Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વૃત્તિવિવાહ પદ:- ૧૩

(રાગ :- ધોળ) ‘એેવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો’- એ ઢાળ. અહો આજ અમારા હો ભાગ્ય, અમર વર વરિયા રે; વર સુંદર શ્યામ સુજાણ, નીરખીને નયણાં ઠરિયાં રે. ।। ૧ ।। વર નિરગુણ ને નિર્લેપ, સગુણ થયા સ્વામી રે; વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામી રે. ।। ૨ ।। વર અતોલ ને રે અમાપ, થાય ન થાપ રતિ રે; વર હરિ હર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ રે. ।। ૩ ।। વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે; નેતિ નેતિ કહે જેને વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે. ।। ૪ ।। વર ગુરુવા ગુણને પાર, તે તો કેમ જાય કહ્યા રે; વર અજર છે જો અજિત, પ્રીતે પ્રગટ થયા રે. ।। ૫ ।। વાલે ધર્યુ મનુષ્ય શરીર, જનહેત કારણે રે; જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણે રે. ।। ૬ ।। મારા પુણ્યતણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે; મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મને સનાથ કરી રે. ।। ૭ ।। read more
0 Views : 1429

વૃત્તિવિવાહ પદ:- ૧૪

(રાગ :- ધોળ) ‘આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે’- એ ઢાળ. ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરી મેલી રે; મારે કે’વું છે કાંઈ કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે. ।। ૧ ।। આ જો આશ્ચર્ય સરખી વાત રે, દીસે નાનડીઓ ઘણી ઘાત રે; એને જગમાં કોઈ ન જાણે રે, એ તો પોતે પોતાને વખાણે રે. ।। ૨ ।। એ તો આજ કાલ્યનો નહિ કાળો રે, જાણું છું જાત્ય નંદજીનો લાલો રે; શીખ્યો કામણ ટૂમણ કાંઈ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઈ રે. ।। ૩ ।। એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે; એ તો ધરનો છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે. ।। ૪ ।। સહુ કોઈ રહ્યું છે સામું જોઈ રે, મુખપર કહી નથી શકતું કોઈ રે; કામણ મોરલીમાં કાંઈ કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે. ।। ૫ ।। તેણે લાગ્યો હરિજીશું હેડો રે, વળી તેનો કા’ન ન મૂકે કેડો રે; ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે. ।। ૬ ।। આપ ઇચ્છાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે; એને મનમાન્યો વર મળ્યો રે, હશે હેત તે પ્રીતે પળ્યો રે. ।। ૭ ।। એમાં અમારું શિયું ગયું રે, ભલે સુખ જો સખીને થયું […] read more
0 Views : 1417

વૃત્તિવિવાહ પદ:- ૧પ

(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ. એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત, હો બેની એમ ન કહ્યે એહને વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય. હો ।। ૧ ।। સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય.હો ।। જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય.હો ।। ૨ ।। તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર.હો ।। સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર.હો ।। ૩ ।। એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર.હો ।। સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર.હો ।। ૪ ।। તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર.હો ।। જેને વચને તે વિકાર વામીએ, તેને કેમ વળગે વિકાર.હો ।। ૫ ।। એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત.હો ।। એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત.હો ।। ૬ ।। દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ.હો ।। એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ.હો ।। ૭ ।। હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ.હો ।। સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ.હો ।। ૮ ।। read more
0 Views : 1409

વૃત્તિવિવાહ પદ:- ૧૬

(રાગ :- ધોળ) ‘કંકુ છાંટી કંકોતરી મોકલી,’- એ ઢાળ.. મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે; કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ।। ૧ ।। મોટા મન ધરજયો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે; ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે. ।। ૨ ।। અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે; અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજયો તે પ્રીતશું રે; ।। ૩ ।। વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે; નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ।। ૪ ।। વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે; અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ।। ૫ ।। શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે; સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ।। ૬ ।। દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે; નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ।। ૭ ।। નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે; તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ।। ૮ ।। read more
0 Views : 1384

