Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯ર

પણ એક શબ્‍દે કરીને તો સ્‍વરુપાનંદ સ્‍વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્‍દ પડે ત્‍યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. ૧૯૨ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૩

પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઇમાં કોઇ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય, ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્‍કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્‍સંગની મોટપ તો નિશ્વય વડે છે પણ સાધને કરીને નથી. ૧૯૩. read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૪

આપણું કલ્‍યાણ તો પ્રત્‍યક્ષ ભગવાનને આશરે કરીને છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્‍યાણને અર્થ છે, કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્‍યાણ થાય. ૧૯૪ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯પ

કેટલાક ધર્મમાં આકરા હોય, પણ સમજણ થોડી હોય, ને કેટલાક ધર્મમા સામાન્‍ય હોય, તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. ૧૯૫ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૬

અને બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમજે એમાંથી તો માણસ ગાંડા થઇ જાય છે, તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્‍નની વાત કરીએ છીએ, કેમજે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે. ૧૯૬ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૭

આપણે જાણીએ છઇએ, જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને ઝાઝું હેત છે. ૧૯૭ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૮

અને જીવ માત્ર લધુશંકાના છે, તે એનું ભજન કરે છે. ને એ વિના તો રહેવાય નહિ. તે કયાં સુદી ? જે વૈરાટ સુધી ન રહેવાય, ને એમાંથી તો એક સનકાદિક તર્યાં. ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે, ને આપણે તો કોઇક લોકમાંથી આવ્‍યા હશું તે આંહી બેસાય છે, ને આવો યોગ મળ્‍યો છે, નીકર મળે નહિ. ને વિષય વિના તો જીવથી રહેવાય નહિ. તે સારુ વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી, તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી. તે સારાં સારાં માણસ પણ નથી ચાલતાં, કેમજે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી. ૧૯૮ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૯

આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્‍યવહાર કરવો ને ન બંધાવું, એવા તો એક સહજાનંદ સ્‍વામી છે. ને આ કામ તો કેવું છે ? આઠ દોકડાભારની ઉંદરડી ને માથે હજાર મણનો પાટડો પડે, તે ઉદરડી કયાંય દેખાય નહિ એવું છે. તે મહારાજે કહ્યું છે : ‘જે ગોપાળાનંદ સ્‍વામી ને મુકતાનંદ સ્‍વામી તે પણ ઊતરતા જેવા રહે કે ન રહે માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે રાખવા. ને સોનું રાખીને ઉપર રુપિયા દેવા તે ખોટ ન આવે, ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્‍મનિષ્‍ઠા આદિક ગુણ છે, પણ ભગવાન અને સાધુ જેવું કાંઇ નથી. ૧૯૯ read more
0 Views : 115
Powered By Indic IME