Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

shantiswami

E-Mail: You need to be a registered (and logged in) user to view shantiswami email address

Total Articles : 26

સત્સંગ પરિક્ષા

પરીક્ષા માટે રજીસ્ટ્રેશન: Click here [તમે પહેલા રજીટ્રેશન કરાવ્યું હોય તો ફરીથી કરવાની જરૂર નથી. તમારો પરીક્ષા નંબર તમને યાદ ના હોય તો 214-317-5182 ઉપર મેસેજ કરી મેળવી શકશો] EXAM – 1 (May 2025) Gujarati PDF English PDF Audio Chapter 1 Mock Test Chapter 2 Mock Test Chapter 3 Mock Test Chapter 4 Mock Test તારીખ: May 18, 2023 | Sunday | 1 pm to 2 pm CST ==== EXAM – 3 (2023) Gujarati PDF તારીખ: July 23, 2023 | Sunday | 1 pm to 2 pm CST ==== EXAM – 2 (2022) સત્સંગની પાઠશાળા – 2 | PDF | Satsang Pathshala – 2 English ઓડિયો ફાઇલ્સ – ગુજરાતી તારીખ: September 11 2022 | Sunday | 1 pm to 2 pm CST ==== EXAM – 1 (2022) સત્સંગની પાઠશાળા – 1 Satsang Pathshala – 1 English તારીખ: April 24 2022 | Sunday | 1 pm to 2 pm CST ==== EXAM – 5 (2021) સત્સંગની શુભ વાર્તાઓ – ભાગ 5 – (પ્રસંગ 9 થી 16) સત્સંગની શુભ વાર્તાઓ – ભાગ 5 – (પ્રસંગ 9 થી 16) Audio Files Satsang Saurabh – Part 2 (Chapter 1 to 8) English તારીખ: December 12 2021| Sunday | 1 pm to 2 pm CST ==== EXAM – 4 […] read more

Edit | Renew | Delete | (expires in days)

34 Views : 17178

પ્રસંગ ૧: રંગ છે રૂપાભાઈને

Audio વીસ વીઘાનો દોઢ માથોડું ઊંચો દેશી ધોળી શેરડીનો રજવાડી વાઢ પવનનાં લેરખામાં આમથી તેમ ઝૂલી રહ્યો છે. લીલોછમ હરિયાળો આ વાઢ જોનારની આંખનેય ઠારે છે પણ રાત વેળાએ કોણ જાણે કયાંથી એક ડાલામથો સિંહ આવીને આ વાઢમાં ઘૂસી ગયો. દિવસે વાઢમાં પાણી વાળવા ગયેલ પાણતિયે અંદરની બાજુએ ભીના ધોરિયામાં સૂતેલો આ વિકરાળ સિંહ જોયો કે તુરત એના તો હાજાં ગગડી ગયાં. પાણી વાળવું પડતું મૂકીને એતો બીકનો માર્યો વાઢ બહાર ભાગી આવ્યો. થરથર કંપતા એણે વાઢમાં સિંહ ભરાયો હોવાની વાત કરી જેથી વાઢને પાણી પાવાનું હવે મુશ્કેલ બની ગયું. રાત વેળાએ ઝપટે ચડેલ ઢોર–ઢાંખરનું મારણ કરી આ ડાલામથો દિવસ દરમિયાન વાઢમાં ભરાઈ રહે. રાતે તો ઠીક પણ દિવસેય કોઈ વાઢ તરફ ફરકવાની હિંમત ન કરે એવી સિંહની ધાક પ્રસરી ગઈ. વાઢમાં સિંહ પેસી ગયાની વાત જાણી ભાવનગરના રાજવી વજેસિંહજીએ સિંહને વાઢમાંથી હાંકી કાઢવા એક બળકમદાર જમાદારને થોડા સિપાઈઓ સાથે ત્યાં મોકલ્યો. જમાદારે પોતાનો વટ પાડવા વાઢની આસપાસ સિપાઈઓને ગોઠવી બંદૂકના બાર કરાવ્યા એટલે વીફરેલો સિંહ ભૂરાયો થઈ બહાર ધસી આવ્યો ને એક બે સિપાઈને ઝપટમાં લઈ લોહીલોહાણ કરી નાખ્યા. આથી બીજા સિપાઈઓ અને જમાદાર જીવ બચાવવા મૂઠિયું વાળીને નાસી ગયા ને સિંહ તો પાછો વાઢમાં ભરાઈ ગયો. સિંહ વાઢમાંથી નીકળતો નથી. એના ડરથી ખેડૂતો એ તરફ જતાં થથરે છે. […] read more

