Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

shantiswami

E-Mail: You need to be a registered (and logged in) user to view shantiswami email address

Total Articles : 26

પ્રસંગ ર૪: કસોટી અને કયાસ

શ્રીજી અને સંતોના યોગમાં આવતા ગોંડલના શેખમિયાંને શ્રીજી મહારાજમાં અનન્ય આસ્થા અને અચળ નિષ્ઠા બંધાઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદર હોવા છતાંય એ રહેણીકરણી અને સત્સંગના નિયમપાલનમાં હિન્દુથીય સવાયા બની રહ્યા હતા. શેખમિયાં જ્યારે શ્રીહરિના દર્શને આવે ત્યારે પ્રભુ એમને ફૂલહાર આપી આદર સત્કાર કરે ને સભામાંય આગળ બેસારે પણ કેટલાક કાઠીઓને મન તો એ મુસ્લિમ. એનો આવો આદર સત્કાર એમને તો આંખના કણાની જેમ ખૂંચે. એકવાર શેખમિયાં ગઢપુર દર્શને આવ્યા. પ્રભુએ એમને ફૂલહાર અર્પણ કરી સભામાં આગળ બેસાર્યા આથી ડંખિલા કાઠીઓ મનમાં સમસમી ગયા. કેટલાક તો સભામાંથી ઉઠી એક બાજુ ખૂણે ગુસપુસ વાતોએ વળગ્યા. ‘ભણે આ યવનનું માન સન્માન મહારાજ ભલેને કરે. એની કયાં ના છે પણ એ ગોલકુનો યવન આપણી આગળ બેસે એ તો બિલકુલ વ્યાજબી નથી લાગતું.’ અંતર્યામી શ્રીહરિએ કાઠી ભક્તોની આ અકળામણ ઓળખી લીધી. સમજ્યા વિના આવી ટીકા કરનારાઓ અને આ શેખમિયાંની સ્થિતિ વચ્ચેની આકાશપાતાળ જેવી વાસ્તવિકતાનું ભાન કરાવવા મહારાજે મનોમન નક્કી કરી લીધું. કથાવાર્તા પૂરી થતાં સહુ ભક્તો ઉઠીને ચાલતા થયા પછી પોતા પાસે બેસી રહેલા શેખમિયાંને શ્રીજીએ કહ્યું, અહીં ડોક ઉપર જરા રગતગ જેવું થઈ ગયું હોવાથી ‘તમે ઊભા થઈ જરા હળવે હાથે અમને ડોક ઉપર તમારા હાથથી કાંઈક થોડું મારો તો રાહત થાય.’ આ સાંભળી શેખ કહેવા લાગ્યા, ‘અરે મહારાજ ! આપ આ શું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 262

પ્રાક્કથન

જીવનની સાચી સૌરભ પ્રગટે છે સત્સંગથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે સર્વ સાધનોમાં સત્સંગ શ્રેષ્ઠ છે. ભગવાન તેમજ તેમના એકાંતિક ભક્તોના પ્રસંગથી સત્સંગ બાગમાં મહેકતાં અનેક જીવનપુષ્પો ખીલે છે. જ્ઞાનની ગહન વાતો કરતાં સંતો અને ભક્તોના જીવન પ્રસંગો પ્રેરણાદાયક છે ને આપણા અંતરને ભીંજવી જીવન ઘડતર કરે છે. આવા સત્સંગપુષ્પોની અનેરી સુવાસ આપના સુધી પહોંચાડવા માટે આ નાની પુસ્તિકા દ્વારા પ્રશંસનીય પ્રયાસ થયો છે. આ પુસ્તિકાના લેખક સ્વામી લક્ષ્મીનારાયણદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મુખપત્ર સદ્વિદ્યા માસિકના સહતંત્રી છે. પૂ. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી તેમનામાં લેખનશક્તિ ખીલી. સત્સંગ સૌરભમાં રજૂ થયેલા પ્રસંગોને લેખકે રસાળ શૈલીમાં નિરુપ્યા છે. અલ્પ સમયમાં એક જ બેઠકે પૂરી થઈ શકે તેવી આ નાનકડી પુસ્તિકા એક વખત હાથમાં લીધા પછી સાંગોપાંગ પૂરી કરવાનું મન થાય એવી એની રોચક અને રસદાયક શૈલી છે. હાથમાં લીધેલ અત્તરનું પૂમડું છોડી દીધા પછી પણ પોતાની સુવાસ મૂકતું જાય તેમ આ પ્રેરણાદાયક પ્રસંગો વાંચતી વખતે તો આપણા અંતરને રસતરબોળ કરે છે પણ વાંચી લીધા બાદ પણ આપણા અંતરમાં કોઈ અનેરી પ્રેરક સુવાસ છોડતા જાય છે અને એટલે જ આ પુસ્તિકાનું નામ સત્સંગ સૌરભ સાર્થક ઠરે છે. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164
Powered By Indic IME