પૂર્વછાયો- પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત । પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।। એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજયો સુંદરી । ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।। સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા । રહેજયો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।। દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજયો । કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજયો ।।૪।। ચોપાઇ- રહેજયો સર્વે એકાદશી વ્રત રે, કરજયો ઉત્સવ જેવી સામર્થ રે । વળી સતપુરૂષનો સંગ રે, કરજયો ઉરે આણી ઉછરંગ રે ।।૫।। દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે । ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।। કહે સુતપ્રત્યે બાળશર્મા રે, તમે જાજયો અયોધ્યા નગ્રમાં રે । એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।। જયારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે । કહે સુખી રહેજયો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।। એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે । તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજયું ત્યાં તન રે ।।૯।। પછી સાંભળજયો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે । જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।। રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)