Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૬

આપણે પોતાના સ્‍વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્‍થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્‍મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્‍યા તે અક્ષર માનવું.  ૨૫૬ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૭

અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે. ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય, ને ઇંદ્રિયો અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. ૨૫૭ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૮

શ્વાન, સૂકર, બિલાડ, ખર, તેના ટોળા માંહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદ્ગુરુ સંત’ એમ કહીને કહ્યું : જે ‘વસ્‍તુ નહિ કોઇ સંત સમાના’ તે આપણને મળ્‍યા છે. ૨૫૮ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૯

અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્‍યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્‍ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯ read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૦

અને ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્‍યાણ કર્યું, તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું. ૨૬૦ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૧

અને મઘ્‍યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્‍યા : જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, ને દેશકાળે સત્‍સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. ૨૬૧ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬ર

અને મહારાજ કહેતા : જે ‘અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમજે એ એમ જાણે છે જે ‘કોઇક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે ?’ માટે એ અમારો દ્રોહ કરતા નથી.’ ૨૬૨ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૩

અને દેહ મૂકીને પામવા છે તે આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહિ ને જે ત્‍યાગ વૈરાગ્‍યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. ૨૬૩ read more
0 Views : 87
Powered By Indic IME