Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

વચનવિધિ કડવું:- ૩પ

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’આજ્ઞામાં અનુરાગોજી તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે ।। ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।। ર ।। પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો ।। જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો ।। ૩ ।। એવો ઓશિયાળો મેત મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે ।। દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે ।। ૪ ।। સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ ।। થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।। પ ।। સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી ।। કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી ।। ૬ ।। બા’રે બણી ઠણી બેસિયે, સાધુ સુંદર સારા સરખા ।। અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।। ૭ ।। એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ ।। નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

વચનવિધિ કડવું:- ૩૬

વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે ।। જીયાં તીયાં જડે છે જૂતિયાં,૯ એવું કરે છે શિયા કારણે ।। ર ।। આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી ।। ભવમાં  જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી ।। ૩ ।। ખાય છે ફટકાર ખલકની, મલકનો લિયે છે મેલ જો ।। એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ જો ।। ૪ ।। પ્યાજ પેજારું ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે ।। તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।। પ ।। દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો ।। પૂંઠ્ય પખાળી પુરીષ૯ તજે, તેને મોટો મૂરખ લેખવો ।। ૬ ।। લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો ।। એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો ।। ૭ ।। સમો ન શકયો સાચવી, આવી તકમાં અવળું પડ્યું ।। નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 118

વચનવિધિ પદ:- ૯

રાગ-આશાવરી:- ‘શ્રીનાથ સાથે મન માનિયું’ એ ઢાળ. પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે; કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૧ ।। સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે; ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦ ।। ર ।। એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે; જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦ ।। ૩ ।। એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે.પાપ પૂર્વનાં૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

વચનવિધિ કડવું:- ૩૭

હરિ આજ્ઞાએ વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાએ રહ્યા શૂન્યે રવિ સોમજી હરિ આજ્ઞાએ રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા થઈ બફોમજી બફોમ થઈ બદલે નહિ, રહે સહુસહુના સ્થાનમાં ।। અતિ પ્રસન્ન થઈ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં ।। ર ।। બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ ।। વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ ।। ૩ ।। ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ ।। જયાં જયાં કરી હરિએ આગન્યા, તિયાં રહ્યાં સુખે સદાકાળ ।। ૪ ।। બદરિતળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુકત રાખ્યા શ્વેતદ્વીપમાં ।। ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુકત અક્ષર સમીપમાં ।। પ ।। એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ ।। જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ ।। ૬ ।। એ તો રહ્યાં છે સહુ રાજી થઈ, પોત પોતાને સ્થાન ।। લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ।। ૭ ।। એમ સમજી આપણે રહીએ, આપ આપને સ્થાનકે ।। નિષ્કુળાનંદ કહે નહિ તો, આવે દુઃખ અચાનકે ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

વચનવિધિ કડવું:- ૩૮

બહુ દુઃખ પામે થઈ સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય તિયાં પામે કષ્ટજી સ્થાન ખોઈ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી સુસ્પષ્ટજી સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે ખોટ ।। ઇન્દ્ર ઇન્દ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ ।। ર ।। ભવ બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું ।। સ્થાનભ્રષ્ટ ભોમ વ્યોમમાં, થાય હેરાણ ઘણું ઘણું ।। ૩ ।। નહુષ નરેશ નિજ રાજય તજી, ઇછ્યો બેસવા ઇન્દ્રને આસને ।। ઇન્દ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી કાશને ।। ૪ ।। ત્રિશંકુ તજી રાજય ભૂમિનું, ઇછ્યો અમરપુરનાં જો સુખ ।। સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઊંધે મુખ ।। પ ।। સ્થાનભ્રષ્ટનો સર્વે ઠેકાણે, અતિ અનાદર થાય છે ।। દંત ને નખ કેશ નરા, ખરા નકારા કે’વાય છે ।। ૬ ।। એમ સમજુ સમજીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ।। સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જયાનમાં ।। ૭ ।। જેમ પોતાનો પિયુ પરહરી, કોઈ નારી થાય વ્યભિચારણી ।। નિષ્કુળાનંદ એ નાર નરસી, પુરુષનું પેટ બાળણી ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

વચનવિધિ કડવું:- ૩૯

કોઈ કે’શે એમ કેમ રૈ’યે જીયાં દુઃખજી, બીજે જો જાયૈ તો પામિયે સુખજી એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કિયાં ભાંગશે ભૂખજી ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાં જઈ થાઉં સુખિયો ।। પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય તિયાં દુઃખિયો ।। ર ।। ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર ।। તેને નથી તપાસતો, વિમુખ વણ વિચાર ।। ૩ ।। જેમ ચાલે કોઈક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ ।। તે કે દી નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।। ૪ ।। જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવીશ ખરી કરી ખાટ ।। પણ જાણતો નથી જે જાશે જીવડો, જે શૂળી લખી છે લલાટ ।। પ ।। એમ નર અભાગિયો, ભાંગે છે વચનની જો વાડ્ય ।। પર સુખ પોતાનાં કરવા, ધાય  જેમ ગાય હરાડ્ય ।। ૬ ।। એમ વિમુખ નર વિકળ થઈ, ભટકે છે ભવમાંહી અતિ ।। મન કરે છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।। ૭ ।। એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા, તે તો ગયા મૂળગા મૂળથી ।। નિષ્કુળાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ સુકાણું ફૂલથી ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

વચનવિધિ કડવું:- ૪૦

હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી તેને તો મનાણું પાપિયે પાપજી, ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર ।। દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ।। ર ।। દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન ।। દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન ।। ૩ ।। બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર ।। જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ।। ૪ ।। હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે ।। બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે ।। પ ।। તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને ।। એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને ।। ૬ ।। સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં ।। ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં ।। ૭ ।। આખુ જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય ।। નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

વચનવિધિ પદ:- ૧૦

રાગ-આશાવરી:– ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ. ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે; શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જયારે પામ્યા રાજય ને પાટ્ય રે, ખોટમાં૦ ।। ૧ ।। શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે; મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ।। ર ।। કરીથી ઊતરી ખરી પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે; કાઢી કટિપટ કોઈ કરે પતાકા, એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ।। ૩ ।। એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે; નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર રે. ખોટમાં૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125
Powered By Indic IME