Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ર૮

પૂર્વછાયો:- લીલા શ્રીહરિની નિરખવા, સતસંગીનો આવે સમાજ; 1 જીવોખાચર ગઢપુર થકી, ત્યારે આવિયા દર્શન કાજ. ચોપાઈ:- સાથે પુત્રી છે અમૂલાંબાઇ, બીજી અમરબાઇ ગણાઇ; 2 મુળુખાચર આવિયા સાથ, નેહે નિરખિયા નટવર નાથ. ખાસી રીતે તળાવ ખોદાય, સહુ ત્યાં મળી દર્શને જાય; 3 ભૂખ્યા થાય જનો તેને કાજ, કરે એવું શ્રીજીમહારાજ. આગલે દિવસ સંધ્યાકાળે, બાજરો ડોઢ કળશી પલાળે; 4 બીજે દિવસ બપોરને ટાણે, કામ ચાલતું હોય ત્યાં આણે. પ્રભુ પોષ ભરી ભરી દેય, સહુને તે પહોંચી રહેય; 5 જયારે આવ્યું સજીવન નીર, નાહ્યા તે વિષે શામશરીર. પ્રેમથી પ્રભુયે જળ પીધું, ચરણામૃત સૌ જને લીધું; 6 ત્રણ માસ લગી તેહ ઠામ, રાખ્યું ખોદ્યાનું ચાલતું કામ. વળી તેહ તળાવ મોઝાર, દિશા પશ્ચિમમાં તેહ ઠાર; 7 પૂર્વ પશ્ચિમ કુંડ કરાવ્યા, રામ ને ભીમ કુંડ ઠરાવ્યા. તેમાં નાહ્યા મોટા મોટા સંત, ઘણી વાર નાહ્યા ભગવંત;8 તેથી તીર્થ મોટું એહ આજ, કોણમાત્ર તે પુષ્કરરાજ. સર્વ તીરથ વસે ત્યાં કણે, ગંગા ગોમતીને કોણ ગણે; 9 પાણી પુષ્કળ ત્યાં થયું જયારે, વિષ્ણુયાગ આરંભિયો ત્યારે. શ્રૌત સ્માર્ત ક્રિયા જાણકાર, ત્યાં તો તેડાવ્યા વિપ્ર અપાર; 10 પૂર્ત્તકર્મ તળાવનું કર્યું, પછી યજ્ઞનું કામ આદર્યું. ઘણા વિપ્ર વરૂણીમાં વર્યા, પાઠ વિષ્ણુસહસ્રના કર્યા; 11 નિત્ય બ્રાહ્મણ ભોજન થાય, તે તો ગણતાં નહીં જ ગણાય. દિશા પશ્ચિમે સરોવર પાળે, ચોકા ચાળીશ કીધા તે કાળે; 12 […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1441

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। શ્રીહરિલીલામૃતમ્ ।। દીક્ષાનામ ચતુર્થઃ કલશઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1615

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- વાસ વસે અગત્રાઇમાં, હરિભકત ભલા ભીમભાઇ; વાત કહું એક એહની, અભેસિંહ સુણો હરખાઇ. 1 ચોપાઈ:- એક અવસરે શ્રીહરિ પાસ, બેઠા સંત તથા હરિદાસ; તેમાં બેઠા હતા ભીમભાઇ, કથા કૃષ્ણલીલાની વંચાઇ. 2 પુરુષોત્તમનો મહિમાય, સુણી હૈયામાં હરખ ન માય; હરિભકતનો મહિમા વિચારી, અંગોઅંગમાં લાગી ખુમારી. 3 પછી પ્રભુપદ કરીને પ્રણામ, ગયા ખેતરે કરવાને કામ; ત્યાં તો અવની થકી એક ઠાર, લાખો કીડિયો નિકળી બહાર. 4 તેને દેખી દયા દિલે ધારી, કર્યો સંકલ્પ કૃષ્ણ સંભારી; અહો ભકિતતનુજ ભગવાન, દીનબંધુ દયાના નિધાન. 5 આવા પ્રાણીની શી ગતિ થાશે ? વળી વૈકુંઠમાં કયારે જાશે ? કશું સામર્થ્ય જો હોય મારું, બધિયોને વિમાને બેસારું. 6 સૌને વૈકુંઠ માંહી વસાવું, એનું સંકટ સર્વ નસાવું; એવો ચિત્તમાં કીધો વિચાર, ત્યાં તો આવ્યાં વિમાન અપાર. 7 કીડિયોયે તજી નિજ કાયા, દિવ્યદેહ તે સૌના દેખાયા; રુડાં દિસે ચતુર્ભુજ રૂપ, બેઠાં વિમાનમાં સુખરૂપ. 8 વશ્યા જૈને તે વૈકુંઠ વાસ, ભીમભાઇ આવ્યા પ્રભુ પાસ; બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યાં પ્રશ્ન પછી પુરી પ્રીતે. 9 કીડીયોનાં તે શાં હશે કર્મ ? મહારાજ કહો તેનો મર્મ; દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કેમ તે એવે ઠેકાણે ? 10 સુણી બોલ્યા સદા સુખદાઇ, સુણો ભકત ભલા ભીમભાઇ; થાય અંશ કળા અવતાર, ત્યારે ભકત પામે ભવપાર. 11 પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 346

