Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૬

રાગ સામેરી – પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત । અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।। શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે । અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।। અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે । અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।। અપાર કરૂણા અપાર કૃપા, અપાર દયા દલમાં । અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।। અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે । અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।। અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે । મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।। જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ । જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।। જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે । પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।। તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે । પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।। તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી । તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।। કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં । ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।। તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 132

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૭

ચોપાઇ- કરી લીળા પધારીયા લાલ, ગયા દેશપ્રદેશ મરાલ । પછી સત્સંગી સહુ મળી, જોઇ લીળા ગયા ઘેર વળી ।।૧।। ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રળિયાત । કહે સંત મળી વાત જયારે, ત્યારે હરિનાં ચરિત્ર સંભારે ।।૨।। કહે આપણાં ભાગ્ય અપાર, પ્રકટ મળ્યા પ્રાણ આધાર । જેને ઇચ્છે મોટા મુનિજન, તેનાં આપણે થાય દર્શન ।।૩।। જેને ઇચ્છે અતિઘણું અજ, પ્રભુ ચરણની પામવા રજ । જેને ઇચ્છે અતિ ઘણું ઇશ, તે આપણે મળ્યા જગદીશ ।।૪।। જેને ઇચ્છે છે શેષ સુરેશ, શશિ સૂર્ય શારદા ગણેશ । જેને ઇચ્છે છે ક્રોડ તેત્રિશ, જેને ઇચ્છે છે મોટા મુનીશ ।।૫।। જેને ઇચ્છે છે રૂડા ઋષિરાય, તે મળ્યા આપણે અણઇચ્છાય । માટે આપણાં પુણ્ય અપાર, ભલે આવ્યો આ સમે અવતાર ।।૬।। અતિ આપણાં ભાગ્ય અતોલ, ત્રિલોકે નહિ આપણી તોલ । ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય ।।૭।। આતો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ । એમ પરસ્પર કહે છે દાસ, એમ કરતાં વીત્યા પંચ માસ ।।૮।। પછી પોતે પધારીયા હરિ, દાસને દયા દર્શનની કરી । પશ્ચિમ દેશથી પધાર્યા નાથ, સાંખ્યયોગી સખા લઇ સાથ ।।૯।। ગુજરધર ચડોતર દેશ, ગામ સંજાયે કર્યો પ્રવેશ । પધાર્યા બામરોલી ગામ, જઇ ડભાણે કર્યો વિશ્રામ ।।૧૦।। ત્યાંથી ચાલી ઉમરેઠ ગયા, તિયાં રાત્ય પોતે એક […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 122

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૮

રાગ સામેરી- પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત । એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।। સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા । તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।। આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ । ચરણ ર્સ્પિશ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।। પછી મુક્તાનંદજીએ, પુછ્યું પ્રભુને પ્રશન । નાથ તમારૂં ગમતું જે, હોય તે કરીએ સાધન ।।૪।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન । જયારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન ।।૫।। પછી જે જે કરવું, તેહની તે કહું વાત । ગુરૂ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત ।।૬।। ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇંદ્રિય મન જીવ ઇશ્વર । એકએકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર ।।૭।। સંત અસંત એક નહિ, તે વિવેકબુધ્ધિ ધારવી । મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી ।।૮।। મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું । બિરૂદ મારૂં એ ન બદલે, તે સવેર્જનને જણાવવું ।।૯।। દાસના દાસ થઇને, વળી જે રહે સત્સંગમાં । ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં ।।૧૦।। મારાં લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ । તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ ।।૧૧।। મારૂં ધાયુર્ં અસત્ય સત્ય થાય છે, સમરથ મારૂં નામ સહિ । મારી દૃષ્ટિએ જક્ત ઉપજે સમે, અનેક રૂપે માયા થઇ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 154

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૯

ચોપાઇ- એવી લીળા અલૌકિક કીધી, પછી સંતને શીખજ દીધી । સંત ચાલ્યા ગયા ગુજરાત, કરતા સુંદર લીળાની વાત ।।૧।। ખાતાં પિતાં સુતાં સ્વપ્નામાં, કરે મનન લીળાનું મનમાં । જયારે સુતા થકી જન જાગે, ધન્ય ધન્ય નાથ કેવા લાગે ।।૨।। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંય, પ્રભુ વિના ન સાંભરે કાંય । જેજે લીળા કીધી ભગવાને, સંત ચિંતવે તે નિત્ય ધ્યાને ।।૩।। જયારે ધ્યાનમાં બેસે જે જન, જોઇ મૂરતિ થાય મગન । ક્યારે દેખે છે જરકશી વાઘે, શાલ દુશાલ કસુંબી પાઘે ।।૪।। ક્યારે દેખે ફુલમાં ફુલતા, ક્યારે દેખે રંગડામાં રાતા । ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પીચકારી કરે ખ્યાલ ।।૫।। ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકેશું હાર । ક્યારે દેખે પંગત્યમાં ફરતા, લઇ મોદક મનવાર્યું કરતા ।।૬।। ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝુલતા હિંડોરે । ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજયા છે મરાળ ।।૭।। એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો । તેની માંહોમાંહિ કરે વાત, સુણી સંત રહે રળિયાત ।।૮।। એમ કરતાં કાંયેક દિન ગિયા, તિયાં પ્રભુ પોેતે પધારીયા । વરતાલે વાલ્યમજી આવ્યા, ગામોગામથી સંત બોલાવ્યા ।।૯।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિને તૃપ્ત ન થાય । કોઇ કરે કરી કર ચાંપે, કોઇ ચરણ ગ્રહી છાતી છાપે ।।૧૦।। કોઇ કરે પાદોદક પાન, જુવે જનનું હેત ભગવાન । સુંદર શોભે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૦

