Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

પંચાળા ૨ : સાંખ્ય-યોગનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણસુદિ ૭ સાતમને દિવસ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્‍યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મોક્ષધર્મનું પુસ્‍તક મંગાવો તો સાંખ્‍યના અઘ્‍યાયની તથા યોગના અઘ્‍યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્‍તક મંગાવ્‍યું. પછી નિત્‍યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”યોગવાળા છે તે પંચવિશમા જીવ ઇશ્વરને કહે છે અને છવિશમા પરમાત્‍માને કહે છે. અને સાંખ્‍યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ ઇશ્વરને કહીને પંચવિશમા પરમાત્‍માને કહે છે. તેમાં જે યોગવાળા છે એનો એમ મત છે જે, સુઝે એવો આત્‍મા અનાત્‍માનો વિચાર કરો, સાધન કરો પણ પ્રત્‍યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય, અને સાંખ્‍યવાળાનો એમ મત છે. જે સર્વે દેવ મનુષ્યાદિની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્‍યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્‍મા તેને જાણે ત્‍યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુકિતનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં એ દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો, તથા ઇશ્વરને પંચવિશમા કહ્યા, અને જીવનો […] read more
0 Views : 373

પંચાળા ૩ : મુનિબાવાનું – મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહિએ તેનું

સંવત્ ૧૮૭૭ના  ફાગણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમ-હંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”આવો સત્‍સંગનો ને ભગવાનનો યોગ મળ્‍યો છે, ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે, તથા સત્‍સંગનો ખપ છે, તો પણ માન, ઇર્ષ્યા કેમ રહી જાય છે ?” પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એવો જે છે તેમાં બુદ્ધિ નથી. અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે, તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહિ, અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે, ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે, ‘મારામાં આટલો અવગુણ છે.’ પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે, તથા તે અવગુણને ટાળ્‍યાની બીજા સંત […] read more
0 Views : 197

પંચાળા ૪ : મનુષ્યભાવમાં દિવ્યભાવનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્‍તકમળને વિષે તુલસીની માળા ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”પ્રથમ તો ભગવાનનો નિશ્વય હોય ને ભજનસ્‍મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્વયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્‍યા પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, ”એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્‍મૃતિઓ, ઇત્‍યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્‍ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે, તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુ ઇંદ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્‍િંકચિત્‍રૂપ તે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળ્‍યામાં આવે છે જે કાંઇ શબ્‍દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્‍દ નથી, અને ત્‍વચાએ કરીને સ્‍પર્શમાં આવે છે જે સ્‍પર્શ. તે જેવો એનો સ્‍પર્શ નથી, અને […] read more
1 Views : 461

પંચાળા ૫ : માનીપણું ને નીર્માનીપણું કયાં સારું ?

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”કયે ઠેકાણે માન સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ને કયે ઠેકાણે નિર્માનીપણું સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે સત્‍સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ધસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તેજ સારૂં છે. અને તે ધસાતું બોલે ત્‍યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તેજ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારૂં નથી. ને તેની આગળ તો માનને મુકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તેજ રૂડું છે.” ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૫|| ૧૩૧ || read more
0 Views : 355

પંચાળા ૬ : ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમપોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”અમે ઝાઝીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્‍યારે એમ જણાયું જે, ”શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શકિતએ યુક્ત બીજો કોઇ નથી થયો.” કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્નભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણભગવાને પોતાને વિષે દેખાડયો. કેવી રીતે તો પ્રથમ પોતે દેવકીથકી જન્‍મ્‍યા ત્‍યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્‍યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડયું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરૂદ્ધપણું પોતામાં જણાવ્‍યું, તથા અક્રુરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્‍યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડયું જે, ‘પશ્‍ય મે પાર્થ રુપાણિ શતશોડથ સહસ્રશ:’ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરૂષોત્તમપણું જણાવ્‍યું; તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે, “યસ્‍માત્‍ક્ષરમતીતોડહમક્ષરાદપિ ચોત્તમ: | અતોડસ્‍મિ લોકે વેદે ચ પ્રથિત: પુરુષોત્તમ: ||” એવી રીતે પોતે પોતાનું પુરૂષોત્તમપણું જણાવ્‍યું તથા ગોલોકવાસી જે […] read more
0 Views : 359

પંચાળા ૭ : નટની માયાનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ છો ઘડી દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજ નિત્‍યાનંદસ્વામી પાસે શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધની કથા કરાવતા હતા, તેમાં ‘જન્‍માદ્યસ્‍ય યત:’ એ શ્લોક પ્રથમ આવ્‍યો તેનો અર્થ કર્યો ત્‍યારે ‘યત્ર ત્રિસર્ગો મૃષા’ એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્‍યા જે, માયાના ત્રણગુણનો સર્ગ જે પંચભૂત, ઇંદ્રિયો, અંત:કરણ અને દેવતા તે ભગવાનના સ્‍વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે, તથા એ શ્લોકનું પદ જે, ‘ધામ્‍ના સ્‍વેન સદા નિરસ્‍તકુહકમ્’ કેતાં ધામ જે પોતાનું સ્‍વરૂપ તેણે કરીને ટાળ્‍યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્‍યસ્‍વરૂપ છે, તે આત્‍યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્‍વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે, તેવું ને તેવું જ તે પ્રત્‍યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્‍યા કહેવાય. અને એજ પ્રત્‍યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુવે છે ત્‍યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. અને જેમ પોતે જન્‍મ્‍યો હોય, બાળક થાય, […] read more
0 Views : 494

ગઢડા મઘ્ય ૧ : મોહ ઉદય થયાનું

સંવત્ ૧૮૭૭ના જ્યેષ્‍ઠ સુદિ ૧૫ પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળી પાઘ બાંધી હતી, અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ર્ન-ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્‍કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્‍યા જે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે.  અને જ્યારે પુરૂષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્‍યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્‍ય ને આ ન કરવા યોગ્‍ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજે જ અમે વિચાર્યું છે જે, આજ અર્ધ રાત હતી ત્‍યારે અમારે નિદ્રા ઉડી ગઇ હતી. પછી અમે ઉત્તરાદિ દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્‍યારે એમ વિચાર થયો જે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ […] read more
0 Views : 465

ગઢડા મઘ્ય ૨ : પાણીની સેરનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદી ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, અમે વાર્તા કરીએ છીએ” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને આત્‍યંતિક કલ્‍યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે. અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્‍દ્રિયો અંત:કરણને પોતાનું રૂપ માને છે. પણ વસ્‍તુગતે જીવ ઇન્‍દ્રિયો, અંત:કરણથકી નોખો છે. અને પંચ વિષય છે તે અંત:કરણ થકી નોખા છે. પણ એતો વિષયને અભ્‍યાસે કરીને અંત:કરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્‍પત્તિ તે તો ઇન્‍દ્રિયો થકી થાય છે. પણ અંત:કરણમાંથી નથી થતી. જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્‍દ્રિયોને સંબંધ થાય છે. પછી ઇન્‍દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલીકોરે તેનો પ્રવેશ થાય છે. પણ એની ઉત્‍પત્તિ માંહીલીકોરેથી નથી. એતો બાહેરથી ઉત્‍પન્ન થઇને માંહીલીકોરે પ્રવેશ […] read more
0 Views : 398
Powered By Indic IME