Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧ર

આપણે તો સો બસો માણસને પાંખમાં લઇને ઉડી જાઇએ એવા છીએ, ને તે કરતાં બ્રહ્માંડ આખાના જીવને લઇને ઊડી જાઇએ એવા છીએ, પણ એવું મનાય નહિ : તે શાથી જે મનુષ્યાકૃતિ છે. ૩૧૨ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૩

અને જીવની અવળાઇ તે શું કહીએ ! જીવ તે જીવ જ. તે કહ્યું છે: જે ‘ઊટ તો સર્વે અંગે વાંકું’ એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. ૩૧૩ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૪

અંતરમાં ટાઢું હોય ને કોઇક વચન મારે તો ભડકો થાય તે સમાધાન કરવાનો ઉપાય તો જ્ઞાન છે. ૩૧૪ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧પ

અને ભગવાનનો ને મોટા સાધુનો નિશ્વય જેને થયો હોય તે પોતાને પૂર્ણકામ માને, ને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્ષ્‍ટાંત : જે જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રુપિયા હોય તેને કાળ પડે, તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્ષ્‍ટાંત : જે બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્વયવાળાને બીક નહિ. ૩૧૫ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૬

અને પૃથ્‍વીનું રાજ કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તે વનમાં જઇને રહે તો ત્‍યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૩૧૬ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૭

અને નાનું  છોકરું હોય તેને ભય આવે, તો પોતાનાં માવતરને કોટે બાઝી પડે. તેમજ આપણે હરકોઇ દુ:ખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્‍તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. ૩૧૭ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૮

અને અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ ક્રિયારુપ થાવા દઇએ નહિ ને તેમાં બંધાવા દઇએ નહિ, ને તેનો નિષેધ કર્યા કરીએ. ને બીજા ક્રિયા કરાવે તેતો તેમાં જોડી દિયે, તે ક્રિયારુપ થઇને ક્રિયા કરે, ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસૂબા કરે, ને અમારો મત એવો : જે ક્રિયા કરાવવામાં પણ ક્રિયારુપ ન થાવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસુબા ન કરવા. ને વ્‍યવહાર આવ્‍યો તે ક્રિયા પણ કરવી પડે, તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહિ. ૩૧૮ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૯

પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહિ ત્‍યાં સુધી સત્‍સંગનું સુખ આવે નહિ, તે કેની પેઠે ? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્‍યારે નદીમાં નવું જુનૂં પાણી ભેળું થાય, તે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્‍યારે સર્વે નવું  પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્‍સંગનું સુખ આવે છે. ૩૧૯ read more
0 Views : 94
Powered By Indic IME