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦ર

પૂર્વછાયો:- પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુકતાનંદ; તે સરવે સુણી પામિયા, વૃષનંદન ઉર આનંદ. 1 ચોપાઈ:- બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી; ઘણા સંતોની મેં મતિ જોઇ, આવા ઉત્તર આપે ન કોઇ.2 તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય; આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. 3 ગાંજા ભાંગ પીતા નથી કોઇ, સુંઘવાની તમાકુ ન જોઇ; તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. 4 સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત; ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઇ ઠામ. 5 શાણા સદ્ગરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા; નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં કયાંથી જણાય.6 સુણી બોલિયા મુકતાનંદ, આપ છોજી મુનિવર ચંદ; આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઇ ઠાર. 7 ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઇશ્વરનો છે તેહ; તેને મળશો તમે વળી જયારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. 8 સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ; એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. 9 ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ; બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. 10 મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું; મુકતનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. 11 વસો આંહી કરીને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1474

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૩

પૂર્વછાયો:- લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ; એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુકતાનંદમુનિ પાસ. 1 ચોપાઈ:- નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી; ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. 2 મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય; અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઇ દર્શન કરશું. 3 ત્યારે બોલિયા મુકતાનંદ, રહો આંહી ધરીને આનંદ; કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિધ્ન જણાય.4 આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અ નાડી; માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. 5 કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ; એમ કહી મુનિ મુકતાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. 6 બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે; તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. 7 પત્ર લઇને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ; ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. 8 ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા; સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. 9 શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુસમ ગંભીર; પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. 10 શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ; સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન. 11 દયાસાગર શાંત […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1459

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો:- શ્રીહરિયે લોજપુરમાં, કર્યા દિવ્ય ચરિત્ર વિચિત્ર; વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. 1 ચોપાઈ:- લોજગામ થકી ગાઉ બેય, શીલ નામ તે ગામનું છેય; આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુકતમુનિને વચન. 2 મારા વાઢ વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર; કોઇ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. 3 રામાનંદજી આવશે જયારે, થશે સારો સમૈયો તે વારે; ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. 4 મુકતાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી; હરિભકતને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. 5 સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ; સાથે આવશે સેવક દેવો, બીજો કોઇ સાથે નથી લેવો. 6 બોલ્યા મુકતમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ; માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય.7 એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી; જયારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભકત લાવ્યા. 8 ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ; લાંબો પોળો ચોફાળ મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. 9 બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે ? હઠ જોગીનો જોઇ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. 10 મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં; તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. 11 હેઠે હરિયે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1488

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત; સાધુઓને હરિ શીખવે,રુડી અષ્ટાંગ યોગની રીત.1 યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ; અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. 2 યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. 3 ચોપાઈ:- યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે; યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. 4 યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર; અહિંસા તથા સત્ય અસ્તેય, વળી અસંગને લજજા છેય.5 અસંચય અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું; સ્થિરતા ક્ષમા નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. 6 કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે; તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. 7 એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ પ્રકાર; જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો.8 પ્રભુપૂજા ને તીર્થઅટન, વળી પરઉપકાર પાવન; સદા સંતોષ ને ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. 9 જોગી જોગની સિદ્ધિને કાજે,જેવી રીતે સુખેથી બિરાજે; એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો.10 જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી; તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. 11 નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીરયોગ ને પદ્મ છે તેહ; વળી કુર્કટ કૂર્મ ને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1722

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ; રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. 1 ચોપાઈ:- કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ; કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક. 2 જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી; વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. 3 ભીમ એકાદશી કહેવાય,કર્યા એટલા ઉત્સવ ત્યાંય; રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભકતે રોકાવ્યા. 4 થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુકતાનંદ મુનિ પાસ; વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. 5 રામાનંદજી આવશે કયારે ? કયારે મેળાપ થાશે અમારે ? સુણી બોલિયા મુકતાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. 6 સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ; પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી હતી ત્યારે. 7 જેઠ કૃષ્ણ દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપળાણે; જયારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. 8 મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ; એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. 9 કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ; જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. 10 ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે, ચાલ્યા સંત સરવ ભલી ભાતે; મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. 11 વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ; કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1586
Powered By Indic IME