Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ધીરજાખ્યાન કડવું:– પ૬

એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી ધન્ય ધન્ય એહ જનને, જેણે શીશ સાટે સોદો કર્યો ।। તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો ।। ૨ ।। લીધો સિંદોરો શીશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે ।। મરવાની તો બીક જ મટી, અસિઆગ્યનો ભાગ્યો ભહે ।। ૩ ।। આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણઝુંપ રે ।। એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપ રે ।। ૪ ।। તેમ જ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ ।। દેહરખા સરખા કાયરનર, તે તો કે દી ન હોય હરિદાસ ।। ૫ ।। હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ ।। લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ ।। ૬ ।। અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત ।। અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત ।। ૭ ।। પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું ।। સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું ।। ૮ ।। શીદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ ।। પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ ।।૯।। તેમ ભકત જકતનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર ।। નિષ્કુળાનંદ તેહ ભકત સાચા, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

ધીરજાખ્યાન પદ:– ૧૪

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. સાચા ભકતની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં…સાચા ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.સાચા ।। ૧ ।। હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે. સાચા ।। ૨ ।। કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે; રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વકતાં જાણો સુખદ સોયે. સાચા ।। ૩ ।। જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી; અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી.  સાચા ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

ધીરજાખ્યાન કડવું:– પ૭

સુણો એક મુદ્ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિત્યજી કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રિતજી કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા ।। અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા ।। ૨ ।। જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને તન ।। ચટક દઈ ચાલી નીસર્યા, ગયા શિવને ભવન ।। ૩ ।। પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન ।। તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્ગલ મગન ।। ૪ ।। એમનું એમ કરતાં વળી, વીતી ગયા દ્વાદશ માસ ।। અન્ન વિનાના એટલા, પડ્યા ચોખા ઉપવાસ ।। ૫ ।। ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન ।। તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન ।। ૬ ।। બેસો ઋષિ વિમાનમાં, તેડી જાયે અમરપુરમાંય ।। સત્ય ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા આંય ।। ૭ ।। ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચઢે પડે પણ ખરાં ।। ત્યારે મુદ્ગલ કહે નહિ આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરાં ।। ૮ ।। અલ્પ સુખને ભોગવી, પુન્ય ખૂટે પાછું પડવું ।। એવા સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને ચડવું ।।૯।। પછી અવધે તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં ।। નિષ્કુળાનંદ કહે સહ્યું કષ્ટ જેહ, તેહ આવિયું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

ધીરજાખ્યાન કડવું:– પ૮

વળી કહું એક શિલોંચ્છવૃત્તિધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી ચારે બેઠાં જયારે જમવાને, હતો સાથુ શેર જુગલ ।। ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ ।। ૨ ।। આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન ।। ત્યારે ઋષિએ આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન ।। ૩ ।। પછી આપ્યું ઋષિપત્નીએ, આપ્યું ઋષિસુતે કરી પ્યાર ।। પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર ।। ૪ ।। અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ આશ ।। તોય ચારે રાજી રહ્યાં, વળી કોઈ ન થયાં ઉદાસ ।। પ ।। આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધોયેલ કર ચર્ણનું ।। તેમાં આળોટ્યો આવી નોળિયો, થયું અર્ધુ અંગ સુવર્ણનું ।। ૬ ।। એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા વૃષભ વળી ।। રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી ।। ૭ ।। ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ ।। ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ ।। ૮ ।। એમ સમે આવી કોઈ અન્ન જાચે, વળી હોયે ક્ષુધાએ આતુર ।। પોં’ચ્ય પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર ।।૯।। અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી ।। નિષ્કુળાનંદ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

ધીરજાખ્યાન કડવું:– પ૯

વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભકત દોય દિવસ ને રાતજી રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે કરી ।। જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી ।। ૨ ।। બ્રાહ્મણ ને વળી ભકત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન ।। એમ કરતાં કયારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન ।। ૩ ।। પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન ।। તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન ।। ૪ ।। આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત ।। આપું ધન તો તન ઊગરે, નહિ તો થાશે બેઉની ઘાત ।। પ ।। કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ ।। જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ ।। ૬ ।। એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન ।। ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન ।। ૭ ।। માટે મારી નાખો એહને, તો જરે આ સઘળો માલ ।। ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ ।। ૮ ।। પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર ।। તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર ।। ૯ ।। પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભકત આ તે જયદેવ ।। નિષ્કુળાનંદના […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

ધીરજાખ્યાન કડવું:– ૬૦

પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી તતકાળ એને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ ।। ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ ।। ૨ ।। આવ્યા અરિના હાથમાં, હવે ઊગર્યાની આશા સહિ ।। જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ ।। ૩ ।। પાપીને પાપ પોતા તણાં, આવ્યાં નજરે તે નિરધાર ।। કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર ।। ૪ ।। પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી ।। આગળ જઈ કયાંક ઊતર્યા, ગાડાવાળાને વાત કરી ।। ૫ ।। જયદેવ જાતનો ઝાંપડો, રાજાના ગુન્હામાં આવ્યો હતો ।। અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો ।। ૬ ।। તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી ।। જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી ।। ૭ ।। એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ ।। ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ ।। ૮ ।। ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય ।। જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય ।।૯।। સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે ।। નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

ધીરજાખ્યાન પદ:– ૧પ

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા.  ક્ષમાવંત ।। ૧ ।। રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે.  ક્ષમાવંત ।। ૨ ।। સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા; અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા.  ક્ષમાવંત ।। ૩ ।। એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે આપે સંતાપ સરખો; નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલા વહેલા એના પગ પરખો.  ક્ષમાવંત ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

ધીરજાખ્યાન કડવું:– ૬૧

થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન ।। તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ।। ૨ ।। કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો ।। ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ।। ૩ ।। અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દષ્ટને સમેટી વળી ।। જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી ।। ૪ ।। તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે ।। પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે કયાંયે ।। ૫ ।। માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે ।। મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે ।। ૬ ।। એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય કોયલા સમાન ।। કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન ।। ૭ ।। એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા ।। પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ।। ૮ ।। મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય ।। એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય ।।૯।। એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ ।। નિષ્કુળાનંદ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 95
Powered By Indic IME