Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ચોસઠપદી પદ:- ૪

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી ।। સહુ  અંતરે  કરો  વિચાર,  ઘણું  શું  કહુ  કથી ।। ૧ ।। એક જમતાં બોલિયો શંખ,  અસંખ્યથી શું સર્યું ।। એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું ।। ૨ ।। એમ એક પૂજયે પૂજયા સહુ, સેવ્યે સહુ સેવિયા ।। માટે  ઘણું  ઘણું  શું  કહું,  ભેદ  ભકતના  કહ્યા ।। ૩ ।। હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ ।। કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ ।। ૪ ।। read more
0 Views : 574

ચોસઠપદી પદ:- પ

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય  બળે ।। એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।। ૧ ।। માન  મમતા  મત્સર  મોહ,  ઈર્ષ્યા  અતિ  ઘણી ।। એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી ।। ૨ ।। તેને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામિયે ।। જે જમાડિયે તે પણ જાય, ખાધુ જે હરામિયે ।। ૩ ।। એના દર્શન તે દુઃખ દેણ,  ન થાય તો ન કીજિયે ।। સુણી નિષ્કુળાનંદના વેણ, સહુ માની લીજિયે ।। ૪ ।। read more
0 Views : 343

ચોસઠપદી પદ:- ૬

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની ।। જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની ।। ૧ ।। એને  અર્થે  કરે  ઉપાય,  શોધી  સારા  ગામને ।। પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય  દામ  વામને ।। ૨ ।। કરે  કથા  કીર્તન  કાવ્ય, અર્થ એ સારવા ।। ભલો દેખાડે  ભકત  ભાવ, પર ઘર મારવા ।। ૩ ।। એથી કે દી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું ।। કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।। ૪ ।। read more
0 Views : 319

ચોસઠપદી પદ:- ૭

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ ।। ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી ।। ૧ ।। તેણે જનમ પશુને પાડ,  ખોયો ખોટા કારણે ।। મોક્ષ  મારગે  દીધા  કમાડ,  કડી  જડી  બારણે ।। ૨ ।। ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઈ જળમાં ।। મેલી મુકત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં ।। ૩ ।। આપ ડા’પણે આખો દિવસ, દુઃખે ભર્યો દોયલો ।। કહે નિષ્કુળાનંદ અવશ્ય, ખાટ્યો  માલ ખોયલો ।। ૪ ।। read more
0 Views : 466

ચોસઠપદી પદ:- ૮

સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં ।। સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં ।। ૧ ।। જડભરત  જનક  જયદેવ,  એવું  થાવું  આપણે ।। ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે ।। ૨ ।। અતિ આદર્યું કામ અતોલ,  પરલોક પામવા ।। ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા ।। ૩ ।। વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા ।। કરી  નિષ્કુળાનંદ  વિચાર,  સંત  અસંત  કહ્યા ।। ૪ ।। read more
0 Views : 284

ચોસઠપદી પદ:- ૯

રાગ  :-  ધોળ   ‘લટકાળા  તારે  લટકે  રે, લેરખડા’ સાચા સંતના અંગ એંધાણ રે, જોઈ લેવા જીવડિયે ।। જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડિયે ।। ૧ ।। ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની ।। ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની ।। ૨ ।। હશે હારદ હૈયાં કેરું રે, વણ કહ્યે પણ વરતાશે ।। જેમ જેમ છપાડશે  ઘણેરું રે, તેમ તેમ છતું થાશે ।। ૩ ।। ખાય ખૂણે લસણ લકી  રે, તે ગંધ કરે છુપાવાનું ।। કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું ।। ૪ ।। read more
0 Views : 289

ચોસઠપદી પદ:- ૧૦

જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે ।। કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે ।। ૧ ।। જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે ।। અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે ।। ૨ ।। જોને ચીલ  ચઢે અસમાને  રે, નજર તેની નીચી છે ।। દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે ।। ૩ ।। એવા લક્ષણવાળા લાખુ રે, દીઠા મે દગે ભરિયા ।। કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા ।। ૪ ।। read more
0 Views : 268

ચોસઠપદી પદ:- ૧૧

કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ ।। ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ ।। ૧ ।। સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી ।। અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી ।। ૨ ।। માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે ।। નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે ।। ૩ ।। ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી ।। થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી ।। ૪ ।। read more
0 Views : 185
Powered By Indic IME