Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૪

પૂર્વછાયો- હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો કહું તેહ ।।૧।। ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર । ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।। એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ । તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।। કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર । સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।। ચોપાઇ- બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું । સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।। કહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો । એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।। શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જયાં લગી આવ્યું મરણ । ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।। અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ । એવા દિઠા જમદૂત જયારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।। વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી । પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।। મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ । પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।। ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર । આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।। આપે બેઠા છે રથ અનુપે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પપ

પૂર્વછાયો- ધન્યધન્ય ધુવા ગામમાં, જયાં ભક્ત રહે ભાવિક । સહાય કરી જેની શ્યામળે, તેહ કહું હવે કાંઇક ।।૧।। લુવાર ભક્ત લુકી નામે, આવ્યો તેહના દેહનો કાળ । અંતસમે અલબેલડો, આવ્યા તેડવા દયાળ ।।૨।। સંત સહિત શ્યામળો, પધાર્યા પ્રકટ આપ । દર્શન દીધાં દાસને, સહુ નિરખી થયાં નિષ્પાપ ।।૩।। સતસંગી કુસંગી સહુએ, દિઠા પ્રકટ પ્રમાણ । નહિ સ્વપ્ન સાક્ષાત જાણો, આવ્યા શ્યામ સુજાણ ।।૪।। ચોપાઇ- લુકી લાગ્યો લળીલળી પાય, નિર્ખિ નાથ તૃપત ન થાય । કહે નાથ લુકી તારે કાજ, આવ્યા તેડવાને અમે આજ ।।૫।। માટે તરત થાઓ તૈયાર, ચાલો વેળ ન કરો લગાર । ત્યારે લુકીએ તજીયા પ્રાણ, ચાલ્યો નાથને સાથે સુજાણ ।।૬।। સહુ જોઇ રહ્યા બહુ જન, દેખી આશ્ચર્ય કહે ધન્યધન્ય । ઘણા મરે છે આ ગામમાંય, આવે જમ લેવા લઇ જાય ।।૭।। પણ તેડવા આવે મહારાજ, એવું તો અમે દીઠું છે આજ । માટે આતો વારતા અલેખે, થયો પરચો સહુ જન દેખે ।।૮।। વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તેહ લહીએ । તેને પ્રભુમાંહિ પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતણી ।।૯।। તેને ઘેર પધારી ગોવિંદ, પાડી આપ્યાં ચરણારવિંદ । વળી સહુને દિધાં દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૧૦।। કહે ધન્યધન્ય મહારાજ, આતો પરચો પામ્યા અમે આજ । થયાં પ્રકટ પ્રમાણ દર્શન, પાડ્યાં પગલાં થઈ પ્રસન્ન ।।૧૧।। આતો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૬

પૂર્વછાયો – વળી કહું એક વારતા, સુંદર છે અતિસાર । જેણી રીત્યે હરિજનની, વળી કરી હરિયે વાર ।।૧।। બારાં મધ્યે એક બહુ સારું, ગણિએ ગુડેલ ગામ । ખરા ક્ષત્રિ ત્યાં રહે, જેનું છે જીભાઇ નામ ।।૨।। તેહના તે ગામ ઉપરે, વળી આવી ચોરની ધાડ્ય । લાગ્યા તે સહુને લુંટવા, પાપીએ પડાવી રાડ્ય ।।૩।। તેહ સુણિ શૂરવીર ધીર, તરત થયા તૈયાર । રુડા રણમાં રમવા, લીધાં હાથ હથિયાર ।।૪।। ચોપાઇ- મારી ચોેર કર્યા ચકચુર, જે રહ્યા તે ભાગી ગયા દૂર । એક ચોર રહ્યોતો સંતાઇ, કર્યો ઘાવ તેણે શિરમાંઇ ।।૫।। પછી તે તસ્કરને મારી, કાઢી ધાડ્ય ગામમાંથી બારી । કરી જીત વળ્યા નિજઘેર, સમરતાં સ્વામી રુડિપેર ।।૬।। રાખી વરતિ તે મૂર્તિમાંઇ, ઘાયા તેની પીડા નહિ કાંઇ । સુખે વીત્યા દશપાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન ।।૭।। નિર્ખ્યા જીભાઈએ શ્રીજગદીશ, અતિહરખે નમાવિયું શીશ । કહે ધન્ય દીનપ્રતિપાળ, મારી આ સમે લીધી સંભાળ ।।૮।। એમ કહિને જોડિયા હાથ, ત્યારે બોલિયા નેહશું નાથ । આજથકી જાણો ત્રિજે દન, તમારે નથી રાખવું તન ।।૯।। મેલી દેહ આવો બ્રહ્મમોલ, એમ કહી દઇ ચાલ્યા કોલ । ત્યારે રાજી થયા છે જીભાઈ, અતિહરખ પામ્યા મનમાંઈ ।।૧૦।। જોઇ રહ્યા છે વાયદે વાટ, બ્રહ્મમોહોલમાં જાવું તે માટ । ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઇ દશ તે અશ્વાર ।।૧૧।। વાલો આવ્યા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૭

