Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો:- ભૂપ અભેસિંહ સાંભળો, ચારુ કથા ધરીને ચિત્ત; ઐશ્વર્ય આત્માનંદનું, સંભળાવું સ્નેહ સહિત. 1 ચોપાઈ:- ગામ મેખાટીંબી મોઝાર, આત્માનંદ રહે કરી પ્યાર; થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિષે ધરી ટેક. 2 ગામ ધ્રાફા વિષે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાળે; લખી કંકોતરી ગામોગામ, તેમાં આહિર તેડ્યા તમામ. 3 વળી એમ લખ્યું તેહમાંય, સગા સ્નેહીને લાવજો ત્યાંય; ત્યારે આહિરોયે મળી આવી, આત્માનંદને વાત સુણાવી. 4 સ્નેહી સહિત તેડાવ્યા છે અમને, સાચા સ્નેહી તો ગણિયે તમને; તમે આવશો સહિત સમાજ, મેળે તોજ જશું અમે આજ. 5 ગુરુજી કહે આવશું અમે, જવા તત્પર થાઓજી તમે; સુણી આહિર સર્વ સિધાવ્યા, આત્માનંદજીને સાથે લાવ્યા. 6 વાલબાઇ અને હરબાઇ, મેળો જોવા ચાલ્યાં હરખાઇ; મુકતાનંદ અને જુકતાનંદ, બેયને કહે આત્માનંદ. 7 મતવાદી જગતમાં જેહ, કરે છે દ્વેષ આપણો એહ; મેળામાં જાશું આપણે જયારે, અતિ કરશે અવિદ્યા તે ત્યારે. 8 માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિનો વેશ બનાવો; કોઇ ઓળખે નહિ એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. 9 એવાં વચન કહી મરમાળાં, પેજાર્યા ધોતિયાં લાંબાં પનાળાં; રુડી રેશમની કોર રાજે, અંગે અંગરખાં મોટાં છાજે. 10 જામનગરનાં જરિયાનવાળાં, માથે ધોતિયાં બાંધ્યાં રુપાળાં; ઢાલો તલવારો પણ ધરી લીધિ, ધારીબરછિયો પણ ભલી વીધિ. 11 જુગતાનંદ ને મુકતાનંદ, આતમાનંદ સ્વામી સ્વછંદ; થયા ઘોડલે તે અસવાર, મળી ચાલ્યા આહિર મોઝાર. 12 આવ્યા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1407

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો:- ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિતસમાજ; રહ્યા જઇ રાજકોટમાં, નિજ આશ્રિતના હિતકાજ. 1 ચોપાઈ:- પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા; ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભકત વસે ત્યાં નિવાસે. 2 રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા; વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. 3 બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય; રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ લહું છું. 4 આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ ! મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈસ હું તેહ. 5 રામાનુજગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા; વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. 6 વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન; મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. 7 રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા; તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. 8 હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ; જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. 9 બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ; કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય.10 પછી હરબાઇ ને વાલબાઇ, તેને ગુરુયે કહ્યું હરખાઇ; રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. 11 જુકતાનંદ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1720

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો:- ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર; હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. 1 સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ; ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. 2 વસંતતિલકાવૃત્ત :- વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય, શ્રીધર્મનંદન તણી કહું છું કથાય; દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. 3 આવ્યા હતા દરશને જનસંઘ જેહ, સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ; આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય, વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. 4 મૂર્તિ વિષે નિરખી અદ્ભુતતા અપાર, દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર; જાણે ઘણાક જન અક્ષરધામવાસી, પ્રત્યક્ષ એજ પુરુષોત્તમ સુપ્રકાશી. 5 કોઇકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં, કોઇકને સહજ દર્શન દિવ્ય દીધાં; દેખાડયુિં કંઇકને નિજકેરું ધામ, વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ.6 વીતી ગઇ પુનિત પૂનમ એહ જયારે, પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે; વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને, કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. 7 બેઠા રથે વૃષજ ઉદ્ધવ ધર્મવંત, ગાડી વિષે વિદિત મુકત મુનીશ સંત; ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી, પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. 8 વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ, ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ; નારી નરો મળી ઘણાં વિચર્યા વળાવા, નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. 9 તે માંહી મુખ્યજન તો નરસિંહ મેજાતા, કલ્યાણજી તનુજ તે પણ બ્રહ્મવેત્તા; જૈ ગામ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1505