વૃત્તિવિવાહ પદ:- ૧૭

(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ. જીરે સજજ થાઓને સુંદરી, મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી. ।। જીરે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર ।। ૧ ।। જીરે પંનર નવને પરહરી, તજો પંચ વિષયની રે પ્રીત કે; સુંદર ।। જીરે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર ।। ૨ ।। જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર ।। જીરે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર ।। ૩ ।। જીરે મોટાં ભાગ્ય કરી માનજયે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર ।। જીરે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર ।। ૪ ।। read more
0 Views : 1398

વૃત્તિવિવાહ પદ:- ૧૮

(રાગ :- ધોળ) ‘ગોપીનાથ આવો મારે આંગણે’- એ ઢાળ. સખી આજ આનંદ વધામણા, મારે હૈડે રે સખી હરખ ન માય કે…..ટેક દીન દયાળે દયાકરી, બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે.. આજ ।। ૧ ।। સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે.. આજ ।। ૨ ।। સખી કરુણા રસમય મૂરતિ, નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે.. આજ ।। ૩ ।। સખી છબી છબીલાની જોઈને, મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે.. આજ ।। ૪ ।। ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દીઠે રે નવ થાય જો સુખ કે.. આજ ।। ૫ ।। સખી નટવર કુંવર નીરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે.. આજ ।। ૬ ।। સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે.. આજ ।। ૭ ।। સખી ધન્ય ધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે.. આજ ।। ૮ ।। મારું જીવિત સફળ કરી જાણિયું, રાજી થયા રે સ્વામી સહજાનંદ કે.. આજ ।। ૯ ।। મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદે રે મારી કરી છે સાર કે.. આજ ।।૧૦।। સખી નિષ્કુળાનંદના નાથને, જાઉં વારણે રે હું તો વારમવાર કે.. આજ ।।૧૧।। read more
0 Views : 1383

વૃત્તિવિવાહ પદ:- ૧૯

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે, તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે. મનવાંછિત મહાસુખ માણશે રે, વળી જાણશે જે પિયુના પ્રતાપ રે.. અખંડ ।। ૧ ।। સખી વરીએ તો અમર એ વરને રે, જેનું એવાતણ અખંડ અભંગ રે.. અખંડ ।। ૨ ।। સખી સુખ અલ્પ આ સંસારનાં રે, તેનો સમજુ ન કરે કે દી સંગ રે.. અખંડ ।। ૩ ।। સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે, તે તો સંસારનાં સુખ સરાય રે.. અખંડ ।। ૪ ।। સખી વિવેકી રહે છે તેથી વેગળા રે, તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે.. અખંડ ।। ૫ ।। સખી સનકાદિકે શુકે શું કર્યું રે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે.. અખંડ ।। ૬ ।। સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે, બીજું અન્ય ભજે જાણો ભૂર રે.. અખંડ ।। ૭ ।। read more
0 Views : 1366

વૃત્તિવિવાહ પદ:- ૨૦

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે. અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે, સ્પરશી હરિપદ થયાં છે પાવન રે.. અલોકી ।। ૧ ।। અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે, જેનો આરે સમામાં અવતાર રે.. અલોકી ।। ૨ ।। અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે, જેને ઉપર છે હરિ અસવાર રે.. અલોકી ।। ૩ ।। અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે, જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે.. અલોકી ।। ૪ ।। જેને અરસ પરસ રહે એકતા રે, હરિ હેતે જમે છે જેને હાથ રે.. અલોકી ।। ૫ ।। અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે, જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે.. અલોકી ।। ૬ ।। તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે, થાવા ચરણકમળના દાસ રે.. અલોકી ।। ૭ ।। તે તો કોણ જાણે જે કેમે હશે રે, તેનો મર્મ જાણે છે મહારાજ રે.. અલોકી ।। ૮ ।। શમ દમ આદિ જે આગે કહ્યા રે, તે તો તન ધરી રહ્યા આજ રે.. અલોકી ।। ૯ ।। સર્વે સમાજ સહિત પધારિયા રે, સંતજનને તે આપવા સુખ રે.. અલોકી ।।૧૦।। અહો ધન્ય […] read more
0 Views : 1369
Powered By Indic IME