પૂર્વછાયો – વળી કાનમદેશ આમોદમાં, દ્વિજ ભટ્ટ દીનાનાથ । સંશયવત સતસંગમાં, હતો અણસમજે અનાથ ।।૧।। એવા સમામાં આવિયો, વિમુખ અતિ મતિમંદ । અભાગ્ય જોગે આવી મળ્યો, જે ર્નિિવકલ્પાનંદ ।।૨।। તેણે ભટ્ટ ભરમાવિયો, આવિયો તેણે અભાવ । પૂરણ સંશય પાડિયો, તે વિમુખે ભજવ્યો ભાવ ।।૩।। મેલ્યું શરણ મહારાજનું, ત્યારે ભૂતે વરત્યો લાગ । આવી લાગ્યાં અપત્યને, જયારે કર્યો સતસંગ ત્યાગ ।।૪।। ચોપાઇ- સ્તોત્ર અષ્ટક વળી આરતી, તેણે કરીતી હરિની વિનતિ । માટે ભૂતનું તૂત ત્યાં નોય, વળગે હરિ વિમુખ જે હોય ।।૫।। માટે એની સુતા જે વિમુખ, વળગ્યું ભૂત તેને દિયે દુઃખ । જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાનાં લુગડાં ફાડી ।।૬।। રાંધી રસોઇ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોઝાર । ગોળ ઘૃત જળ દુધ દહિ, તેમાં નાખે નરક ભૂત લઇ ।।૭।। એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી । તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેણે ન નિસર્યું ।।૮।। પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યા સુતા તેડી પ્રભુ પાસ । શિશ નમાવી હરિચરણે, કહે નાથ આવિયો હું શરણે ।।૯।। મારી સુતા આ જમુના જેહ, આજ થકી તમારી છે તેહ । એને ભવિષ્યે વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત ।।૧૦।। તેણે કરી બેહાલ બીચારી, માટે આવી એ શરણ તમારી । ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજયો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૮

પૂર્વછાયો- વળી પાંચાળ દેશમાં, કાજુ કારીયાણી ગામ । અનંત લીળા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ ।।૧।। તેહ ગામમાં જે વસે, નરનારી આદિજન । ભાવાભાવે ભગવાનનાં, સહુને થયાં દર્શન ।।૨।। સમજુ થયાં સતસંગી, અણસમજુ રહ્યાં એમ । પાપી નરે પરમોદિયાં, તે કુસંગ તજશે કેમ ।।૩।। પણ દર્શન જેને દયાળનું, તે નિષ્ફળ નવ જાય । અંતસમે અવશ્ય આવી, શ્રીહરિ કરે છે સહાય ।।૪।। ચોપાઇ- તેની વાત સાંભળજયો સહુ, થયું જેમ તેમ હવે કહું । એક કાઠી કુસંગી અપાર, નામ માણશિયો નિરધાર ।।૫।। તેતો સાજો શરીરમાં સુખી, લવલેશ દેહ નહિ દુઃખી । સહજ સ્વભાવે બેઠો તો બાર, આવ્યા જમ લેવા તેને ચાર ।।૬।। અતિકાળા ને કરૂર વાણી, જેને જોઇ જીવે નહિ પ્રાણી । બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાશ પર્સુ હથિયાર ।।૭।। બેઠા બે જણા લોહને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે । પછી ગાડે પાડેથી ઉતરી, લીધો કાઠિને કબજે કરી ।।૮।। દઇ માર ને મોર લૈ કિધો, જમે એમનો એમજ લીધો । મારે બહુ પાડે બુમરાણ, તોય મેલે નહિ જમરાણ ।।૯।। કહે કુસંગી કેમ તું રહ્યો, તજી સ્વામી અમારો શું થયો । જો તું પડ્યો અમારેજ પાને, તો તું સુખ ઇચ્છે હવે શાને ।।૧૦।। બોલ્યો માણશિયો તેહ વારે, છે સ્વામીજીનું દર્શન મારે । બીજાું તો મેં કાંઇ નવ કર્યું, કર્યું તેમાંતો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 159

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૯

પૂર્વછાયો- ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ । દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટ્યે નોય અકાજ ।।૧।। જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ । માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।। દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર । વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।। ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ । તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજયો સહુ તેહ ।।૪।। ચોપાઇ- એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે । તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।। તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે । શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।। અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે । અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।। એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે । જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।। તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે । મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરૂ વેલ્યે મન લોભે રે ।।૯।। બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જાુવે જાણુ નેણે રે । તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 162