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો:- ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ; ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1 સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ; હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2 માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન; બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3 કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત; પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4 નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન; આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5 ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત; સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6 ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય; ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7 અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર; એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8 એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ; અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9 નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ; આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10 ચોપાઈ:- કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ; હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11 ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ; એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12 રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો; હરિભકત […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 328

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો:- વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ; સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. 1 ચોપાઈ:- રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઇ હૈયામાં ઠરવા; આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. 2 રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ; વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. 3 બેઠો હતો ત્યાં રધુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ; રામજશ સુણી રાવણ જેમ, દાઝ્યો હતો તે દાઝ્યો તેમ. 4 કાંઇ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો; કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. 5 સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે :- ઉપજાતિવૃત્ત:- કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય; અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય.6 જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય; જોતાં જવાસા પ્રજળી જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય.7 જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે; મનુષ્ય કોઇ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. 8 દેખી રવી થાય ઉલૂક અંધ, ભાવે નહીં ભાનુ તણો સબંધ; નિંદે રવીને થઇ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. 9 જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે; છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 334

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૦

પૂર્વછાયો:- સ્વામી રામાનંદ વળી કહે, સુણો હરિજન સંત સુજાણ; પ્રથમ હું કહેતો હતો, તમ આગળ એવી વાણ્ય. 1 ચોપાઈ:- હું તો લાવ્યો ગણેશનો વેષ, ખેલ કરનાર છે જે વિશેષ; તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મકુમાર. 2 એ તો પુરુષ છે અકળ અનાદી, માટે એને જ સોંપવી ગાદી; મુકતાનંદ આદિક સહુ સંત, સુણી રાજી થયા તે અત્યંત.3 વળી બોલ્યા રામાનંદસ્વામી, તમે સાંભળો સૌ નિષ્કામી; અભિમાની આ રઘુનાથદાસ, ઘણી કરશે ઉપાધિ પ્રકાશ. 4 અમે જાશું સ્વધામમાં જયારે, ઉપદ્રવ કરશે અતિ ત્યારે; તમે સઉ રહેજો સાવચેત, તેની સાથે ન થાશો ફજેત. 5 નથી સત્સંગમાં રહેનાર, રાખજો રહે તેટલી વાર; પછી સાંજ સમો થયો જયારે, સભા સંત તણી થઇ ત્યારે. 6 મળ્યા મોટા મોટા મુનિજન, સભામાં બેઠા ધર્મનંદન; રામાનંદ બોલ્યા સાક્ષાત, નારાયણમુનિ સાંભળો વાત. 7 હરિજન જે ગૃહસ્થ કે ત્યાગી, નર નારી દૈવી બડભાગી; સૌને સદ્ધર્મ નિયમ પળાવા, તમે સમરથ છો ગુરુ થાવા. 8 માટે માનીને મારું વચન, મારે સ્થાન બેસો ભગવન; મારી ગાદીલાયક લીધા જોઇ, બીજા તમ વિના દિઠા ન કોઇ.9 થયું દર્શન જયાંથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું; વિનંતિ મારી અંતર ધરો, પરિપૂર્ણ ઇચ્છા મારી કરો. 10 સુણી બોલ્યા નારાયણસ્વામી, નિજશિર ગુરુને પદ નામી; ધનસ્ત્રીનો પ્રસંગ છે જેહ, અતિ બંધનકારી છે એહ. 11 એમ શાસ્ત્ર સકળ ઉચરે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 303

