પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની રીત । ધર્મદેવની વારતા, તમે સાંભળજયો દઇ ચિત ।।૧।। સાંખ્યયોગને આશરી, રહ્યા પોતે સ્વધર્મને માંય । નિશદિન શ્રીકૃષ્ણનું, સ્મરણ કરે છે સદાય ।।૨।। પ્રવૃત્તિ મનથી પરહરી, કરી વિષયવાસના ત્યાજ । સ્વાદ રહિત થોડું જમે, બ્રહ્મચર્ય રાખવા કાજ ।।૩।। તપે કરી તન કૃષ છે, ધ્યાન યોગનું છે બળ । સુત તેની સેવા કરે, નિરજર જાણું નિરમળ ।।૪।। ચોપાઇ- પોતાના સુત ભગવાન જેહ, હરિ સાથે છે બહુ સનેહ । તેહ વિના તપ જોગવતિ, મનને શુદ્ધ કર્યું છે અતિ ।।૫।। એવા સમામાં દેહ લક્ષણ, થાવા લાગ્યાં તને તતક્ષણ । ફરકી આંખ્ય ભુજ ડાબું અંગ, થયાં શુકન જાણ્યાં કુઢંગ ।।૬।। વળી સ્વપ્નાં લાધાં છે જેહ, અતિ અવળાં જણાણાં તેહ । જાણું રવિ શશિ વળી ઉડુ, પડ્યાં ભૂમિએ તે પણ ભુડું ।।૭।। કર્યો શાસ્ત્ર દષ્ટિએ વિચાર, આવ્યું મૃત્યું જાણ્યું નિરધાર । જાણ્યું થોડા દાડામાંહિ દેહ, પડશે એમાં નહિ સંદેહ ।।૮।। પછી શ્રીકૃષ્ણનાં બાળચરિત્ર, દશમમાં કહ્યાં છે પવિત્ર । તેનો નિત્ય નિત્ય પાઠ કરે, કૃષ્ણમૂર્તિ ઉરમાં ધરે ।।૯।। બીજા થકી છે બહુ ઉદાસ, એમ કર્તાં વીત્યો એક માસ । પ્રેમવતીનો માસિસો જેહ, કર્યો શાસ્ત્રના વિધિએ તેહ ।।૧૦।। શ્રાદ્ધ સારી જમાડ્યા વિપર, કર્યો માસિસો સારો સુંદર । પછી માસે માસે નિરધાર, જમ્યા દ્વિજ હજારો હજાર ।।૧૧।। એમ કર્તાં સાત […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)