Audio ‘પ્રભુ, બીજું તો અમો આપને શું કહીએ પણ મોટી બોરુનો ગગનગર બાવો આપણા સાધુને મારઝૂડ કરીને જે ત્રાસ આપે છે ઈતો અમારાથી કેમેય જોયું કે સહ્યુંય થાતું નથી.’ નાની બોરુ ગામને ગોંદરે થોડી વિશ્રાંતિ લેવા રોકાએલા મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ પાસે ફરિયાદ કરતા દેવચંદ શેઠે ભારે વિષાદ સાથે કહ્યું. ‘અરે ભલા માણસ, તમે આટલા બધા છો ને એ બાવો વગર વાંકે નિર્દોષ સાધુને માર મારી હેરાન કરે ! તોય તમે સાધુનું ઉપરાણું નથી લેતા !’ શ્રીહરિએ આશ્ચર્યભેર હળવી ટકોર કરતાં કહ્યું. ‘પણ મહારાજ, ઈ ભૂંડાને દરબાર આપાભાઈનો ઓથ છે, નહિ તો અમેય ઈ લબાડને ક્યારનોય સીધો કરી દેવી એમ છીએ.’ ચીકા પંડયાએ ભારે ચીડ ને રોષ સાથે કહ્યું. ‘ભણે મહારાજ, એ કામ અમને જ સોંપોને ? એ ગોલકુનાને જરા ઠમઠોરીને પૂજા કરીએ જેથી એ ગધીનો સંતોનું નામ લેતો ભૂલી જાય !’ સૂરા ખાચરે જરા અકળાઈ જઈને કહ્યું. શ્રીજીએ આ સાંભળીને કહ્યું, ‘જુઓ દરબાર, આપણે રહ્યા વટેમાર્ગુ એટલે આવો ઝઘડો કરવો એ આપણને ન પોસાય પણ આજે એનો કાંઈક રસ્તો તો જરૂર કાઢવો પડશે.’ એમ કહી શ્રીજીએ દેવચંદ શેઠને જ કહ્યું, ‘આ તમારા નાની બોરુ ગામના મુખી કોણ છે ? એમને જ અમારી પાસે અહીં બોલાવી લાવોને ?’ શ્રીજીનો આદેશ થતાં શેઠ ઉપડતે પગલે રાજપૂત વીહાભાઈ મુખીને ઘેર જઈ એમને બોલાવી […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)