Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિબળગીતા કડવું:- ર૪

કૃષિ કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી । જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો કરે નિત્ય મનજી ।।૧।। ઢાળ- કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર । પણ તેતો હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર ।।ર।। અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મો’લ । તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ ।।૩।। જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદ્દરૂપ । તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમઝવું સુખરૂપ ।।૪।। ર્નિિવઘન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ । ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ ।।પ।। કિંચિત કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું । એમ જીવનું કર્તવ્ય જોતાં, કે’વામાત્ર છે કામનું ।।૬।। જો કોઈ નરથી નિપજે, તો કષ્ટ રાખે કહો કોણ । માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જાણ ।।૭।। માટે શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય । નિષ્કુલાનંદ એમ નરને, માની લેવું મનમાંય ।।૮।। કડવું ।।ર૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127

હરિબળગીતા પદ:- ૬

પદરાગ:-  સામેરી આવો હરિ મંદિરીએ મારે, એ ઢાળ છે. જાણો જન સમર્થ શ્રી ભગવાન । ટેક એ જીવનું જોર ન જાણવુંરે, અમથું કરે અભિમાન । કર્યું ન થાય કોઈનુંરે, નર નિર્જરથી નિદાન; જાણો૦ ।।૧।। એ પ્રાણી સુખને પામવારે, કરે તે સર્વસ્વ દાન । જશ વાધે આ જગ્તમાંરે, વળી સહુ કરે સન્માન; જાણો૦ ।।ર।। જપ તપ તીરથ જોગ જેરે, ધરે વન જઈ ધ્યાન । અર્થ ન સરે એહથીરે, જેવી વર વિનાની જાન; જાણો૦ ।।૩।। એ મેલી બળ મહારાજનુંરે, કરે ઉપાય કોઈ આંન । નિષ્કુલાનંદ નિષ્ફળ છેરે, જાણો જોર થયું એ જયાન; જાણો૦ ।।૪।। પદ ।।૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

હરિબળગીતા કડવું:- રપ

જયારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે નોરજી । અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી ।।૧।। ઢાળ- ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો માલ । તેમ અંતર અરી ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ ।।ર।। પછી મુખે દીનપણું દાખવે, વળી મને માને નિરધન । વરતે તો પણ તેજ વિના, એમ રાંક રહે રાતદન ।।૩।। જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ । જયાં જયાં જાય ત્યાં સાંભળે, આપણો અપજશ ।।૪।। ઝાંખપ આવી જે જીવમાં, તેતો કેમ કરી કરે ત્યાગ । રાતદિન ફડકો રહે, જેમ તસ્કર ઉપર કાગ ।।પ।। આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ । એણે કરી રહે અભાગિયો, નવ મનાય નિષ્પાપ ।।૬।। એક પ્રભુને પરહરી, જણાવે પોતાનું જોર । તેતો સોસો ઉડુ ઉગે સામટા, પણ ભાષ્કર વિના ન હોય ભોર ।।૭।। તેમ જેજે થાય જગદીશથી, તેતે ન થાય નર અમર થકી । નિષ્કુલાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી ।।૮।। કડવું ।।રપ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

હરિબળગીતા કડવું:- ર૬

જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા સાત દ્વીપ નવ ખંડજી । જેમાં વસ્યા જન જુજવે પંડજી, એહ સહુ ભજે છે હરીને અખંડજી ।।૧।। ઢાળ- અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન । સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન ।।ર।। વળી આ બ્રહ્માંડમાં, કર્યા સમુદ્ર તે સાત । જળ તેનાં જુજવાં, બનાવિયાં બહુ ભાત ।।૩।। વળી મરજાદના મોટા ગિરિ, આડા નાખીયા એહ । તેણે કરી નિજનિજ સ્થાનકે, સુખે વસિયા તેહ ।।૪।। મધ્યે એક મેરૂ કર્યો, કર્યા નવ લખ તારા લઈ । શશિ સૂર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ ।।પ।। સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યાં પોષણ તે બહુ પેર । આપ ઈચ્છાએ એહ કર્યું, તેની ન લાગી વેર ।।૬।। એવા સમર્થ શ્રીહરિ, જેજે ધારે તેહ થાય । મૂકી એવાનો આશરો, નિર્બળ નિજબળ ગાય ।।૭।। આશ્ચર્ય વારતા એ ઘણી, ભૂચરને વસવું વ્યોમ । નિષ્કુલાનંદ એ નરનું, જાણ્યા વિનાનું જોમ ।।૮।। કડવું ।।ર૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

