Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

સ્નેહગીતા કડવું:- ૦પ

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધરદેહ ધરીજી । તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।। ઢાળ – ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને । સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।। ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।। પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।। સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઊપરથી મન ઊતર્યું ।  જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।। વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।। કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।  વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।। વળી અગ્નિથકી અતિ ઊછળે, અને આવે ઊફાણેદુધ । પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।। લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।  રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું વેલ્યશું ।।૯।। રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।  નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।। કડવું -૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 302

સ્નેહગીતા કડવું:- ૦૬

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઇજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી । કૃષ્ણ કયાં કૃષ્ણ કયાં જેને તેને પુછે જઈજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઇજી ।।૧।। ઢાળ – શુદ્ધ ભૂલી ગઇ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।। વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને । નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલદાઝેછે દૃષ્ણને ।।૩।। ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઈક મષ લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।। ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે,  એહ મષે ચાલિ વાંસે,દયાળુનેદેખવા દૃગે ।।૫।। નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયેદોયલો । ભૂધરજીને ભેટે જયારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।। હરિમુખ જોયે સુખ ઊપજે,વળી શાન્તિ વળે શરીરને ।  અસ્થિર મન તે સ્થિર થાયે, જયારે જુવે હલધર વીરને ।।૭।। એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે ।  પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।। શ્યામ વિના કાંઈ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઈ ।  પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઇ ।।૯।। સ્નેહી જનને સુખ કયાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।  નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 299

સ્નેહગીતા કડવું:- ૦૭

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઈ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ – નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ।।૨।। તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।  ભૌતિકદેહનું ભાન ભૂલી, અતિવાકયદેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમવિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે।।૬।। પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।  જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમપ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું ।  અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહેવેગળા ।  હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે ।  નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 269

સ્નેહગીતા કડવું:- ૦૮

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી । અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આદેહનોજી ।।૧।। ઢાળ – દેહતણેદુઃખે કરીને,દલગીર ન થાયેદલમાં ।દરદદુઃખેદોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ।।૨।। ગુણ ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ । સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।। જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।। વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।  તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।। કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।। રાસ રચિ ખેલ મચિ, વળી વિછોઇ ગયા વનમાં ।  રોઇ રોઇ ખોઇ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।। નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।  તોયે હરિનોદોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।। પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।। લાગી લગન થઈ મગન, વળી તગન કર્યાં તન સુખજી ।  નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 249

સ્નેહગીતા પદ:- ૦ર

રાગ: મારૂ – સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઈ ધ્યાન; ના’વે. ।।૧।। જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઊદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન; ના’વે. ।।૨।। માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન ।  કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન; ના’વે. ।।૩।। સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં રે જ્ઞાન ।  નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે. ।।૪।। પદ ।।૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 215

સ્નેહગીતા કડવું:- ૦૯

સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઈ આપદાજી । સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી ।।૧।। ઢાળ – મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ એણીપરે । રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ।।૨।। વળી વન વાટે ઘરે ઘાટે, દિયેદયાળુદરશનદાન । નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।। હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે । મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે ।।૪।। હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।  પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।। હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને । તાળી વળી લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।। રાત દિવસ વીતે રંગે, વળીઅંગે આનંદ અતિ ઘણું ।  સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ।।૭।। વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।  એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।। પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।  મથુરાં જાવાનું મન કીઘું, ઈચ્છા એવી ઊરમાં ધરી ।।૯।। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।  નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 151

સ્નેહગીતા કડવું:- ૧૦

વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું મનમાંયજી । અલબેલે માંડ્યો પછી એહ ઊપાયજી, અક્રુર આવિયા તેહ સમે ત્યાંયજી ।।૧।। ઢાળ – તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને । રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।। આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર । ગોપી વળી ટોળે મળી, વળી કરેછે વિચાર ।।૩।। આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભવને નથી જો આવિયો । બાઈ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ।।૪।। બાઈ સગો નહિ એ શત્રુ છે કોઈ, નંદ યશોદા ગોપને ।  નિશ્ચે કાંઈક નવું નિપજશે, તમેદેખજોદૈવના કોપને ।।૫।। જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી । વા’લો થઈ કોઈ વૈરિ વસે, આવ્યો એ કરવા ઘાતડી ।।૬।। કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે ।  હેતદેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।। વ્રજજનનું જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે ।  વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજીયે ।।૮।। એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।  આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ।।૯।। પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઈ અક્રુર એનું નામ છે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ।।૧૦।। કડવું ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 170

સ્નેહગીતા કડવું:- ૧૧

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભતરે આવ્યો  ભરીજી । કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ।।૧।। ઢાળ – હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।। કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઈ પ્રાણ-જીવનને, શું છે એના બાઈ મનમાંય ।।૩।। એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ।।૪।। એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।  જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઈ ગોપીતણી ।।૫।। લડથડે કોઈ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નક નયણે ચાલી નીરની ।।૬।। વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।  જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ।।૭।। આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે । પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।। ગયું ધનજોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં ।  એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં ।।૯।। નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, હવે કયાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168
Powered By Indic IME