Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

સુતા ઊઠી રે, સમરું સહજાનંદ કે…. પદ:- ૧,૨

પદ – ૧ રાગ ધોળ – પ્રભાતી સુતા ઊઠી રે, સમરું સહજાનંદ કે, વેલણાં ભલે વાયાં રે. અંતર ઉપન્યો રે, અતીશે આનંદ કે. વેણેલાં.૦ ૧ નયણે નિરખી રે, રંગભીનાનું રૂપ કે. વેણેલાં૦ પ્રીતે પોંખ્યા રે, બ્રહ્મમહોલના ભૂપ કે. વેણેલાં૦ ૨ ઉર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે. વેણેલા૦ તેને નિરખી રે, મનડું રહ્યું મોઈ કે. વેણેલાં૦ ૩ નખમણિયું રે, જુગલ ચરણની જોડ કે. વેણેલાં૦ ગોળ ઘુંટીયું રે, પૂરે મનડાંના કોડ કે. વેણેલાં૦ ૪ જંઘા જાનુ રે, જોયા સાથળ સાર કે. વેણેલાં૦ નાભી ઊંડી રે, અજ ઉપન્યા જે ઠામ કે. વેણેલાં૦ ૫ પેટ પોયણ રે, જોયા ત્રણે વળ કે. વેણેલાં૦ એવા ચિન્હની રે, કૃષ્ણાનંદને કળ કે. વેણેલાં૦ ૬ પદ – ૨ હૃદયે જોયું રે, કમળાં કેરું ધામ કે, વેણલાં ભલે વાયાં રે. કંઠ કંબુ રે, નીરખું આઠું જામ કે. વેણેલાં૦ ૧ દંત દેખી રે, દાડમકેરાં બીજ કે. વેણેલાં૦ જીહવા જોઈ રે, જાણે ઝબુકે વીજ કે. વેણેલાં૦ ૨ નાસા નીકટ રે, ટીબકડી છે શ્યામ કે. વેણેલાં૦ તેને જોતાં રે, નેણે નીંદ હરામ કે. વેણેલાં૦ ૩ વામ કરણે રે, તીલ શ્યામ સોહાય કે. વેણેલાં૦ તેને જોતાં રે, શોભે સંતોના રાય કે. વેણેલાં૦ ૪ ભાલ વચ્ચે રે, રેખા તિલક આકાર કે. વેણેલાં૦ મસ્તક ઉપર રે, ફુલડાં કેરા હાર કે. વેણેલાં૦ ૫ કર જુગલ રે, કોણીયું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 2446

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૧

 શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્  ।। શ્રીહરિલીલામૃતમ્ ।। ।।સૌરાષ્ટ્રનામ પંચમકલશપ્રારંભઃ ।। શાર્દૂલવિક્રીડિતવૃત્ત:- વંદૂ જે હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો, દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો; ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દષ્ટિયે, લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધા કૃપા દષ્ટિયે.1 પૂર્વછાયો:- દેહ તજયો રામાનંદજી, થઇ ત્યાર પછી જે વાત; તેહ કથા તમને કહું, ભાવે સુણો અભેસિંહ ભ્રાત.2 ચોપાઈ:- દશ દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી; દેશદેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. 3 દશાહાદિ એકાદશા જેહ, ભદ્રાતટ હરિયે કર્યા તેહ; દ્વાદશાહ ને શ્રવણીશ્રાદ્ધ, કર્યા શાસ્ત્ર પ્રમાણે અબાધ. 4 દીધાં દ્વિજને નાનાવિધ દાન, દીધાં ભાવતાં ભોજનપાન; ધર્મ સ્થાપવા તનુધરી હરિ, માટે વેદવિહિત ક્રિયા કરી. 5 સર્વ જનને શિખવવાને કાજે, કરી સર્વ ક્રિયા મહારાજે; એમ તેરમો દિવસ ગયો, દિન ચૌદમો તે જયારે થયો. 6 સભા સજી બેઠા ઘનશામ, બેઠા હરિજન સંત તમામ; સભામધ્યે સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. 7 બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંત સમાજ; ધર્મ આદિક સદ્ગુણ ધારી, સતશાસ્ત્રના અભ્યાસકારી. 8 મુકતાનંદ આદિક મુનિ જેવા, બેઠા આગળ આગળ એવા; ભલા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલા, સભા મોટીમાં માન પામેલાં. 9 એક પડખે સિંહાસન પાસે, બેઠા ઉત્તમ પદવીની આશે; મોટામોટા ગૃહસ્થ ને રાજા, યથાયોગ્ય સભામાં બિરાજયા. 10 દેશદેશથી આવેલા જેહ, બેઠા સંઘના જન સઉ તેહ; લાડકીબાઇ આદિક નારી, […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 1690

