Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વૃત્તિવિવાહ પદ:- પ

(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ. શુદ્ધ વિચારથી સાબદા થાઓ રે, ચલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે; જિયાં રે વસે છે જદુપતિ નાથ રે, કે’જયો જઈ વિનતિ જોડી બેઉ હાથ રે. ।। ૧ ।। વે’લા પધારે હો વિશ્વાધાર રે, વાટ કોઈ જુવે છે વિરહવતી નાર રે; સર્વે સખાને તે તેડજયો સાથ રે, ઓપે આંગણિયું અમારું હો નાથ રે. ।। ૨ ।। મારાં કુટુંબી બો’ળા છે બહુ રે, હાંસી જો કરવા આવશે સહુ રે; તે તો તમ થકી પામશે હાર રે, લવલવ કરતાં રહેશે નરનાર રે. ।। ૩ ।। એક અમે તમે અંક જ ભરશું રે, મનના મનોરથ પૂરા કરશું રે; સુખનો સમાજ સંગે લાવજયો રે, નિષ્કુળાનંદના સ્વામી આવજયો રે. ।। ૪ ।। read more
0 Views : 1640

વૃત્તિવિવાહ પદ:- ૬

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. જઈ કહી વિનતિ વિચારે રે, સુણી સર્વે સુંદરવર તે વારે રે; કીધું છે કાંઈ જાદવકુળમાં જાણ રે, વાજે છે અનહદ નાદ નિશાણ રે. ।। ૧ ।। માનિની તે મળીને મંગળ ગાય રે, ઉછરંગ આનંદ અંગે ન માય રે; આવી સર્વે મળ્યો સખાનો જો સાથ રે, આજ્ઞા તેને આપે અનાથનો નાથ રે. ।। ૨ ।। સજજ સર્વે થાઓ તે સખા સહિત રે, જાવું છે જાનમાં કરવી છે જિત રે; કોઈ જો મ આવશો કાયર કાચા રે, દુઃખિયા દુર્બળ વળજયો પાછા રે. ।। ૩ ।। બુઢા ને બાળક રહેજયો બેસી રે, દુર્મતિ દેખીને કરશે હાંસી રે; જન બીજા અનેક મળીને જોશે રે, દુરમતિ વણ વાંકે વગોશે રે. ।। ૪ ।। આપણ સહુ આનંદ માંહી રહેજયો રે, વચન તે કોઈને કટુ મ કે’જયો રે; આવજયો અજિત સર્વે અંગે રે, નિષ્કુળાનંદના સ્વામીને સંગે રે. ।। ૫ ।। read more
0 Views : 1465

વૃત્તિવિવાહ પદ:- ૭

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. સુણી સજજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ।। આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર ।। ૧ ।। આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ ।। સજજ થઈ ક્ષમા અડીખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ ।। ૨ ।। દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ।। ભકત અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।। ૩ ।। સમદષ્ટ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ।। શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ।। ૪ ।। એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ ।। સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન ।। ૫ ।। પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ।। એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ।। ૬ ।। ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર ।। હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ ।। ૭ ।। હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજયો શણગાર ।। વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી ।। ૮ ।। read more
0 Views : 1449

વૃત્તિવિવાહ પદ:- ૮

(રાગ :- ધોળ) ‘દીવા કેરી સગ્ય પુન્યમ કેરો ચંદ વિ’વા કેરી વ્રધ કે વર આવી મળ્યા રે’- એ ઢાળ. વર નિરગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપોશિર ભૂપ, જોઈ જન રૂપ કે નીરખે નાથને રે; વર દીસે છે દિલના દયાળ,દીન પ્રતિપાળ ભૂપના ભૂપાળ, કાળશિર કાળ સુખદાયી સાથમે રે. ।। ૧ ।। વરે પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે જામાચાળ કંઠે મોતીમાળ, દીસે છે વિશાળ કે ભલેરા ભાવની રે; વરે પેર્યો છે જામો જરકશી, કમર લઈ કસી મુખે રહ્યા હસી, જનમન વસી કે મૂરતિ માવની રે. ।। ૨ ।। વરને કરે શોભે વેઢ વીંટી, પોંચી પે’રી દીઠી કડે જોત્ય કોટી, લીધી શોભા લૂંટી કે લોક ત્રણની રે; સોના સાંકળાં શોભે સુચંગ, બાંયે બાજુબંધ કુંડળ ઉતંગ, અતિ શોભા અંગ કે અશરણશરણની રે. ।। ૩ ।। વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ, અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે; કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ, લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે. ।। ૪ ।। નખશિખ શોભા તે કહી ન જાય, કવિ કંઈ ગાય તે થાપ ન થાય, મોટો છે મહિમાંય કે અકળ એ નાથ છે રે; વરે કરમાં લીધી લાલ છડી, પાયે જો મોજડી મોતીએ તે જડી, વર ઘોડે ચડી કે સંગે સખા […] read more
0 Views : 1501

વૃત્તિવિવાહ પદ:- ૯

(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ. સુંદર વર તોરણે પધાર્યા રે, જનમન નવલા નેહ વધાર્યા રે; વાજિંત્ર વાજે છે બહુવિધ રે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે. ।। ૧ ।। પોંખણું લઈને આવે પનોતી રે, વર પોંખી વળી વધાવે છે મોતી રે; સાપટિયાં સુખ દુઃખના ભાંગ્યાં રે, પિંડલિયા તે પાપ પુન્યના ત્યાગ્યા રે. ।। ૨ ।। અંતરપટ પરુ લઈ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધું રે; પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે, મહાસુખ મુજને આપવા માટે રે. ।। ૩ ।। ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે; અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે, નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે. ।। ૪ ।। read more
0 Views : 1452