રાગ સામેરી- પછી નાથ પધારીયા, ગયા તે ગઢડે ગામ । દર્શન દઇ દાસને, વળી કર્યાં પૂરણકામ ।।૧।। જન મળી જીવનને, વળી લળી લાગ્યા પાય । નયણે નિરખી નાથને, હૈયે તે હરખ ન માય ।।૨।। દાસ મળી મહારાજને, વળી પુછેછે બહુ વાલ્યમાં । કહો કૃપા કરી અમને, શી લીળા કરી વરતાલમાં ।।૩।। કેટલાં મનુષ્ય મળ્યાં હતાં, કરતાં પૂજા કઇ પેર । કેમ તમને જમાડતાં, પધરાવી પોતાને ઘેર ।।૪।। પછી પ્રભુજી બોલિયા, સહુ સાંભળજયો હરિજન । ભક્તિ જેવી ગુજરાતમાં, તેવી આજ નથી ત્રિભુવન ।।૫।। રાત્ય દિવસ અમ પાસળે, વળી ઉભા રહે એક પગે । મૂર્તિ ન મેલે મિટથી, વળી મટકું ન ભરે દ્રગે ।।૬।। ગાતાં ગુણ ગોવિંદના, વહી જાય સર્વે જામની । કાય નહિ કીર્તન કરતાં, ભાવિક બહુ નર ભામિની ।।૭।। અતિ દુર્બળ કળ ન પાડે, ફળ ફુલ ખાઇ રહે । જયારે અમે જમ્યાનું કહીએ, ત્યારે જમ્યા છીએ એમ કહે ।।૮।। એકએકથી અધિક અંગે, રંગ છે સતસંગનો । એવા જનને જોઇને, આનંદ ઉમંગે અંગનો ।।૯।। ત્યારે હરિજન બોલિયા, એને નાથ આંહિ તેડાવીએ । એવા મોટા હરિજનની, ઓળખાણ્ય અમને પડાવીએ ।।૧૦।। મહારાજ કહે કોઇ મિષ વિના, એ કેમ આંહી આવે વળી । હુતાસનીનો ઉત્સવ કરીએ, તો આવે સર્વે મળી ।।૧૧।। ત્યારે હરિજન હરખિયા, સાંભળી વાલ્યમની વાતડી । નાથ ઉત્સવ આંહી કરો, તો ધન્યભાગ્ય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૧

ચોપાઇ- પછી સંત ચાલ્યા સહુ મળી, કરતા વાત વાલ્યમની વળી । એક કહે સુણો મુનિ સાથ, કેવા રમતા નટવર નાથ ।।૧।। એક કહે સાંભળો મરાલ, કેવી લીધીતી રમતાં ઢાલ । એક કહે સુણો સંત વળી, કેવો નાખતાતા રંગ વળી ।।૨।। એક કહે સુણો મુનિરાજ, કેવા શોભતાતા મહારાજ । એક કહે જુવોને સંભારી, કેવી નાખતાતા પીચકારી ।।૩।। એક કહે લટકાળો લાલ, કેવો ઉડાડતાતા ગુલાલ । એમ કહે માંહોમાંહિ મળી, કેવો રહ્યો તો રંગડો ઢળી ।।૪।। ફરતા પંગત્યમાં પાક લઇ, ના ના કરતાં જાતા જોરે દઇ । એક કહે સુણો ઋષિરાય, લાલ આવ્યા હતા લેરમાંય ।।૫।। આજ લીળા કરી જે દયાળે, એવી કરી નોતિ કોઇ કાળે । આગે અનેક ધર્યા અવતાર, બહુ જનનો કરવા ઉધ્ધાર ।।૬।। છેતો એના એજ આ શ્રીહરિ, પણ આવી લીળા નોતિ કરી । આજ આપ્યાં જે સંતને સુખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।૭।। માટે મોટાં ભાગ્ય છે આપણાં, આજ ન રાખી મહારાજે મણા । એમ વાત કરતાં તે વળી, ગઇ દેશ પ્રદેશે મંડળી ।।૮।। કરે વાત ફરે મુનિજન, એમ કરતાં વીત્યા કાંઇક દન । પછી આવી છે જનમાષ્ટમી, સંત આવ્યા ચડોતરે ભમી ।।૯।। સહુ વિટિ રહ્યા વરતાલ, ઇયાં આવશે લાડીલો લાલ । એમ વાટ જુવે સહુ સાથ, કહે જોબને તેડ્યા છે નાથ ।।૧૦।। વાટ જોતાં વાલ્યમજી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭ર