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦ર

પૂર્વછાયો:- સભાજનોને શ્રીહરિ, કહે સાંભળો સ્નેહ સહિત; ધર્મ વિશેષ હવે કહું, ચારે આશ્રમના રુડી રીત. 1 ચોપાઈ:- બ્રહ્મચારી તણા ધર્મ ભાઇ, કહું પ્રથમ સુણો સુખદાઇ; કરે સંધ્યાવંદન ત્રણ કાળ, પૂજે નિત્ય તે કૃષ્ણ કૃપાળ. 2 ગુરુને સેવે અલ્પ આહારી, નખ રોમ તો રાખે વધારી; કેશ કાંસકીયે ન સમારે, મૌંજી દંડ કમંડલું ધારે. 3 મૃગચર્મ રાખે નિજ પાસ, જોડ કોપિન બે બહિર્વાસ; કોટમાં રાખે કંઠી જનોઇ, સર્વ ભોગની ઇચ્છા તે ખોઇ.4 સ્ત્રીની વાત તો કાને ન ધરે, પોતે મુખથી કદાપી ન કરે; સ્ત્રીનો સ્પર્શ કરે નહિ અંગે, કદી બોલે નહી નારી સંગે. 5 સ્ત્રીનું રૂપ જુવે ન કદાપિ, તજે સંકલ્પ તેનો તથાપિ; હોય જયાં સ્ત્રિયોનું ક્રીડાસ્થાન, ત્યાં ન જાય કદી વ્રતવાન.6 કાષ્ઠાદિકની કે ચિત્રની નારી, અડે નિરખે નહીં બ્રહ્મચારી; પણ દેવીની મૂર્તિ જો હોય, નહીં બાધ જુવે અડે તોય. 7 કરે નારી સ્નાનાદિક જયાંય, બ્રહ્મચારી તજે ક્રિયા ત્યાંય; મદ્ય માંસ આદિક સંસર્ગ, ન કરે કદી વર્ણીનો વર્ગ. 8 રોગ વિણ દિને સુવું ન ભાવે, ધન રાખે નહીં ન રખાવે; તજે લોભ ને ક્રોધ ન કરે, તજે સ્વાદ ને માન ન ધરે. 9 કામ ક્રોધ લોભ રસ માન, તજે તે પાંચ છે વ્રતમાન; કહ્યું એવું અચળ વ્રત ધારી, ભાવે વેદ ભણે બ્રહ્મચારી. 10 ભણી વેદ તે શકિત પ્રમાણે, પછી મનને સકામી જો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1656

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૩

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન; શીતળદાસ તણું કહું, પામી પ્રસંગ શુભ આખ્યાન.1 ચોપાઈ:- ઝરણાપરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી; ૠષિ એકલશૃંગીના વંશી, જેવા ઇશ્વરના હોય અંશી. 2 અંગે ધારી વેરાગીનો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ; જાણે જોઊં તીરથનાં સ્થાન, મળે કયાંઇ પ્રગટ ભગવાન. 3 જોયા તીર્થમાં સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોઝાર; વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ છે શ્રીભગવાન. 4 તેનાં દર્શન કરવાને કામ, ચાલી આવ્યા તે ફણેણી ગામ; કહી ત્યાં કોઇયે વાત એહ, રામાનંદ તજી ગયા દેહ. 5 તેને તેર દિવસ જ થયા, ગાદી વર્ણીને સોંપીને ગયા; પછી કરવાને કાંઇ તપાસ, સાધુ આવ્યા તે શ્રીહરિપાસ.6 સાધુ શીતળદાસ છે નામ, કર્યો જઇ પ્રભુપદને પ્રણામ; શ્રીજીયે જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. 7 સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સિધાવ્યા; પણ સાધુ છે તેહના ધન્ય, કરું તેને તો પ્રથમ પ્રસન્ન. 8 પછીથી પ્રભુ ખોળવા કામ, જાઉં જૈ ફરીને ચારે ધામ; મહારાજ મને કયાંઇ મળશે, મારા ચિત્તની ચિંતા તો ટળશે. 9 એમ કરતાં વીતી ગઇ રાત, થયું ચૌદમા દિનનું પ્રભાત; શ્રીજી બેઠા સભા સજી જયારે, આવ્યા શીતળદાસ ત્યાં ત્યારે. 10 સભામાં બેશી સાંભળી વાત, જાણ્યા મોટા પુરુષ સાક્ષાત; ચિત્ત ચાલવા કીધો વિચાર, બોલ્યા અંતરજામી તે વાર. 11 કરો ચાલવાનું ચિત્ત કેમ ? કરો કેમ ઉતાવળ એમ ? […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1897