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- 21

પૂર્વછાયો:- સાત શાણા સતસંગીને, રામાનંદે પૂછી જે વાત; ઉત્તર આપ્યા અનુક્રમે, તે સુણો અભેસિંહ ભ્રાત. 1 ચોપાઈ:- બોલ્યા પ્રથમ તો ભટ મયારામ, જહાં આદરિયે મોટું કામ; ત્યાંના રાજાની લઇયે સહાય, સારો પ્રથમ તો એજ ઉપાય.2 નૃપનું મન હોય જો ખોટું, તો ત્યાં કામ આદરિયે ન મોટું; ચોકી પેરા તણો બંદોબસ્ત, તે તો રાજાનું કામ સમસ્ત. 3 જગ્યા જોઇએ વાવરવાને ઘણી, તે તો આપે તે ગામનો ધણી; તંબુ રાવટિયો અને દેરા, આપે એવા એ બાબ ઘણેરા. 4 હોય અધિપતિ જો અનુકૂળ, મહાસુખનું તે જાણવું મૂળ; પુરપાળને પ્રથમ બોલાવો, આગેવાન તો એને ઠરાવો. 5 કર્મકાંડી દ્વિજોને તેડાવો, માંડવાનું મુહૂર્ત કરાવો; વિપ્ર વરુણ કરીને બેસારો, જપે જપ જેમ શાસ્ત્રનો ધારો. 6 સતસંગી સારાસારા જેહ, તેડાવો ને આગળથી જ તેહ; તેને માટે કરાવા રસોઇ, તેડાવો વળી બાઇયો કોઇ. 7 મને જે જે ભળાવશો કાજ, તે હું તરત કરું મહારાજ; તન તમ અરથે જ છે ધર્યું, કદી આળસ અલ્પે ન કરું. 8 મયારામજીની સુણી વાત, રામાનંદ થયા રળિયાત; કહ્યું ભટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સતસંગી અનન્ય.9 પછી બોલિયા પર્વતભાઇ, સુણો વાત અહો સુખદાઇ; ઘણા સામાનના ગંજ હોશે, ઘણાં ગાડાં ને બુંગણ જોશે. 10 આસપાસના ગામમાં જૈને, કહો તો લાવું તત્પર થૈને; બધા સંઘ જમાડવા સારુ, ઘૃત લાવિયે જઇને ઘરારુ. 11 મારું તન મન […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 470

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- રર

પૂર્વછાયો:- પવિત્ર પર્વતભાઇયે, કહ્યાં કણબીનાં મુખ્ય નામ; વર્ણી કહે નૃપ સાંભળો, કહું તેહ તણાં નામ ઠામ. 1 ચોપાઈ:- રુડું ગોરવિયાળી છે ગામ, રહે હીરો પટેલ તે ઠામ; ભગો નામે છે તેના ભાણેજ, તહાં મૂળો ને હરજી રહેજ. 2 ભાયો રુડો ખીમો ને જેરામ, રહે રાજો પટેલ તે ઠામ; એક આહિર ભકત છે સારો, એ જ ગામ વિષે રહેનારો. 3 નાગજી માણાવદર વસે, ખીમજી શવજી તે ત્યાં હશે; આંબો રાજો અને જેરામ, મૂળજી અને કલ્યાણ નામ. 4 નાથો નરસી ને રાધવ જાણો, માવો મેઘો ને કુરજી પ્રમાણો; ભલા કાનજી કેશવ કહું, વળી વસ્તો ને શામજી લહું. 5 જીવો અરજણ છે એજ ગામ, પીપળાણામાં કણબી છે રામ; બીજા પણ જે જે કણબી ગણાવ્યા, સૌને સ્વામીયે તર્ત તેડાવ્યા. 6 વળી સ્વામીયે કીધો ઉચ્ચાર, સુણો હીરજીભાઇ સુતાર; તમે મંડપ આરંભ કરો, તેમાં શોભા સરસ ઘણી ધરો. 7 આજથી જો આરંભ કરાય, સુધિ આઠમે પૂરણ થાય; જનનો બહુ થાશે ભરાવો, માટે મંડપ મોટો કરાવો. 8 સુણી બોલિયા હીરજીભાઇ, કરશું મંડપની સરસાઇ; તેને માટે સામાન મંગાવો, બીજા પણ કારીગરને તેડાવો. 9 કુંડસિદ્ધિ ને મંડપસિદ્ધિ, ભણી જાણે જેઓ ભલીવિધિ; રાજવલ્લભ આદિક ગ્રંથ, પૂરો જાણે તેનો પણ પંથ. 10 ધારીને ધ્રુવતારાની ગમથી, પ્રાચીસાધન કરશું પ્રથમથી; ભૂમિશોધન પણ ભલી ભાતે, પાસે રહીને કરાવશું જાતે. 11 નારાયણજી સારા છે સુતાર, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 305
Powered By Indic IME