શ્રીજી અને સંતોના યોગમાં આવતા ગોંડલના શેખમિયાંને શ્રીજી મહારાજમાં અનન્ય આસ્થા અને અચળ નિષ્ઠા બંધાઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદર હોવા છતાંય એ રહેણીકરણી અને સત્સંગના નિયમપાલનમાં હિન્દુથીય સવાયા બની રહ્યા હતા. શેખમિયાં જ્યારે શ્રીહરિના દર્શને આવે ત્યારે પ્રભુ એમને ફૂલહાર આપી આદર સત્કાર કરે ને સભામાંય આગળ બેસારે પણ કેટલાક કાઠીઓને મન તો એ મુસ્લિમ. એનો આવો આદર સત્કાર એમને તો આંખના કણાની જેમ ખૂંચે. એકવાર શેખમિયાં ગઢપુર દર્શને આવ્યા. પ્રભુએ એમને ફૂલહાર અર્પણ કરી સભામાં આગળ બેસાર્યા આથી ડંખિલા કાઠીઓ મનમાં સમસમી ગયા. કેટલાક તો સભામાંથી ઉઠી એક બાજુ ખૂણે ગુસપુસ વાતોએ વળગ્યા. ‘ભણે આ યવનનું માન સન્માન મહારાજ ભલેને કરે. એની કયાં ના છે પણ એ ગોલકુનો યવન આપણી આગળ બેસે એ તો બિલકુલ વ્યાજબી નથી લાગતું.’ અંતર્યામી શ્રીહરિએ કાઠી ભક્તોની આ અકળામણ ઓળખી લીધી. સમજ્યા વિના આવી ટીકા કરનારાઓ અને આ શેખમિયાંની સ્થિતિ વચ્ચેની આકાશપાતાળ જેવી વાસ્તવિકતાનું ભાન કરાવવા મહારાજે મનોમન નક્કી કરી લીધું. કથાવાર્તા પૂરી થતાં સહુ ભક્તો ઉઠીને ચાલતા થયા પછી પોતા પાસે બેસી રહેલા શેખમિયાંને શ્રીજીએ કહ્યું, અહીં ડોક ઉપર જરા રગતગ જેવું થઈ ગયું હોવાથી ‘તમે ઊભા થઈ જરા હળવે હાથે અમને ડોક ઉપર તમારા હાથથી કાંઈક થોડું મારો તો રાહત થાય.’ આ સાંભળી શેખ કહેવા લાગ્યા, ‘અરે મહારાજ ! આપ આ શું […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)