Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ચોસઠપદી પદ:- ૨૦

જરૂર જાવું  છે  જાણજો  રે,  પ્રભુજીની પાસ ।। એવી દેશિયે  મ આણજો રે, વણ કર્યે તપાસ ।। ૧ ।। જાણો  જગમોટાઈ  જૂઠ  છે  રે,તેની  તજો  તાણ ।। એને ઇચ્છે તે હૈયાફૂટ  છે રે, ન ઇચ્છે સુજાણ ।। ૨ ।। મેલો લાભ આ લોક સુખનો રે, પ્રીત કરો પરલોક ।। એ તો મત છે મૂરખનો રે, ખોટે હરખ શોક ।। ૩ ।। રૂડા સંતની  રીતડી રે, જાણો  જુદી જન ।। જેને પ્રભુ  સાથે  પ્રીતડી  રે,  તે  વિચારો  મન ।। ૪ ।। માથે કલંક  ને  મરશું  રે,  એ  તો  છે  અકાજ ।। તે તો નિષ્કુળાનંદ નરસું રે, જોઈ રીઝે નહિ રાજ ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

ચોસઠપદી પદ:- ૨૧

શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન ।। આવ્યો તૈયે તારા અંગમાં  રે, નો’તા મોટ્યપ માન ।। ૧ ।। સહુ સંતને શીશ નામતો રે, થૈને દાસાનુદાસ ।। ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થૈ ઉદાસ ।। ૨ ।। એહ ગયું તારી ગાંઠ્યનું રે, બીજું પેઠું પાપ ।। લઈ લીધું લક્ષણ લાંઠ્યનું રે, અવળું કર્યું આપ ।। ૩ ।। બની  વાત  ગઈ  બગડી  રે,  કવથાણું  છે  કામ ।। દિલે સળગે છે સગડી રે, સહુનો થાવા શ્યામ ।। ૪ ।। નાને ગુણે મોટપ્ય ન મળે રે, વિચારી જોને વાત ।। કહે નિષ્કુળાનંદ કાં બળે રે, ઠાલો દી ને રાત ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

ચોસઠપદી પદ:- ૨૨

મોટા  થાવાનું  મનમાં  રે,  દલમાં  ઘણો ડોડ ।। તેવા  ગુણ  નથી  તનમાં  રે,  કાં  કરે  તું કોડ ।। ૧ ।। તું તપાસી જોને તુજને રે, ઊતરી અંતર માંય ।। પછી ઇચ્છજયે થાવા પૂજયને રે, તેનું નથી કાંય ।। ૨ ।। કામ ક્રોધ વળી લોભ છે રે, લિયે છે તારી લાજ ।। તેણે કરી અંતરે ક્ષોભ છે રે, જો વિચારી આજ ।। ૩ ।। ભૂંડા ઘાટ ઊઠે છે ભીતરે રે, જે ન કહેવાય બા’ર ।। એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર ।। ૪ ।। નથી ખેાળતો ખોટ્ય માંયની  રે, દે છે બીજાને દોષ ।। કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અપસોષ ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 154

ચોસઠપદી પદ:- ૨૩

એક  ભૂંસાડીને  એકડો  રે,  વાળ્યાં  મીંડા  વીશ ।। જોતા સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીશ ।। ૧ ।। ધન વિના કરે છે ધાંખના  રે, કાંયેક મળવા કાજ ।। પામીશ નહિ પડીકાં રાખના રે, ઠાલી ખોઈશ લાજ ।। ૨ ।। દીવો  દિનકર   આગળે  રે,  કરવા  જાયે  કોઈ ।। શોભા શું લખાય કાગળે રે,ઉલટી હાંસી હોય ।। ૩ ।। મોટા પંડિત આગળ મૂરખો રે, કરે કોઈ ઉચ્ચાર ।। સહુ જાણે પશુ  સરખો રે, ભૂલ્યે ન  પડે ભાર ।। ૪ ।। માંડી મોરકળા સોયામણી રે, પછી દેખાડે પૂઠ ।। નિષ્કુળાનંદ લાગે લજામણી  રે, જરાય નથી જૂઠ ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 148

ચોસઠપદી પદ:- ૨૪

વાત  હેતની  હૈયે  ધારજો  રે,  સમજીને  સુજાણ ।। કામ  પડે  એ  વિચારજો  રે,  તો  થાશે  કલ્યાણ ।। ૧ ।। પ્રભુજીના  પદ  પામવા  રે,  આ  છે  સુંદર  સાર ।। વડાં  વિઘનને  વામવા  રે,  પામવા  બેડો પાર ।। ૨ ।। કહ્યું  લગાડીને  કડવું  રે,  લીમથી   ઘણું લાખ ।। એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ ।। ૩ ।। કોય વીંધે  આવી કાનને રે, કરીને  કળ છળ ।। પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ ।। ૪ ।। રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર ।। કહે નિષ્કુળાનંદ હિતનું રે, સારું સુખ દેનાર ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 150

ચોસઠપદી પદ:- ૨પ

રાગ-ધોળ  ‘તુંને સાંભળ આપું શીખ, મોટા મારી માન્યને રે’ માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજયો રે ।। કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજયો રે ।। ૧ ।। સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજયો રે ।। રખે ચડે બીજાનો રંગ,  એવું ડહાપણ દૂર નાખજયોરે ।। ૨ ।। લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે ।। નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજયો એ મર્મને રે ।। ૩ ।। આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે ।। એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 156

ચોસઠપદી પદ:- ૨૬

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે ।। મર આપીયે સો સો શીશ, તોયે વણમળ્યાની વાત છે રે ।। ૧ ।। કિયાં કીડી કરી  મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે ।। કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે ।। ૨ ।। અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે ।। તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે ।। ૩ ।। તૈયે થાય એનો મેળાપ, જયારે નરતન ધરે નાથજી રે ।। કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 178

ચોસઠપદી પદ:- ૨૭

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે ।। મર આપીયે સો સો શીશ, તોયે વણમળ્યાની વાત છે રે ।। ૧ ।। કિયાં કીડી કરી  મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે ।। કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે ।। ૨ ।। અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે ।। તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે ।। ૩ ।। તૈયે થાય એનો મેળાપ, જયારે નરતન ધરે નાથજી રે ।। કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127
Powered By Indic IME