Edit | Renew | Delete | (expires in days)

4 Views : 1066

પ્રસંગ ર: આશીર્વાદના અધિકારી

Audio ચોમેર ગાઢ અંધકાર પથરાયો છે. આકાશના ચંદરવામાં નાના મોટા અસંખ્ય તારાઓ ચમકી રહ્યા છે. નિરવતા ભર્યા વાતાવરણમાં મંદિરનાં શિખરો પર ધજાઓ ફરફરી રહી છે. સંતોની ધર્મશાળામાં નાનકડો દીવો લબૂક ઝબૂક ટમટમી રહ્યો છે. એક અશક્ત અને વૃદ્ધ સંત સાદા બિછાના પર સૂતા છે. એમની નરમગરમ તબિયત અન કળતરથી તૂટતા શરીરને એક યુવાન સંત મહિમાથી દબાવી રહ્યા છે. વૃદ્ધ સંતને શરીરે જરા કરાર વળતાં એમને નિરાંતની નિદ્રા આવી ગઈ. આમ છતાં પેલા શ્રદ્ધાળુ સંતે દેહને દબાવવાની સેવા ચાલુ રાખી. એટલું જ નહિ પણ એમ ને એમ જ આખી રાત પસાર થઈ ગઈ અને વહેલી સવારનાં ચોઘડિયાં સંભળાયાં ! એથી વૃદ્ધ સંતની નિદ્રા તૂટી. એમણે કહ્યું, ‘સાધુરામ ! આતો ચોઘડિયાં વાગતાં લાગેછે તો શું તમે આમ ને આમ આખી રાત મને દાબતા રહ્યા છો ?’ ”હા સ્વામી, આપને શરીરે કળતર ઓછી થઈને નિરાંતે નિદ્રા આવી એના જતન અને હર્ષમાં રાત કયાં વીતી ગઈ એનું મને કાંઈ ભાન નથી રહ્યું.” શ્રદ્ધાળુ સંતે સ્પષ્ટતા કરતાં કહ્યું. આ સાંભળી વૃદ્ધ સંત સફાળા બેઠા થઈ ગયા ને કરુણાભીના બની કહેવા લાગ્યા, ‘ગોપીનાથ, ધન્ય છે તમારી આવી શ્રદ્ધાને ! તમારો આવો સેવાધર્મ જોઈને મારું અંતર તો આજ તમારા તરફ ઢળી પડે છે. બોલો બોલો, મનમાં કાંઈ માગવાની ઈચ્છા છે ?’ ”ના સ્વામી, મારા મનમાં આવી કોઈ […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 799

