંતરમાંઈ, તાન પ્રભુને રિઝાવવા રે ।। ૩ ।। એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે ।। સરે  નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે ।। ૪ ।। read more
0 Views : 119

ચોસઠપદી પદ:- ૩૩

રાગ-ધોળ ‘સખી સાંભળ્યને કહું વાત, આજ મારાં ભાગ્ય ભલાં’ કહે તો વળી કહું એક વાત, સુણજયો સહુ મળી ।। છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।। ૧ ।। જેમ  નરદેવ   દઈને  દંડ, વેરીને વશ્ય  કરે ।। લિયે ખાટી  તે સર્વે ખંડ,  દુષ્ટ તે સરવે ડરે ।। ૨ ।। તેમ  પ્રગટી  પૂરણ  બ્રહ્મ, સંતના શત્રુ  હણ્યા ।। કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા ।। ૩ ।। સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા  કીધા ।। કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા ।। ૪ ।। read more
0 Views : 137

ચોસઠપદી પદ:- ૩૪

જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ ।। સ્વાદ સ્નેહ  મમતા  મોહ,  તે  તો  દેખાડું કઈ ।। ૧ ।। કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી ।। લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી ।। ૨ ।। સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે ।। સ્નેહે  સંભારે  નહિ  સ્વજન,  માનથી  દૂર  રમે ।। ૩ ।। કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ  બહુ ડર્યા ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી  એમ વશ્ય કર્યા ।। ૪ ।। read more
0 Views : 126

ચોસઠપદી પદ:- ૩પ

સારો શક્કો  બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ ।। નિષ્કલંક  કર્યા  નારી  નર,  ઉત્તમ  ઉપદેશ  દઈ ।। ૧ ।। કોય કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી ।। લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી ।। ૨ ।। બહુ  સામર્થી  વાવરી  શ્યામ,  કામ  તે  કૈક  કરી ।। પછી  પધારિયા  નિજધામ,  શ્રી  ઘનશ્યામ  હરિ ।। ૩ ।। વાંસે રહ્યા વેરી  વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા ।। કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા ।। ૪ ।। read more
0 Views : 130
Powered By Indic IME