હરિબળગીતા કડવું:- ર૭

કોઈક નર થઈ શઠ જ્ઞાનીજી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી । નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શકયા એ અવિદ્યા છાનીજી ।।૧।। ઢાળ- છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ । બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ ।।ર।। બાંધી મરજાદ બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર । મુષો જેમ મદિરા પીયને, મારવા ઈચ્છે માંજાર ।।૩।। અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની નવ પરખે । પણ ખદ્યોત ને જેમ ખગ ભાનુ, તે સમઝાય કેમ સરખે।।૪।। જેમ તાડિપી તાડે ચડે, જાણ્યું પહોચ્યો હું સહુની પાર । પણ ભાગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર ।।પ।। જે એક બ્રહ્મ આગમે કહ્યું, તેતો જાણો તાડ સમાન । તેથી પડ્યા પ્રાણી કંઈ, નર અસુર નીદાન ।।૬।। માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ । મન કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ ।।૭।। પ્રભુ સરિખા પ્રભુજ છે, બીજે થવાય નહી કોઈ રીત । નિષ્કુલાનંદ એહ મર્મને, જન ચિંતવી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।ર૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

હરિબળગીતા પદ:- ૭

રાગ:-  પરજ નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયેરે । એહ જેવા તો એકજ એ છે, બીજે કેમ થવાયરે ।।૧।। સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશિરે । સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશીરે ।।ર।। શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરિખો સમીરરે । તેજ સરિખું એક તેજ છે, નીર સરિખું નીરરે ।।૩।। એમ પ્રભુ સરિખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરીરે । નિષ્કુલાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરીરે ।।૪।। પદ ।।૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

હરિબળગીતા કડવું:- ર૯

જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી । જેની કીર્તિસુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ।।૧।। ઢાળ- મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરુર । મંગળકારી મૂરતી, અમંગળકરે દૂર ।।ર।। જેના દર્શનસારુ દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ । રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ।।૩।। સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ । પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ ।।૪।। વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખસમાજ । શીત ઉષ્ણ સહન કરે, તે હરી દર્શન કાજ ।।પ।। એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરીનું હોય । બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય ।।૬।। એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ । જીવનમુકત તેહ સહી, છતિ દેહે એહ છાપ ।।૭।। બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ । નિષ્કુલાનંદ નિર્ભય પદ, પામશે એ ભકતરાજ ।।૮।।કડવું ।।ર૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

હરિબળગીતા કડવું:- ૩૦

વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંતજી । તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી ।।૧।। ઢાળ- સાધન બિચારાં શું કરે, આપે કર્યા પ્રમાણે ફળ । સ્પર્શ કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ ।।ર।। સ્પર્શ પામી પૂતના, હરિ ધવાર્યા લઈ હાથ । પુરૂષોત્તમના સ્પર્શથી, શંખણી થઈ સનાથ ।।૩।। ગોવિંદ સ્પર્શથી ગાપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન । કુબજા સ્પર્શી કૃષ્ણને, નિર્ભય થઈ નિદાન ।।૪।। એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો દેનાર । પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર ।।પ।। એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે । બીજાં કોટી સાધન કરે, પણ તેહ તુલ્ય કયાંય થાય છે ?।।૬।। પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા પૂરણ કામ । તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ ।।૭।। જેમ પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર । નિષ્કુલાનંદ એમ નાથ સ્પર્શે, પ્રાણી પામે ભવપાર ।।૮।। કડવું ।।૩૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121
Powered By Indic IME