પ્રસંગ ૩: આસ્થાને ઓથે

Audio ‘બાપુ ! બાપુ ! ઝટ ઘેર તો હાલો ! આપણી ભૂરીને કાંક થઈ ગયું છે !!’ આવા ઉચાટભર્યા સમાચાર સાંભળતા વાંકિયા ગામના કાઠી દરબાર આલેકવાળા ‘હેં !! કહેતાકને ડાયરામાંથી સફાળા બેઠા થઈ ઝટઝટ ઉચક મને પોતાના ઘર તરફ ભાગ્યા. બાપુની ભેંસને વળી શું થઈ ગયું ! એ જોવા અને જાણવા સારુ આખો ડાયરો બાપુની પાછળ આંગણે ધસી આવ્યો. ત્યાં તો ફળીમાં ભોં સાથે ડોક અફળાવતી અને ટાંગા તરફડાવતી હાથણી જેવી આ ભેંસને આડી પડેલી જોતાં સહુનાં અંતરમાં અરેરાટી થઈ આવી. જાણકારોના મતે ભેંસને એરુ જેવું ઝેરી જનાવર આભડી ગયું હોવાથી એના બચાવની શક્યતા ઓછી હતી. ટંકે અધમણ દૂધ આપતી પોતાની વહાલસોય ભેંસની આવી દારુણ દશા જોઈ બાપુના વલોવાઈ જતાં અંતરમાંથી પોકાર ઉઠતો હતો, ‘બાપ ભૂરી, ઘડીકમાં તને આ શું થઈ ગયું !’ ‘બાપુ, ભૂરીને એરુ આભડી ગયો હોય એમ લાગે છે માટે હવે વખત ગુમાવ્યા વિના ઝટ એરુ ઉતારનારને બોલાવો તે આ હાથણી જેવી ભેંસ કદાચ બચી જાય.’ કોઈ જાણકારે કહ્યું. સહુ નોખી નોખી સલાહ આપ્યા કરતા હતા એથી બાપુનું દિમાગ કોઈ નિર્ણય કરી શકતું નહોતું એટલે કોઈએ ટહુકો કરતાં કહ્યું, ‘હવે બીજે કયાંય ઘોડા કરવા રહેવા દ્યો ને આ સ્વામી મંદિરમાંથી ભગતને જ અહીં બોલાવી લાવોને !’ ‘પણ એ ભગત આવશે ? મારે એની હારે અણબનાવ છે.’ ‘હા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 4926

પ્રસંગ ૪: દયાળુ સંતની દુઆ

Audio ‘સ્વામીજી ! આ સાધુના બન્ને હાથમાં તો ભયંકર ગેગ્રીન છે. આ રોગ તો કોઈપણ ઉપાયે મટી શકતો નથી. હા, એને અટકાવી જરૂર શકાય પણ સડો તો કાંડાં સુધી પહોંચી ગયો છે એટલે હવે કાંડા પાસેથી હાથ કાપ્યા વિના કોઈ ઉપાય કે છૂટકો નથી. વળી અંદર સડો તો વધતો જ જાય છે. જો હવે જરાય મોડું કરશો તો વધારે હાથ કાપવા પડશે.’ રાજકોટની સિવિલ હોસ્પિટલના નિષ્ણાત સર્જને વડીલ સંતને નિદાનનો ગંભીર રિપોર્ટ આપતાં કહ્યું. ‘સાહેબ, આપની વાત તો જાણે સાચી પણ અમારેય આ બાબત પર આગળ પાછળ વિચાર તો કરવો પડેને ? અમે એકાદ બે દિવસમાં જ અમારો નિર્ણય આપને જણાવીશું.’ જેતપુરથી સાથે આવેલા વડીલ સંતે સર્જનને પ્રત્યુત્તર આપતાં કહ્યું. આ પછી માંદા સંતને સ્વામિનારાયણ મંદિરે લાવવામાં આવ્યા ત્યાં રહેલા સંતોએ હાથ કપાવવાના રિપોર્ટની વાત સાંભળી ત્યારે ‘અરે ! કાંડેથી હાથ કપાવવા પડશે તોતો પરેશાનીનો પાર નહિ રહે!’ સહુનાં મોંમાંથી સહાનુભૂતિના ભારે ચિત્કાર નીકળી ગયા પણ એમ કર્યા વિના હવે બીજો કોઈ ઉપાય નહોતો. ડોકટરના આવા સ્પષ્ટ અભિપ્રાયે સહુને વિમાસણમાં મૂકી દીધા હતા. આમ છતાં ત્યાં ઊભેલા પ્રભુપરાયણ એક વયોવૃદ્ધ સંતવર્યનો અભિપ્રાય પૂછવા સાથેના વડીલ સંતે કહ્યું, ‘સ્વામી, ડોકટરે તો કાંડાં કાપવા જ પડશે એમ કહ્યું છે. આમાં હવે અમારે કેમ કરવું ? આપનો શો અભિપ્રાય છે ?’ આ દયાળુ […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 589