રાગ સામેરી- એમ નિત્યે નવી નાથજી, કરે લીળા સુંદર શ્યામ । સંત રહ્યા ગુજરાત્યમાં, પોતે આવ્યા ગઢડે ગામ ।।૧।। અતિરાજી અલબેલડો, કરે હસી હસીને વાતડી । સંતમંડળને શ્યામળો, ઘણું સરાય છે ઘડી ઘડી ।।૨।। પરમહંસ જેવા પૃથ્વીમાં, આજ નથી કોઇ અંગે । તન મનનાં સુખ ત્યાગી, રાચ્યા છે પ્રભુને રંગે ।।૩।। ત્યાગ વૈરાગ્યે ત્રણ્યે લોકમાં, નાવે જોડ્યે કોઇ જન । તેને જોઇ અંતર મારૂં, થાય છે પ્રરસન ।।૪।। એમ કહે અલબેલડો, મોટ્યપ મુનિજનની । સુણી હરિજન મનમાં, ઇચ્છા કરી દર્શનની ।।૫।। જને વહેલ્યું જોતરી, ચાલ્યા સવેર્સખા સાથજી । સંગે સુંદર શ્યામળો, પોતે પધાર્યા નાથજી ।।૬।। વાટ માંહિ વિવિધ ભાત્યે, લીળા લાલ કરે ઘણી । જોઇ જન મન મોદ પામ્યા, સામર્થી શ્રીહરિતણી ।।૭।। પછી જઇ જેતલપુરમાં, છબીલો છાના રહ્યા । દિન દો ચારેક ત્યાં રહી, પછી વાલમજી વળી આવિયા ।।૮।। ત્યાર પછી પધારીયા તે, વળી વરતાલ ગામ । દેવા દર્શન દાસને, આવ્યા તે સુંદર શ્યામ ।।૯।। સંત સવેર્સાંભળી વળી, આવ્યા અલબેલા કને । સુંદર શ્યામ સલુણી મૂર્તિ, નિર્ખિ નયણાં ભરી જને ।।૧૦।। સંતને બહુ સુખ આપ્યાં, કરી હરિ વાત હિતની । સુણિ જન મન મગન થયાં, સ્થિર થઇ વૃત્તિ ચિત્તની ।।૧૧।। પછી બીજે દિન બોલિયા, સંત સાંભળો સહુ વાત । અમે આંઇથી સધાવશું, આપો શિખ દઇ રળિયાત ।।૧૨।। રાજી થઇ શિખ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 165

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૭૩

ચોપાઇ- પછી વરતાલે વાલો આવિયા, દિન દોયક પોતે ત્યાં રીહ્યા । પોતે પધાર્યા દેશ પંચાળ, દીનબંધુ જે દીનદયાળ ।।૧।। સંત સરવે રહ્યા ગુજરાત, કરે હરિજન આગે વાત । સહુ કરી લીયો ઘરકાજ, હમણાં કરશે ઉત્સવ મહારાજ ।।૨।। આવી હુતાસની દિન થોડે, પ્રભુ પધારશે ચડી ઘોડે । એવું સાંભળી સતસંગી જન, કરે મનોરથ વળી મન ।।૩।। હવે તેડાવશે પ્રભુ જયારે, જાશું સહુ મળી દર્શને ત્યારે । કહે એક કરાવું પોશાગ, શાલ દુશાલ સોનેરી પાઘ ।।૪।। જામો જરી સુંદર સુરવાળ, સારો સોનેરી છેડે ચોફાળ । એક કહે વેઢ વિંટી કડાં, કરાવીશ કનકનાં રૂડાં ।।૫।। બાજુ કાજુ કુંડળ રૂપાળાં, રૂડી ઉતરી સાંકળી માળા । એક કહે કરાવું કંદોરો, શિરપેચ ને સોનેરી તોરો ।।૬।। એક કહે પૂજીશ હું નાથ, ઘસી ચંદન સુંદર હાથ । એક કહે કરીશ આરતી, નમી ચરણ કરીશ વિનતિ ।।૭।। એમ કરે મનોરથ દાસ, ત્યાંતો આવિયો ફાગણ માસ । દેશો દેશ કંકોતરી ફેરી, ફુલડોલના ઉત્સવ કેરી ।।૮।। આપી આજ્ઞા જનને મહારાજે, કરજયો સમાજ રમવા કાજે । અમે આવશું વરતાલ વહેલા, પંચદિન હુતાસની પહેલા ।।૯।। પછી સંતે કરાવ્યો સમાજ, હેતે હરિશું રમવા કાજ । રૂડી રીત્યના કઢાવ્યા રંગ, ભર્યા હોજ યમુના ને ગંગ ।।૧૦।। સુંદર પીચકારી કરાવી, રમશે હરિ હરિજન આવી । બહુપેરે કરાવ્યા સમાજ, ત્યાંતો પોતે પધાર્યા મહારાજ ।।૧૧।। આવી દાસને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 165
Powered By Indic IME