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો:- સ્વામીનું કાર્ય ગયા પછી, મુકતાનંદને કહે મહારાજ; સંતનું મંડળ સંગ લઇ, તમે ભુજ પધારો આજ. 1 ચોપાઈ:- ત્યાંના જાણે છે ભકત સુજાણ, રામાનંદને જીવન પ્રાણ; સ્વામી જાતાં તે થૈને નિરાશી, હશે અંતરે અધિક ઉદાસી. 2 માટે જૈ તમે ધીરજ આપો, કષ્ટ વિરહવિજોગનું કાપો; મુકતાનંદે તે આગન્યા ધારી, હાથ જોડીને વિનતિ ઉચ્ચારી. 3 આજ્ઞા આપની શીશ ધરીશ, ભુજ જૈ કહ્યું તેમ કરીશ; પણ વાત કહું એક જેહ, લેજો અંતરમાં ધરી તેહ. 4 અભિમાની આ રઘુનાથદાસ, રહે એવી મને નથી આશ; અંતે સત્સંગમાંથી તો જાશે, પૂરેપૂરો વળી દ્રોહી થાશે. 5 એને ગમતાં વચન ઉચરીને, રાખજો જેમ તેમ કરીને; જે જે બોલે તે બોલ સાંભળજો, અમદાબાદ એને મોકલજો. 6 એવી વાત વદીને વિશેષ, મુનિ મુકત ગયા કચ્છ દેશ; ઘણા સાધુ રહ્યા પ્રભુ પાસ, તેમાં મોટેરા તો રામદાસ. 7 જે જે કામ શ્રીહરિ આદરે, તે તો તેહને પૂછીને કરે; ભાવે સુણો અભેસિંહ ભ્રાત, હવે શ્રીહરિની કહું વાત. 8 પૂર્વછાયો:- વિપ્ર મહાભકત માવજી, જેનું ધોરાજીમાં ધામ; રામાનંદના કાર્યમાં, આવ્યા હતા ફણેણી ગામ. 9 ચોપાઈ:- તેણે પ્રેમથી શ્રીહરિ પાસ, કર્યા વિનતિનાં વચન પ્રકાશ; દયાસિંધુ દયા દિલ ધારો, ધર્મપુત્ર ધોરાજી પધારો. 10 રામાનંદના શિષ્ય છે જેહ, ઇચ્છે દર્શન આપનું એહ; ઘણા નાસ્તિક જન ત્યાં રહે છે, સ્વર્ગ નરકને મિથ્યા કહે છે.11 તેને જીતી કરો જેજેકાર, વેદધર્મનો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1582

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- શ્રીહરિ સોરઠ દેશમાં, ગયા તે પછી જે જે ગામ; તેહ કથા તમને કહું, સુણો નૃપ અભેસિંહનામ. 1 ચોપાઈ:- ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કૈંક જનને કૃતારથ કરવા; રામાનંદના વિરહી જન, શાંત કરવાને તેહનાં મન. 2 સંતમંડળ પાર્ષદ સાથ, ચાલ્યા ધોરાજીથી મુનિનાથ; સત્રાસે થઇ ભાડેર ગયા, તહાં પાદરમાં સ્થિર થયા. 3 સતસંગી મળી સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા; ગણું મુખ્ય તો ગોકુળદાસ, ભકત વાધજીનો ત્યાં નિવાસ.4 તેના પુત્ર દેહળજી નામ, ભકત વિપ્ર રુડા દેવરામ; તેણે પૂજા કરી ધરી ભાવ, રીઝ્યા તે થકી નટવર નાવ. 5 ત્યાંથી માણાવદર ગયા શામ, સામા આવ્યા ત્યાં ભટ મયારામ; ભૂપ વાબી ગજેફરખાન, સામા આવી કર્યું સનમાન. 6 કર્યો ઉતારો ભટજીને ઘેર, સભા નિત્ય સજે શુભપેર; રામાનંદની ગાદીની આશે, માંડ્યો પાખંડ રઘુનાથદાસે. 7 ગુરુડોળ બનાવીને બેશી, કાઢે શ્રીરામનંદની દેશી; ઘનશામનું બોલે ઘસાતું, સુણી સંતે સહન નથી થાતું. 8 કહે ગાદીનો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરુ છું; માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. 9 એવાં સાંભળી વચન પ્રકાશ, ખીજયા સાધુ રામચર્ણદાસ; સાધુ તે રામાનંદના શિષ્ય, વાત ભાંખતા તે તો ભવિષ્ય. 10 ચાલ્યા ત્યાં થકી તે તો રિસાઇ, કહે કેમ કરે તે ઠગાઇ ? એનું મન છે મલીન અપાર, નથી સત્સંગમાં રહેનાર. 11 એમ કહીને ગયા સાધુ જયારે, મહારાજ ને ભટજી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1625

