Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વચનામૃત જયંતી: સંપૂટ ૧

ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્‍યાગ કરવો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) આ સત્‍સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬) સત્‍સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્‍સંગમાં કુસંગ છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૭) જેમ ભુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્‍ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૮) કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્‍મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૨૨) જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્‍સંગમાં મોટેરો છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૩૮) ભગવાનના ભક્તને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪૮) ભગવાનના ભક્ત હોય તેને કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, […] read more
2 Views : 848

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૩

પૂર્વછાયો:- ચાલ્યા પ્રભુ અગત્રાઇ થઇ, આખે પીપળાણે જવા માટ; ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જયાં વાટ. 1 ચોપાઈ:- બંને ગામના ભકતસમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ; બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. 2 ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે; પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. 3 નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા; સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. 4 બંને ગામમાં થાય રસોઇ, દાળ ચોખા ચડાવેલા ધોઇ; મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. 5 બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે; થવા આવી રસોઇ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. 6 સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય ? પાક કેમ કર્યો બેય ગામ ? તમે સમઝ્યા વગર કર્યું કામ. 7 બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે; એમ સમજી રસોઇ કરાવી, જમો સંતસહિત તમે આવી.8 પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુકતમુનિ મયારામ; કહ્યું આ વાતનું કેમ કરવું ? કિયા ગામમાં પ્રથમ વિચરવું. 9 બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી; જયારે બ્રહ્માયે વાછરુ હર્યા, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. 10 વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જયાંય; નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. 11 એવી રીતે […] read more
0 Views : 1857

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧ર

પૂર્વછાયો:- ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ; વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. 1 ચોપાઈ:- સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો; ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. 2 આડો દિવસ રહ્યો જયારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક; ભુજ થકી આવ્યા મુકતાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. 3 કાઠિયાવાડ સોરઠકેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા; ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. 4 દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી; પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. 5 સંત સત્સંગી સૌ લઇ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ; વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. 6 પછી જયાં સભા શ્રેષ્ઠ ભરાઇ, આવ્યા હરબાઇ ને વાલબાઇ; તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત.7 આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી; વાલબાઇ તે કણબી જાતે, હરબાઇ તો કુંભાર નાતે. 8 ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજસંગે; આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદને રહી મળી તેહ. 9 તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્ધૈત મેલ્યો વિસારી; તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. 10 સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે; પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. 11 હતા જયારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે; પછી […] read more
0 Views : 2494

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૧

પૂર્વછાયો:- ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જયાંય; લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય.1 ચોપાઈ:- કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે; કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. 2 આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું; જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુકતનો કીધો મેળાપ. 3 ગાદી પામ્યા પછી કોઇ વાર, તમે આવ્યા નથી એહ ઠાર; અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. 4 સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ; કાળવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. 5 એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ; માટે શી રીતે અહિંથી જવાય ? મારું વેણ મિથ્યા કેમ થાય ? 6 સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી; અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. 7 વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી; હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. 8 સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ; કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. 9 ધનતેરશ આવશે જયારે, અમે ત્યાં આવશું તેહ વારે; સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. 10 જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો; કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. 11 ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજયા ચૌદશે હનુમંત વીર; પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. 12 […] read more
0 Views : 1807

