Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૮

અને બ્રહ્મવેત્તાને મતે તો વેદ માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણત્રીમાં નથી, એમ જડભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્‍મા ને પરમાત્‍મા એ બે જ વાત રાખવી એમ કહ્યું, તે ઉપર છેલ્‍લા પ્રકરણનું છેલ્‍લું વચનામૃત વંચાવ્‍યું ને બોલ્‍યા : જે આ વચનામૃતમાં પણ ‘આત્‍મા ને પરમાત્‍મા એ બે વાતનો વેગ લગાડી દેવો.’ એમ મહારાજનો સિદ્ધાંત છે. ૨૦૮ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૯

અને મારો દેહ પચીશ વર્ષ થયાં આવરદા વિનાનો રહ્યો છે, તે શા સારુ ? જે મુમુક્ષુના રુડાને અર્થે રહ્યો છે, ને મહારાજનું સ્‍વરુપ સમજાવવું પડે તે સારુ અમને રાખ્‍યા છે. ૨૦૯ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૦

અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુકતાનંદ સ્‍વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહિ હોય, એમ સમજણમાં રહ્યું છે. ૨૧૦ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૧

આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્‍ય તો છે નહિ, માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ સમજવું ને હેત  તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્‍યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ એની મોટાઇ છે. ૨૧૧ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧ર

અને જેમ છે એમ કહીએ તો ધેર કોઇ જઇ શકે નહિ, ને ધેર જાય તો ત્‍યાં રહેવાય નહિ, એમ કહીને બોલ્‍યા જે: તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે, ત્‍યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્‍યાં કોઇ વીરનાં.  એમ બોલ્‍યા. ૨૧૨ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૩

રાજાને પાણી ન પાયું તો પણ તેણે સંકલ્‍પ કર્યોં હતો તેથી ગામ આપ્યું, તે જીવ પોતાના સ્‍વભાવ મુકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્‍વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. ૨૧૩ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૪

માની હોય તેને માન આપીને જીતવો, ગર્વી હોય તેની આગળ દીન થઇને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો, ને ગરીબ હોય તેને દબાવીને જીતવો, એમ કેટલીક જ્ઞાન કળા શીખવી. ૨૧૪ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧પ

દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે છે ત્‍યારે આનંદ થાય, ને રુએ ત્‍યારે મૂંઝવણ થાય, ને દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એક સમજે છે તેને કયું સાધન કરવાનું બાકી છે ? કાંઇ પણ નથી. ૨૧પ read more
0 Views : 80
Powered By Indic IME