Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ચોસઠપદી પદ:- ૧૨

વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે ।। પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે ।। ૧ ।। તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે ।। કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે ।। ૨ ।। આંખ્ય અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને ।। ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને ।। ૩ ।। પછી સંત અસંત એક પાડે  રે, નહિ દેખે તે કોઈ દને ।। કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

ચોસઠપદી પદ:- ૧૩

જેનું તન મન માન્યું ત્યાગે રે, ભકિત ધર્મ ભાવે છે ।। તેના વચન વીંટ્યાં વૈરાગે રે, અંતરમાંથી આવે છે ।। ૧ ।। શીલ  સંતોષ ને વળી શાંતિ રે, એમા રહીને બોલે છે ।। ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ।। ૨ ।। એવા સંત સહુના સગા રે, પરઉપકારી પૂરા છે ।। જેના દલમાં નહિ કોય દગા રે, સત્ય વાતમાં શૂરા છે ।। ૩ ।। વળી હેત ઘણું છે હૈયે રે, આંખ્યે અમૃત વરસે છે ।। કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 187

ચોસઠપદી પદ:- ૧૪

કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી ।। પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી ।। ૧ ।। પંચ વિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે ।। તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જયારે ।। ૨ ।। વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી ।। બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તન સુખ પરથી ।। ૩ ।। એવા કયાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી ।। કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 172

ચોસઠપદી પદ:- ૧પ

વળી વિષયી જનનાં વાયક રે, ભર્યા ભરપૂર ભૂંડાઈયે ।। હોય સહુને દુઃખના દાયક રે, એથી સુખિયાં શું થાયે ।। ૧ ।। જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વિલખ્યા છે ।। એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લૈને લખ્યાં છે ।। ૨ ।। વળી વસિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે ।। એના અંતરની જે આશા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે ।। ૩ ।। માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને ।। કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 174

ચોસઠપદી પદ:- ૧૬

કહ્યાં ષટ દશ પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને ।। કહ્યું તન મનમાં મે તોળી રે, જેમ છે તેમ જણાવાને ।। ૧ ।। કોય પીયૂષ  રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને ।। તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને ।। ૨ ।। જોને જેવો ગુણ જે બીજે  રે, તેવો તેહ જણાવે છે ।। તેની કોટી જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે ? ।। ૩ ।। એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા ।। સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીએ સેવા ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 175

ચોસઠપદી પદ:- ૧૭

રાગ-ગરબી ‘સજયા શણગાર શોભતા રે, આજ સખી વ્રજરાજ’ કઠણ  વચન  કહું  છું  રે,  કડવા  કાંકચ્ય   રૂપ ।। દરદીને  ગોળી  દઉં  છું  રે,  સુખ  થાવા  અનુપ ।। ૧ ।। ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ ।। જીરણ  રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય ।। ૨ ।। પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શિખ ।। ખરાં છિદ્ર  કેના ખોલતાં રે, વવાઈ જાશે વિખ ।। ૩ ।। દેહમાનીને  દિલમાં  રે,  સુણતાં  જાશે  સુખ ।। પ્રજળશે   તેહ  પળમાં  રે,  દાજયે  થાશે  દુઃખ ।। ૪ ।। માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર ।। નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 188

ચોસઠપદી પદ:- ૧૮

સુણો સાધુ શુકજી સરખા રે, નારદ જેવા નેક ।। નથી ઉપમા માનો મૂરખા રે, ઉર કરો વિવેક ।। ૧ ।। જડભરત  જેવા  જાણિયે  રે,  સનકાદિક  સમાન ।। કદરજ  જેવા વખાણિયે રે,  ખરા  ક્ષમાવાન ।। ૨ ।। એવી સાધુતાને આશરી રે, જયારે લીધો જોગ ।। ત્યારે પ્રીત સહુશું પરહરી રે, ભૂલવા ભવભોગ ।। ૩ ।। એની રીત્યે રીત્ય આપણી રે, બીજી રીત્યે બાધ ।। પરહરો  પરી   પાપણી  રે,  વળગી  એ  વરાધ ।। ૪ ।। ફોગટ  પડતા બીજા ફંદમા  રે, આવે દુઃખ અત્યંત ।। નિષ્કુળાનંદ આનંદમાં રે,  સદા  રહોને  સંત ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 201

ચોસઠપદી પદ:- ૧૯

શુકજીએ નથી સંઘર્યું રે, ધાતુ વળી ધન ।। નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોયે દન ।। ૧ ।। જડભરતે ન  જોડાવિયું  રે,  ગાડું  ગાડી  વેલ ।। કદરજનું વ્યાસે કા’વિયું રે, ખરી ક્ષમાનો ખેલ ।। ૨ ।। સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર ।। આ તો બાંધ્યાં બીજાને બારણે  રે, કરવા કાળો કે’ર ।। ૩ ।। મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક ।। તે તો ચોટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક ।। ૪ ।। કોઈ કહે  એની  કોરનું  રે,  તેશું  બંધાયે વેર ।। કહે નિષ્કુળાનંદ નોરનું  રે, મુંપર રાખજો મે’ર ।। ૫ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 158
Powered By Indic IME