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, તમે સુણો અભેસિંહ ભ્રાત; લીલા કરી માંગરોળમાં, તેની કહું વિશેષે વાત. 1 ચોપાઈ:- રામાનંદસ્વામી હતા જયારે, માંગરોળ વિષે તેહ વારે; બાંધ્યું હતું સદાવ્રત એક, આવતા તીર્થવાસી અનેક. 2 કર્યુંજાતું વેરાગીયે તોફાન, તેથી બંધ કર્યું અન્નદાન; સહજાનંદ સ્વામીયે ધાર્યું, અહીં કરિયે સદાવ્રત સારું. 3 આતમારામ નામે વેરાગી, તેની જગ્યા જથાજોગ્ય લાગી; તેને બોલાવીને કહ્યું ત્યારે, અન્નસત્ર તો કરવું અમારે. 4 તેને યોગ્ય છે જગ્યા તમારી, તમે કામ કરો મન ધારી; ખર્ચ થાશે તે આપશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. 5 સાધુ રાખશું ચાર અમારા, બીજા રાખજો સાધુ તમારા; એવી રીતે કહ્યું ઘનશામે, વાત માની તે આતમારામે. 6 ચાર સાધુ મુકયા એહ ઠામ, હવે હું કહું તેહનાં નામ; મુકયા આનંદસ્વામીની પાસ, એક તો રામસેવકદાસ. 7 હરિદાસ અને દેવાદાસ, રાખ્યો ચારેનો ત્યાંજ નિવાસ; પછી માંડ્યું સદાવ્રત દેવા, તીર્થવાસી આવે બહુ લેવા. 8 કૈંક માસ પછી તેહ કામે, કરી ગરબડ આતમારામે; સંત સાથે તો ઇરષા વાધી, અતિ કરવાને માંડી ઉપાધી. 9 આનંદાનંદને હરિદાસે, પછી જગ્યા કરી વાવ્ય પાસે; સાધુ ચારે ગયા ત્યાં રહેવા, માંડ્યું ત્યાંજ સદાવ્રત દેવા. 10 એ જ રીતે વળી બીજે ગામે, અન્નસત્ર કર્યા ઘનશામે; સુણજો અભેસિંહ મહીશ, કથા તે તો પછીથી કહીશ. 11 માંગરોળ તણી વળી વાત, કરું એહ પ્રસંગે પ્રખ્યાત; એક દૂધતળાવડી નામ, તેમાં નાવા ગયા […] read more
0 Views : 3380

વાસુદેવ નારાયણ વિષ્‍ણુ મોહન કૃષ્‍ણ મુરારી… પદ:- ૧

રાગ : ભૈરવ વાસુદેવ નારાયણ વિષ્‍ણુ મોહન કૃષ્‍ણ મુરારી, શંક ચક્ર કરકમળ ગદાધર કમળાવર સુખકારી.  વાસુદેવ૦  ૧ માધવ મુકુંદ માવ મધુસૂદન અક્ષરપર અવિનાશી, રાધારમણ રમાપતિ રાઘવ હૃષીકેશ સુખરાશી.  વાસુદેવ૦  ૨ પ્રાણનાથ પુરુષોત્તમ પૂરણ પ્રભુ પૂરણ અપારા, પુંડરીકર્દગ પાળ પુરાતન પીતાંબર જગપ્‍યારા.   વાસુદેવ૦  ૩ નરભ્રાતા નરસિંહ નિરંજન નાથ નિડર બહુનામી, તપફ્‍ળ તપકારક તપવલ્‍લભ ધરનીધર ચિદ્ધામી.  વાસુદેવ૦  ૪ વામન વિશ્વાધાર વિશ્વંભર વરદાયક વ્રતધારી, વિભુવરાહ વિમળજશ વિઠ્ઠલ વ્રજપતિ કુંજવિહારી.  વાસુદેવ૦  ૫ કમલનયન કેશવ કરુણાનિધિ કેવળ નાથણ કાલી, હંસ હરિ હયગ્રીવ હિરણ્‍મય મચ્‍છ કચ્‍છ વનમાળી.  વાસુદેવ૦  ૫ ગોકુલેશ ગોપાળ ગરુડધ્‍વજ ગુણાતીત ગોવિંદા, ગોપીજનવલ્‍લભ ગિરિધારી ચતુરબાહુ વ્રજચંદા.  વાસુદેવ૦  ૭ ભવતારણ ભૂધર ભુવનેશા ભક્‍તવત્‍સલ ભયહારી, બદ્રીપતિ બળવીર મહાબળ શ્‍યામ રામ કંસારી.  વાસુદેવ૦  ૮ જગકર્તા જગદીશ જગદ્‌ગુરૂ જગજીવન જદુરાયા, યજ્ઞ યજ્ઞભુક્‍તા યોગેશ્વર કલ્‍કી બુદ્ધ કહાયા.   વાસુદેવ૦  ૯ ઊર્ધ્‍વબાહુ મુક્‍તેશ અધોક્ષજ અચ્‍યુત અમર અનંતા, દીનબંધુ નટવર દામોદર કલિહર ત્રિભુવન કંતા.   વાસુદેવ૦  ૧૦ પ્રાતઃસમય ઘનશ્‍યામ પિયાકી નામમાળ ઉઠી ગાયે, બ્રહ્માનંદ મનોહર મુરતિ અંતરમાંહે ઠેરાયે.  વાસુદેવ૦  ૧૧ read more
2 Views : 2440