વૃત્તિવિવાહ પદ:- ૧૦

માયરે બેઠા છે દેવ મોરાર રે, સુંદરીએ સજયો છે શણગાર રે; પહેર્યા છે આનંદના અણવટ રે, અજિત અડગ ને અમટ રે. ।। ૧ ।। ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વે રે, ઉતરી ઉર હરિ એક ભાવે રે; માળા માદળિયા સાંકળી હાર રે, શમ દમ આદિ વિવેક વિચાર રે. ।। ૨ ।। પે’ર્યો છે અખંડ વરનો ચૂડો રે, સુંદરી સુંદર વર પામી રૂડો રે; નાકે તે પે’ર્યા નિર્મળા મોતી રે, સજજ થઈ પિયુને મળવા પનોતી રે. ।। ૩ ।। ચાંદલિયો અવિચળ વરનો ચોડ્યો રે, સંશય તે સર્વે અવર બીજો તોડ્યો રે; મેલ્યો છે નિઃશંકનો શિરમોડ રે, દેખી વાલો રાજી થયા રણછોડ રે. ।। ૪ ।। ઘાટડી વૈરાગ્યની ઘણી સારી રે, સખી એવે શણગારે શણગારી રે; પધરાવ્યા પછી પિયુને પાસ રે, ટાળી છે લોકલાજ તનત્રાસ રે. ।। ૫ ।। બની છે સુંદર સરખી જોડી રે, બાંધી છે ગાંઠ્ય ન છૂટે છોડી રે; વર કંઠે આરોપી વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે. ।। ૬ ।। તન મન સોંપ્યું છે હરિ તમને રે, તમ સંગે શોભા આવી છે અમને રે; ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી તારે થશે જો સનાથ રે. ।। ૭ ।। નિઃશંક નિર્ભય થઈ સર્વે અંગે રે, સુંદર શ્યામળિયા વર સંગે રે; સુંદરી સર્વે અંગે સુખ પામી રે, મળિયા […] read more
0 Views : 1446

વૃત્તિવિવાહ પદ:- ૧૧

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. ચોરી સ્તંભ રચ્યા તિયાં ચાર રે, રહે વ્રતમાને નર નાર રે ।। પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે ।। ૧ ।। ધન્ય સખી સુંદર વર પરણે રે, તન મન સોંપી હરિશરણે રે ।। કામ ક્રોધના જવ તલ બાળ્યા રે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યા રે ।। ૨ ।। પિયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કહ્યાં રે ।। હરિહાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપને ન ગમે સંસાર રે ।। ૩ ।। ફેરા ફરીને આજ ઊતર્યા રે, સર્વે કાજ અમારાં તે સર્યા રે ।। પ્રેમ નેમ ને ભકત ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે ।। ૪ ।। વર વધાવી વારણે જાય રે, નાથ નીરખતા તૃપ્ત ન થાય રે ।। નાથ નીરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઈ મન થયાં મેણ રે ।। ૫ ।। મુખ જોઈ મેલ્યું નવ જાય રે, રહેજયો અખંડ અંતર માંય રે ।। વા’લા વા’લપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે ।। ૬ ।। પૂરું મનોરથ મારા મનના રે, ખંગ વાળું હું ખોયલા દનના રે ।। સખી પૂરણ પુણ્યે હું પામી રે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે ।। ૭ ।। read more
0 Views : 1416

વૃત્તિવિવાહ પદ:- ૧૨

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. છબીલા વાલા છોડો દેવાધિદેવ દોરડો રે,દીસે દોરડીયે દશ ગાંઠ રે.. છબીલા ।। ૧ ।। ગાંઠ અનેક જનમની આવરી રે, તેને લાગશે લગારેક વાર રે.. છબીલા ।। ૨ ।। કળે કળે કરીને છોડજયો રે, નહિ તો તૂટી જાશે નિરધાર રે.. છબીલા ।। ૩ ।। અહં દેહ અભિમાન દોરડો રે, મહાવિકટ છે વિપરીત રે.. છબીલા ।। ૪ ।। તમે તોડવાને તો તૈયાર છો રે, કાંઈ રાખજયો છોડવાની રીત રે.. છબીલા ।। ૫ ।। પડી ગાંઠ્ય ઘૂંચાઈ ઘણા દિનની રે, માંહી અનેક રહ્યા છે ઉત્થાન રે.. છબીલા ।। ૬ ।। નથી કાળીનાગ જે નાથશો રે, નથી દાવાનળ જે કરો પાન રે.. છબીલા ।। ૭ ।। વા’લા આકળે અરથ સરે નહિ રે, ધરી ધીરજ કરો વિચાર રે.. છબીલા ।। ૮ ।। વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છૂટશો રે, આંટી કાઢી જોઈશે આણી વાર રે.. છબીલા ।। ૯ ।। તે તો તમારે હાથે હરિ છૂટશે રે, એમાં નથી અમારો કાંઈ દોષ રે.. છબીલા ।।૧૦।। દયા કરીને છોડજયો દોરડો રે, રખે રાંક જાણી કરો રોષ રે.. છબીલા ।।૧૧।। તમે અનેક જુગતિ આદરી રે, વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે.. છબીલા ।।૧૨।। સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે, જો છોડો તો સઈ છે વાર રે.. છબીલા […] read more
0 Views : 1403
Powered By Indic IME