Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૯

દોહા :- મહામુકત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ।। કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।। ૧ ।। અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।। આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।। ૨ ।। જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ।। એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ।। ૩ ।। જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ।। તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।। ૪ ।। ચોપાઈ :- ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ।। સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ।। ૫ ।। પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે ।। ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે ।। ૬ ।। એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ।। વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે ।। ૭ ।। વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે ।। બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે ।। ૮ ।। વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ।। ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે […] read more
0 Views : 257

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૦

દોહા :- શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર ।। ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ।। ૧ ।। કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ ।। પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ ।। ૨ ।। જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું ધન ।। વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ।। ૩ ।। તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ ।। એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજયો લેશ ।। ૪ ।। ચોપાઈ :- ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે ।। ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે ।। ૫ ।। જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે ।। તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે ।। ૬ ।। સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે ।। જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે ।। ૭ ।। અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને ઝાલે રે ।। એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જકતગુરુ એ કહેવાય રે ।। ૮ ।। હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે ।। ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, […] read more
0 Views : 264

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૧

દોહા :- મુમુક્ષુ કહે મુકતને, જયારે જમ એ પર કરે રોષ ।। ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ।। તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ।। ૨ ।। ઓળખી ન શકયા અસત ગુરુ, સમજયા વિના થયા શિષ્ય ।। અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ ।। ૩ ।। એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ।। એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ।। ૪ ।। ચોપાઈ :- એવું સાંભળી મુકત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ।। કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું રે ।। ૫ ।। એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ।। હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે રે ।। ૬ ।। હોય બક તિયાં હંસ હોય રે, જયાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ।। હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે ।। ૭ ।। હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ।। હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ।। ૮ ।। તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા […] read more
0 Views : 196

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૨

દોહા :- મુમુક્ષુ કહે મહામુકતને, સંશય રહ્યો નથી રતીભાર ।। તમે કહ્યું તેમજ છે, એમાં નથી ફેર લગાર ।। ૧ ।। દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય ।। ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કે’વાય ।। ૨ ।। વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ ।। એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ।। ૩ ।। પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ ।। જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ પ્રગટ મળે પોતે જયારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે ।। જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે ।। ૫ ।। જોગી જતિ તપસી સંન્યાસી રે,સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે ।। હરિ હર અજ અમરેશ રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે ।। ૬ ।। તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે ।। એવી વાત એ છે દુર્ઘટ રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે ।। ૭ ।। પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે ।। કે’જયો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે ।। ૮ ।। કેવી કરે પ્રભુજીની ભકત રે,જેણે કરીને પામે […] read more
0 Views : 187

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૩

દોહા :- જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર ।। જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર ।। ૧ ।। પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય ।। સર્વે કારજ સારિયાં, જાણજયો આ જગમાંય ।। ૨ ।। પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય ।। તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ।। ૩ ।। મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર ।। સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર ।। ૪ ।। ચોપાઈ :- જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ રે ।। ધ્વજપટ કયુર્ં નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે ।। ૫ ।। જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે ।। રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે ।। ૬ ।। એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે ।। બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે ।। ૭ ।। સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું રે ।। એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે ।। ૮ ।। કરે ભકત સદા નિષ્કામ રે, ચતુરધાનું ન પૂછે નામ રે ।। માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે […] read more
0 Views : 222

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૪

દોહા :- એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુકત મહારાજ ।। પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય ।। શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ।। ૨ ।। પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ ।। સાજ સમાજ સરવે, રહી જાય તેનો રળેલ ।। ૩ ।। પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કયુર્ં કાંઈ અર્થ ।। તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ ।। ૪ ।। જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે ।। મેળ્યાં અન્ન ધન કયાર્ં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે ।। ૫ ।। વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે ।। વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે ।। ૬ ।। પર્વ સદાવ્રત વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે ।। ગાય ગવા મહિષી ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે ।। ૭ ।। વાંસે આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે ।। વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે ।। ૮ ।। આપનારને એ આપ્યા તણું રે, શ્રેય કે’જયો સમજાવી ઘણું રે ।। વળી અસ્થ […] read more
0 Views : 211

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧પ

દોહા :- મુમુક્ષુ તારા મનનું, મેં જોઈ લીધું છે જાણ ।। સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ ।। ૧ ।। પડે પ્રતીતિ ભકતપરોક્ષને, મોક્ષનો સમજાય મર્મ ।। એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ ।। ૨ ।। જગ હિતકારી જાણિયો, જિજ્ઞાસુ તુને મેં જોર ।। જે જે પૂછ્યું તેં જીભથી, તે નથી કાંઈ કનોર ।। ૩ ।। આપું ઉત્તર હવે એહના, તેં પૂછિયું મુજને જેહ ।। શ્રુતિ દઈ હવે સુણજે, કહું સર્વે સમજાવી તેહ ।। ૪ ।। ચોપાઈ :- તેં પૂછ્યું પરોક્ષ ભકતતણું રે,તે કહું કાંઈક થોડું ઘણું રે ।। ભૂત ભવિષ્ય ને વર્તમાન રે, કહું ત્રણેની રીત નિદાન રે ।। ૫ ।। ભકત ભકતમાંહિ ભેદ ઘણા રે, સર્વે ભકત ન હોય પ્રભુ તણા રે ।। નિષ્કામ સકામ બે ભકત રે, તેની પણ જાણી જોઈએ વિકત રે ।। ૬ ।। સકામ ભજે કામ સારવા રે, તાપ તન મનના નિવારવા રે ।। એને અર્થે ભજે અવિનાશ રે, તે તો અર્થ સર્યા સુધી દાસ રે ।। ૭ ।। એને ભકત હરિના ન કૈયે રે, વાત એ પણ સમજી લૈયે રે ।। સુત કલત્ર દેહ સારુ રે, ભજે છે ભાવે ભકત હજારું રે ।। ૮ ।। એનું આશ્ચર્ય નહિ કાંઈ અણું રે, સહુ સારે છે કામ આપણું રે ।। સાચા ભકત એને […] read more
0 Views : 198

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૬

દોહા :- મુમુક્ષુ તું મને  માનજયે, પૂરણ આણી પ્રતીત ।। હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત ।। ૧ ।। અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ।। તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી  જો જડે કલ્યાણ ।। ૨ ।। કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ ।। તે સહુનું તું સમજજયે, તર્યા મળ્યા જેને મહારાજ ।। ૩ ।। આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ।। મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ।। ૪ ।। ચોપાઈ :- તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું કયાંઈ રે ।। બ્રહ્મલોક લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે ।। ૫ ।। જોતાં કલ્યાણ કયાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે ।। યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે ।। ૬ ।। અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે ।। મર પૂજો યજો  ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે ।। ૭ ।। એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે ।। શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે ।। ૮ ।। એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે ।। ત્યારે […] read more
0 Views : 324
Powered By Indic IME