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો:- મહાપ્રભુ માંગરોળમાં, વશી પૂરો કર્યો પોષ માસ; વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ.1 ચોપાઈ:- માણાવદરના મેહેરબાન, ભલા ભૂપ ગજેફરખાન; તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. 2 ભકત પર્વત ને ભીમભાઇ, હરિભકત ચાલ્યા હરખાઇ; સતસંગીનો થઇને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. 3 જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ; માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. 4 ત્યાંજ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને; સંત હરિજનને લઇ સાથ, નેહ લાવી પધારોને નાથ. 5 માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે; પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. 6 ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને; આવ્યો પંચમીનો દિન જયારે, થયો સારો સમૈયો તે ત્યારે. 7 સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે; દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. 8 પછી કેસર કેસુ પતંગ, રુડી રીતે રચાવિયા રંગ; લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. 9 એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ; મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. 10 નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર; નદી ક્ષારવતી લક્ષ્મીઆરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. 11 ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી; માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. 12 તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો રુડો રુપાળો; ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1511

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો:- સંવત શુભ અષાઢાદિની, બેઠી ઓગણસાઠની સાલ; મહાપ્રભુ માંગરોળમાં, વશી રહ્યા વરષા કાળ. 1 ચોપાઈ:- શુદિ બીજ અષાઢી ગણાય, રથજાત્રાનો ઉત્સવ થાય; પ્રભુ આજ્ઞાથી પૂરણ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડી રીતે. 2 દેવપોઢણી એ પછી આવી, ભલી એકાદશી મન ભાવી; સૌને નિયમ વિશેષ ધરાવ્યાં, ચાંદ્રાયણ આદિ વ્રત રખાવ્યાં. 3 કરે ગર્જના મેઘ આકાશે, થાય વીજળી ત્યાં ચારે પાસે; કયારે ઇન્દ્રધનુષ્ય દેખાય, વૃષ્ટિ વિશ્વ વિષે ઘણી થાય. 4 કરે મોર અધિક ઉચ્ચાર, ગાય મુનિજન રાગ મલાર; વદી અષાઢની દ્વિતીયાય, બેઠા હીંડોળે શ્રીહરિરાય. 5 આવી શ્રાવણી પૂનમ સારી, કર્યો ઉત્સવ કુંજવિહારી; જન્મઅષ્ટમીનો દિન આવ્યો, મોટો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. 6 પરગામ તણા સતસંગી, આવ્યા અંતરે અધિક ઉમંગી; અમદાવાદના જન આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. 7 માંડી રઘુનાથદાસે ઉપાધી, કૈંક સાધુને લીધા છે સાધી; મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. 8 વાત શ્રીહરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી; હરિભકતોયે તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. 9 કોઇ સદ્ગુરુ મંડળ સાથ, અમદાવાદ મોકલો નાથ; આંહી આવી ઉપાધિ શમાવે, દાસ રઘુનાથને સમજાવે. 10 એવા સાંભળીને સમાચાર, વૃષનંદને કીધો વિચાર; રામદાસજીને કહી વાત, ઝટ જાઓ તમે ગુજરાત. 11 જૈને સર્વે ઉપાધિ શમાવો, દાસ રઘુનાથને સમજાવો; જો તે સતસંગમાંથી નિસરશે, કૈંક જીવનું પણ ભૂંડુ કરશે. 12 માટે રાખજો જેમ તેમ કરી, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1713
Powered By Indic IME