પ્રસંગ ૫: સંતોની સખાતે

Audio ‘પ્રભુ, બીજું તો અમો આપને શું કહીએ પણ મોટી બોરુનો ગગનગર બાવો આપણા સાધુને મારઝૂડ કરીને જે ત્રાસ આપે છે ઈતો અમારાથી કેમેય જોયું કે સહ્યુંય થાતું નથી.’ નાની બોરુ ગામને ગોંદરે થોડી વિશ્રાંતિ લેવા રોકાએલા મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ પાસે ફરિયાદ કરતા દેવચંદ શેઠે ભારે વિષાદ સાથે કહ્યું. ‘અરે ભલા માણસ, તમે આટલા બધા છો ને એ બાવો વગર વાંકે નિર્દોષ સાધુને માર મારી હેરાન કરે ! તોય તમે સાધુનું ઉપરાણું નથી લેતા !’ શ્રીહરિએ આશ્ચર્યભેર હળવી ટકોર કરતાં કહ્યું. ‘પણ મહારાજ, ઈ ભૂંડાને દરબાર આપાભાઈનો ઓથ છે, નહિ તો અમેય ઈ લબાડને ક્યારનોય સીધો કરી દેવી એમ છીએ.’ ચીકા પંડયાએ ભારે ચીડ ને રોષ સાથે કહ્યું. ‘ભણે મહારાજ, એ કામ અમને જ સોંપોને ? એ ગોલકુનાને જરા ઠમઠોરીને પૂજા કરીએ જેથી એ ગધીનો સંતોનું નામ લેતો ભૂલી જાય !’ સૂરા ખાચરે જરા અકળાઈ જઈને કહ્યું. શ્રીજીએ આ સાંભળીને કહ્યું, ‘જુઓ દરબાર, આપણે રહ્યા વટેમાર્ગુ એટલે આવો ઝઘડો કરવો એ આપણને ન પોસાય પણ આજે એનો કાંઈક રસ્તો તો જરૂર કાઢવો પડશે.’ એમ કહી શ્રીજીએ દેવચંદ શેઠને જ કહ્યું, ‘આ તમારા નાની બોરુ ગામના મુખી કોણ છે ? એમને જ અમારી પાસે અહીં બોલાવી લાવોને ?’ શ્રીજીનો આદેશ થતાં શેઠ ઉપડતે પગલે રાજપૂત વીહાભાઈ મુખીને ઘેર જઈ એમને બોલાવી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 4838