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૦

પૂર્વછાયો- અધિકારી એહ ધામનાં, હરિ કર્યાં બહુ નરનાર । કરી અલૌકિક એટલું, પછી મનમાં કર્યો વિચાર ।।૧।। જેહ કારણ હું આવિયો, તે થયું સરવે કાજ । કેડ્યે કરવા નવ રહ્યું, એમ મને વિચાર્યું મહારાજ ।।૨।। જીવ જાણે સહુ જક્તમાં, એમ પ્રૌઢ વધ્યો પ્રતાપ । સૂર્ય સમ શોભી રહ્યો, સત્સંગ સુંદર આપ ।।૩।। વર્ણાશ્રમ હરિ આશરે, જે આવિયાં નરનાર । તેને ભૂલ્યે પણ ભાસે નહિ, જે જાશું જમને દ્વાર ।।૪।। ચોપાઇ- એવો પ્રતાપ પ્રભુજી તણો રે, છાયો દેશ પ્રદેશમાં ઘણો રે । ગામોગામ શહેરપુરે સોય રે, સહજાનંદ સમ નહિ કોય રે ।।૫।। ચ્યારે કોરે શહેરને માંઇ રે, રહ્યો પ્રતાપ પૂરણ છાઇ રે । ત્યારે એમ વિચાર્યું મહારાજ રે, કર્યું સરવે પૂરણ કાજરે ।।૬।। જેહ અર્થે છે આ અવતાર રે, ધરી કર્યું તે સર્વે આ વાર રે । એમ વિચાર્યું મહારાજે મન રે, કર્યું શું શું તે કહુંછું જન રે ।।૭।। કળિબળને પામી અધર્મી રે, થયા અસુર ગુરુ આશ્રમી રે । બીજા ભૂપરૂપે જે રહ્યાતા રે, કરતા પાપ આપ ન બીયાતા રે ।।૮।। તેતો પ્રભુ પોતાને પ્રતાપે રે, પાપી પાછા પડ્યા આપ પાપે રે । વળી કામ ક્રોધ લોભ મોહ રે, માન ઇરષા સ્વાદ સમોહ રે ।।૯।। એહાદિ અધર્મ પરિવાર રે, હતો જીવના હૃદય મોઝાર રે । તેતો નિજ પ્રતાપને બળે રે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 181

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૧

આપી એ નામે એકસો ને સાઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૦।। પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત । પૃથ્વીના તળ ઉપરે, થવા લાગ્યા મોટા ઉતપાત ।।૧।। ચાલ્યા પ્રચંડ પવન અતિ, ગતિ ઘોર કઠોર ઘણી થઇ । ઝાડ પાડ બહુ પડિયાં, કોટ મંદિર ઘર કોઠા કઇ ।।૨।। અતિ અચાનક અગનિ, વળી વુઠિ વેગે વ્યોમમાં । વન ભુવન કૈક ગામ પુર, બહુબહુ બાળ્યાં ભોમમાં ।।૩।। પડ્યા પથર પૃથ્વી ઉપરે, અતિ ઘણા આકાશથી । નારી નર ડર પામિયાં, કહે નહિ ઉગરિયે નાશથી ।।૪।। ચોપાઇ- થાય કઠણ કડાકા વ્યોમ રે, પડે તિખી તડિતો તે ભોમ રે । ત્રુટાં તામસ દેવનાં ધામરે, હતાં દેરાં ડુંગર ને ગામરે ।।૫।। એવો થયો છે ઉલકાપાત રે, શું કહીએ એ સમાની વાત રે । વુઠાં નીર રૂધિરની ધારે રે, જોઇ ભય પામ્યાં સહુ તારે રે ।।૬।। ગયાં સાધુનાં મન ડોળાઇ રે, થયો ઉદ્વેગ તે ઉરમાંઇ રે । ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઇ નિસ્તેજ પામી અશાંતિ રે ।।૭।। હરિભક્ત પુરૂષનાં અંગ રે, ફરક્યાં ડાબાં તે પણ કુઢંગ રે । વળી બાઇ જેને સતસંગ રે, તેનાં ફરક્યાં જમણાં અંગ રે ।।૮।। વળી સ્વપનાં લાધાં છે જેહ રે, અતિ અપશુકન માન્યાં તેહ રે । જાણું ધર્મ ભક્તિની મૂરતિ રે, શોકે રૂદન કરે છે અતિ રે ।।૯।। રાધાકૃષ્ણની પ્રતિમા સોય રે, દ્રગ વિના […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 135
Powered By Indic IME