Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

વચનવિધિ પદ:- ૭

રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે; આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે.    સંત૦ ।। ૧ ।। અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે; દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે.    સંત૦ ।। ર ।। મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ રે; સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ રે.સંત૦ ।। ૩ ।। એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર રે; નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 137

વચનવિધિ કડવું:- ર૯

એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો આરોજી પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ નઠારોજી નઠારો સંગ નરસાતણો, કહું છું કોઈ કરશો નહિ ।। નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારાં સહિ ।। ર ।। ગાળે હિમાળે બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય ।। શીશ કાપે આપે શૂળિયે, તોયે વિમુખ દુઃખસમ નોય ।। ૩ ।। એથી મરવું એકવાર પડે, પછી પામીએ એહનો પાર ।। પણ જનમ મરણ જીવને, વિમુખથી વારમવાર ।। ૪ ।। ઢેઢ ઢેમર ઢોલવી મ્લેછ, પારાધી ગઉમાર ।। એના સ્પર્શના પાપથી, વિમુખનું પાપ અપાર ।। પ ।। પાપી વિમુખના સ્પર્શનું, કયાં જઈ ધુએ કિલબીષ૯ ।। ટાળી ન ટળે કોઈની, જેમ ગળી મળીની મેષ ।। ૬ ।। પૂરણ પાપે સ્પર્શ એનો, પામે કોઈ પ્રાણી મળી ।। અનંત જનમનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે જાયે બળી ।। ૭ ।। એમ સરવે પ્રકારે સમજીને, તજવો તે સંગ વિમુખનો ।। નિષ્કુળાનંદ કહે તો પામશો, સારો દિવસ સુખનો ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 148

વચનવિધિ કડવું:- ૩૦

વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી ડરતા રહિયે અતિ દુષ્ટથી, દગે દેખી લૈયે દગાદાર ।। સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।। ર ।। જેમ ચિત્ર ચાપ આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ ।। તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ ।। ૩ ।। જેમ ભરી બંદૂક બરિયાનમાં, કપિ કળી વળી મૂકે કાનમાં૯ ।। અડાડીને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।। ૪ ।। સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં ।। માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।। પ ।। વિકટ અટવિ વાટમાં, વેરી લિયે વળાવડે ।। તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।। ૬ ।। તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત ।। તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત ।। ૭ ।। માટે સર્વે પ્રકારે સમજો, વર્જો  સંગ વચનદ્રોહીનો ।। નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 149

વચનવિધિ કડવું:- ૩૧

હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી પે’ચાણ પડશે પાપની, જયારે જડશે  જોડા મૂંડમાં ।। ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જયારે પંડમાં ।। ર ।। જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ।। મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ।। ૩ ।। ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ।। રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।। ૪ ।। શીશ ડોલાવી શોક કરશે, કે’શે કયાંથી વચનદ્રોહી થયો ।। સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ।। પ ।। કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું ।। મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ।। ૬ ।। એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ।। દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ।। ૭ ।। એમ  કે’છે  આગમમાં,  સંત  વળી  મોટા  મુનિ ।। નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

વચનવિધિ કડવું:- ૩ર

વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર ।। તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર ।। ર ।। માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી ।। તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી ।। ૩ ।। જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી ।। માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી ।। ૪ ।। ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં ।। જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે ખરી ખોટમાં ।। પ ।। એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ।। સહુ જન એ સાવચેત રે’જો, શીખની વાત આવી સાંભળી ।। ૬ ।। જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ ।। હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ ।। ૭ ।। પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર ।। નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

વચનવિધિ પદ:- ૮

રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે; આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે.  જયાન૦ ।। ૧ ।। વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે; અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે.   જયાન૦ ।। ર ।। ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે; વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે.   જયાન૦ ।। ૩ ।। પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જયાં ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે.        જયાન૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 137

વચનવિધિ કડવું:- ૩૩

મનમુખી દુઃખી ભેળા થાય જયારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી; હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી. સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ।। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।। ર ।। ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ।। પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ।। ૩ ।। માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ।। નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ।। ૪ ।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।। પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ।। પ ।। પણ સમો જોઈને હું સબકયો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો ।। ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ।। ૬ ।। અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ।। સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં  દઈને ।। ૭ ।। એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 149

વચનવિધિ કડવું:- ૩૪

વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભયુર્ં મૂકયું’તું ઘરજી અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે ।। જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે ।। ર ।। ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર ।। જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર ।। ૩ ।। એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ ।। ઇયાં તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાયે કાંઈ ।। ૪ ।। પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં ।। ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં ।। પ ।। વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું ।। ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જયારે રહ્યું એનું એ કૂટણું ।। ૬ ।। જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।। ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।। ૭ ।। એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ ।। નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 118
Powered By Indic IME