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત; મગનીરામે શું કર્યું, હવે તે હું કહું છું વાત. 1 ચોપાઈ:- ચાલ્યો શ્રીહરિ પાસેથી જયારે, ગયો તરત પોતાને ઉતારે; શુદ્ધ વસ્ત્ર ધર્યાર્ં કરી સ્નાન, બેઠો એકાંતે થૈ સાવધાન. 2 ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું; આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળીકા ધરી. 3 કરી હોમ કર્યું તરપણ, ત્યાં તો આવી દેવી તતક્ષણ; કેમ સમરી મને કહે દેવી, માગ્ય માગ્ય ઇચ્છા હોય જેવી. 4 મુખે બોલિયો મગનીરામ, કહું છું તે કરો એક કામ; માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. 5 મોટામોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા; મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શકયો નહિ કોય.6 ફર્યો દક્ષિણ પૂરવ દેશ, કર્યો પશ્ચિમ દેશ પ્રવેશ; ઘણા નરપતિના દંડ લીધા, અભિમાની ઘણા વશ કીધા. 7 મહાસાગરનો પામી પાર, હવે ડૂંબું છું ખાડા મોઝાર; માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. 8 એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ; એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. 9 મારો કોઇ પરાભવ કરે, તેની લાજ તો તુજને ઠરે; માટે જાઓ માતા હાલહાલ, ધરો વેષ મહા વિકરાળ. 10 એનાં સર્વ મનુષ્યો સહીત, નાંખો સાગર માંહી ખચીત; ત્યારે જીત્યો હું જગમાં જણાઉં, નહિ તો […] read more
1 Views : 2451

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની… પદ:- ૧-૪

રાગ : ભૈરવી પ્રભાતી  પદ – ૧ પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે. પ્રાત૦ ટેક૦ નખશિખ નિરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાત૦ ૧ રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્‍યા મન મોરે રે; પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરેરે. પ્રાત૦ ૨ અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ર બહુ શોભે રે; પુષ્‍પતણાં આભૂષણ જોઇ જોઇ, ભક્‍તતણાં મન લોભેરે. પ્રાત૦ ૩ મેઘ સરીખેરે ઘેરે સાદે, બોલતા બહુનામી રે; ભક્‍ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્‍વામીરે. પ્રાત૦ ૪ પદ – ૨ પ્રાતઃ સમે શ્રી સ્‍વામીજીનાં, ચરણ ચિહ્ન ચિંતવિયે રે. પ્રાત૦ ટેક૦ સ્‍વસ્‍તિ જવ જાંબુ ધ્‍વજ રેખા, અંતરમાં ગોઠવીયેરે. પ્રાત૦ ૧ કુલિશ કમળ અંકુશ અષ્ટકોણ, જમણે ચરણે સંભારું રે; વામ પદે મત્‍સ્‍ય ત્રિકોણ કલશ ખરી, વ્‍યોમ ધનુષ શશી ધારું રે. પ્રાત૦૨ જમણે ચરણે અંગુઠા ઉપરે, નખમાંહી ચિહ્ન જોઇરે; પેલીને છેલી આંગળીએ તિલ, તેમાં મન રાખું ઠોઇ રે. પ્રાત૦ ૩ રાતા ને ચડીયાતા નખ દશે, આંગળીયોના જોવું રે; પ્રેમાનંદ જોઇ પાની ઘુંટી, પિંડીમાં મન પ્રોવું રે. પ્રાત૦ ૪ પદ – ૩ પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂરતિમાં મન ધરીયે રે. પ્રાત૦ ટેક૦ એ અવસરે જે આડ કરે તે, પાપ જાણી પરહરીયે રે. પ્રાત૦ ૧ જાનું જુગલ જોઇને સુંદર, સાથળ શોભા સારી રે; વામ સાથળમાં ચિહ્ન એક નિરખું, શ્‍યામ કટિ લાગે પ્‍યારી રે. પ્રાત૦ ૨ કમળ […] read more
1 Views : 1636
Powered By Indic IME