પ્રસંગ ૬: સંતવર્યનું સામર્થ્ય

Audio જૂનાગઢ નાગરવાડમાં વાત પ્રસરી કે સ્વામિનારાયણના મંદિરમાં ભારે મોટી વિશાળ હવેલીના પાયા ખોદાઈ રહ્યા છે. આ માહિતી મળતા જિજ્ઞાસુઓ ત્યાં જોવા આવવા લાગ્યા. સદ્.ગુણાતીતાનંદ સ્વામી અને બાંધકામની આગવી સૂઝ ધરાવતા સ્વામી કૃષ્ણસેવાદાસજીની દોરવણી પ્રમાણે ઉત્સાહી સંતો, શ્રદ્ધાળુ પાળાઓ અને સેવાભાવી હરિભકતો ભારે મહિમાથી શ્રમસેવા કરીને દોઢ બે માથોડા ઊંડા ગાળેલા પાયાઓ મોટા મોટા ભારે પથ્થરોથી પૂરી રહ્યા હતા. હરિભકતો ગાડાં ભરી ભરીને કાળવામાંથી પથ્થરો લાવતા હતા. નદીમાંથી લાવવામાં આવેલ પાણાઓને પાયામાં નાખે એટલે ત્યાં ઊભા રહી પૂ. સ્વામીશ્રી બોલે ‘હવે એેને કાઢવા હરામ.’ નાગરો જોવા આવે. એમાં કેટલાક આ જોઈને રાજી થાય તો કેટલાક દ્વેષિલાઓને પેટમાં બળતરાય થાય. નાગરવાડમાં બંધાએલ સ્વામિનારાયણનું ભવ્ય મંદિર જ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય તેમાં આવી વિશાળ હવેલી બંધાતી અદેખાથી તો કેમ દેખી જાય ? મંદિરના નિર્માણ વખેતય ઘણાય કાવાદાવા કરેલા પણ કારી નહોતી ફાવી. આમ છતાં આ હવેલીના બાંધકામમાંય વિધ્ન નાખવા ઈર્ષાળુઓ એકઠા થયા ને કાંઈક કડી શોધવા લાગ્યા એમના ધ્યાનમાં એક બાબત આવી. આથી હરખમાં આવી જઈને એકાદ બે વગદારનાગર અમલદારોને આગળ કરીને એમણે સરકારમાં સ્વામી મંદિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે સ્વામી મંદિરના માણસો રાજયની પરવાનગી વગર કાળવા નદીમાંથી રાજયની માલિકીના ઘણા પથ્થરો ઉઠાવી ગયા છે. ફરિયાદ થતાં વજીરે એ અંગે તપાસ કરાવી તો કાળવા નદીમાંથી સ્વામી મંદિરના માણસો વગર પરવાનગીએ પાણા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 373

પ્રસંગ ૭: સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ

Audio એક સમજુ અને સ્થિતપ્રજ્ઞ ભકતજનના પ્રેરણાદાયી જીવન પ્રસંગની આ વાત છે. પોતે બન્ને આંખે અંધ બન્યા ને અધૂરામાં પૂરું વળી ઘરભંગ પણ થયા. આમ છતાં એમની ઉચ્ચ સમજણમાં અને પ્રભુનિષ્ઠામાં આ વિકટ વિટંબણાની વિપરીત અસર થવા નહોતી પામી. ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહીં જે કરશે તે ઠીક જ હશે.’ આ સૂત્ર એમના જીવનમાં જડાઈ ગયેલું. આ ભકતને સંતાનમાં એક દીકરો ને એક દીકરી. દીકરાના લગ્ન થયાં ન હતાં અને દીકરી તો પરણીને સાસરે ગયેલી પણ વિધવા થવાથી પિયરમાં આવી અંધ પિતાજીની સેવામાં રહી ગઈ હતી. દીકરો ખંતથી ખેતીનું કામકાજ કરે. દીકરી ઘરનું કામ સંભાળે પણ બન્ને બેનભાઈ પિતાજીની અનુવૃત્તિ બરોબર જાળવે. ઘરમાં તેમજ વ્યવહારમાં પ્રભુકૃપાથી બધુંય સાનુકૂળ ચાલતું હતું પણ પ્રભુને આ સ્થિતપ્રજ્ઞ ભક્તની કસોટી કરવી હોય એમ એની માથે અણધારી આફત ઉતરી આવી. એકનો એક અને કમાઉ દીકરો ગંભીર માંદગીમાં સપડાયો. ગામડા ગામમાં એ જમાનામાં સારવારેય બીજી શું ઉપલબ્ધ હોય ! એટલે એમણે ઘરગથ્થું ઉપચાર કર્યા પણ દર્દમાં કોઈ ફેર ન પડયો. આયુષ્ય ખૂટી ને શ્રીજી મહારાજ એને તેડવા પધાર્યા. અંતરિક્ષમાં રહી દર્શન આપ્યા અને કહ્યું, ‘અમે તો તને તેડવા આવ્યા છીએ પણ તું બાપાને આ અંગે પૂછી જો. એ જો રાજી થઈને રજા આપે તો તને અમારા ધામમાં તેડી જઈએ.’ આ સંવાદ સાંભળી બાજુના ખાટલે બેસી […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 551
Powered By Indic IME