પૂર્વછાયો- ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ । દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।। મિઠી મિટે માવજી, જયારે જોયા સર્વે જન । દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજયો સહુ જન । આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।। મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ । જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।। ચોપાઇ- મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન । મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।। સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ । તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।। જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ । તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।। કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે । માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।। માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું । યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરૂષ પૂજી ફળ લેવું ।।૯।। એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી । પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।। મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય । પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।। ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત । નાહિ ગોમતી વિપ્રજમાડો, પિંડ દઇ […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)